ભૂવામાં AMCનો ટ્રક ખાબકતા લોકોને મજા પડી, ફોટો અને વીડિયો ઉતારવા ઉમટી પડ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 20:36:11

અમદાવાદમાં ચોમાસા દરમિયાન માર્ગો પર મસમોટા ભુવા પડવા તે કોઈ મોટી વાત નથી. આજે શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા અંબર ટાવરની સામે 100 ફૂટ રોડ પર એક મસમોટો ભૂવો પડ્યો છે. જો કે રસપ્રદ બાબત એ છે કે આ ભૂવામાં અમદાવાદ મ્યુનિસિપરલ કોર્પોરેશનનું ટ્રક જ ગરકાવ થઈ ગયું છે.



વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 


અમદાવાદ મ્યુનિસિપરલ કોર્પોરેશનનું ડમ્પર આ ભૂવામાં ફસાતા લોકોમાં કૂતુહલ સર્જાયું છે. મોટી સંખ્યામાં લોકો ફોટો અને વીડિયો ઉતારવા ઉમટી રહ્યા છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. ડમ્પરનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ જતા આગળનો ભાગ ઉપર થઈ ગયો છે. આ અંગેની જાણ કોર્પોરેશનને કરતા ભૂવામાં ફસાયેલી ગાડીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.


સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બુધવાર સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાહન 100 ફૂટ રોડ પર સવેરા હોટલ પાસે પડતાં ત્રણ રસ્તા પાસે ભુવામાં ગરકાવ થયું હતું. બાદમાં સ્થાનિક લોકોની મદદથી ડ્રાઇવર અને ગાડીમાં સાથે રહેલા લોકોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આ સમગ્ર ઘટના અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી, જેથી ભૂવામાંથી વાહન બહાર કાઢી શકાય.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.