ભૂવામાં AMCનો ટ્રક ખાબકતા લોકોને મજા પડી, ફોટો અને વીડિયો ઉતારવા ઉમટી પડ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 20:36:11

અમદાવાદમાં ચોમાસા દરમિયાન માર્ગો પર મસમોટા ભુવા પડવા તે કોઈ મોટી વાત નથી. આજે શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા અંબર ટાવરની સામે 100 ફૂટ રોડ પર એક મસમોટો ભૂવો પડ્યો છે. જો કે રસપ્રદ બાબત એ છે કે આ ભૂવામાં અમદાવાદ મ્યુનિસિપરલ કોર્પોરેશનનું ટ્રક જ ગરકાવ થઈ ગયું છે.



વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 


અમદાવાદ મ્યુનિસિપરલ કોર્પોરેશનનું ડમ્પર આ ભૂવામાં ફસાતા લોકોમાં કૂતુહલ સર્જાયું છે. મોટી સંખ્યામાં લોકો ફોટો અને વીડિયો ઉતારવા ઉમટી રહ્યા છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. ડમ્પરનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ જતા આગળનો ભાગ ઉપર થઈ ગયો છે. આ અંગેની જાણ કોર્પોરેશનને કરતા ભૂવામાં ફસાયેલી ગાડીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.


સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બુધવાર સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાહન 100 ફૂટ રોડ પર સવેરા હોટલ પાસે પડતાં ત્રણ રસ્તા પાસે ભુવામાં ગરકાવ થયું હતું. બાદમાં સ્થાનિક લોકોની મદદથી ડ્રાઇવર અને ગાડીમાં સાથે રહેલા લોકોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આ સમગ્ર ઘટના અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી, જેથી ભૂવામાંથી વાહન બહાર કાઢી શકાય.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"