ભૂવામાં AMCનો ટ્રક ખાબકતા લોકોને મજા પડી, ફોટો અને વીડિયો ઉતારવા ઉમટી પડ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 20:36:11

અમદાવાદમાં ચોમાસા દરમિયાન માર્ગો પર મસમોટા ભુવા પડવા તે કોઈ મોટી વાત નથી. આજે શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા અંબર ટાવરની સામે 100 ફૂટ રોડ પર એક મસમોટો ભૂવો પડ્યો છે. જો કે રસપ્રદ બાબત એ છે કે આ ભૂવામાં અમદાવાદ મ્યુનિસિપરલ કોર્પોરેશનનું ટ્રક જ ગરકાવ થઈ ગયું છે.



વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 


અમદાવાદ મ્યુનિસિપરલ કોર્પોરેશનનું ડમ્પર આ ભૂવામાં ફસાતા લોકોમાં કૂતુહલ સર્જાયું છે. મોટી સંખ્યામાં લોકો ફોટો અને વીડિયો ઉતારવા ઉમટી રહ્યા છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. ડમ્પરનો પાછળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ જતા આગળનો ભાગ ઉપર થઈ ગયો છે. આ અંગેની જાણ કોર્પોરેશનને કરતા ભૂવામાં ફસાયેલી ગાડીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.


સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બુધવાર સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાહન 100 ફૂટ રોડ પર સવેરા હોટલ પાસે પડતાં ત્રણ રસ્તા પાસે ભુવામાં ગરકાવ થયું હતું. બાદમાં સ્થાનિક લોકોની મદદથી ડ્રાઇવર અને ગાડીમાં સાથે રહેલા લોકોને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આ સમગ્ર ઘટના અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી, જેથી ભૂવામાંથી વાહન બહાર કાઢી શકાય.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે