Ahmedabad : રસ બનાવતા અનેક એકમોને ત્યાં AMCના આરોગ્ય વિભાગના દરોડા! લેવાયા સેમ્પલ કરાશે ટેસ્ટ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-16 17:51:45

ઉનાળાની સિઝનમાં કેરીનો રસ લોકો શોખથી ખાતા હોય છે.. અનેક લોકોને ઉનાળો એટલા માટે ગમતો હોય છે કારણ કે આ સિઝનમાં કેરી ખાવા મળે છે.. ઘરનો રસ જેટલો લોકોને નથી પસંદ આવતો તેટલો બહારનો રસ ભાવતો હોય છે.. બહારથી લાવેલા રસનો સ્વાદ લોકોને પસંદ આવતો હોય છે પરંતુ તે રસ આરોગ્ય માટે સારો છે કે નહીં તે નથી જાણતા આપણે.. ત્યારે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનો રસ બનાવતા અનેક એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે.. 10થી વધુ સ્થળો પર આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા.. 



કેરીમાંથી રસ બનાવતા એકમો પર હાથ ધરાયું ચેકિંગ 

આરોગ્ય વિભાગ દ્વારા અનેક વખત વિવિધ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે.. લોકોને આપવામાં આવતા ખાદ્ય પદાર્થની ક્વોલિટી સારી છે કે નહીં તે જાણવા માટે સેમ્પલો લેવામાં આવે છે, લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને તેની ગુણવત્તા ચકાસવામાં આવે છે... અનેક વખત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે ત્યારે આ વખતે ટીમે અમદાવાદ શહેરમાં કેરીનો રસ બનાવતા અનેક એકમો પર દરોડા પાડ્યા હતા. 



આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે ચેકિંગ 

કેવી કેરીમાંથી રસ બને છે, રસ બન્યા પછી કેવી રીતે તેને સ્ટોર કરવામાં આવે છે, રસનું સેમ્પલ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવે છે.. અને જો ગુણવત્તાની શ્રેણીમાં જો રિપોર્ટ ખરો નથી ઉતરતો તો તે એકમ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે.. મહત્વનું છે કે ઉનાળા દરમિયાન લોકો કેરીનો રસ હોંશે હોંશે રસ ખાતા હોય છે.. 



અલગ અલગ વસ્તુઓનો કરાતો હોય રસ બનાવવામં ઉપયોગ 

અનેક વખત જોવામાં આવ્યું છે કે વેપારીને પરવડે તે માટે કેરીના રસમાં મિલાવટ કરતા હોય છે. કેરીના રસમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. ભેળ સેળવાળો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.. કોઈ વખત પાણીનો ઉમેરો કરતા હોય છે અથવા તો સસ્તા ફળોનો ઉપયોગ કરતા હોય છે.. તે સિવાય ફૂડ કલરનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.. મહત્વનું છે કે આરોગ્ય સાથે કરાતા ચેડા રોકાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે...  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.