Ahmedabad : રસ બનાવતા અનેક એકમોને ત્યાં AMCના આરોગ્ય વિભાગના દરોડા! લેવાયા સેમ્પલ કરાશે ટેસ્ટ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-16 17:51:45

ઉનાળાની સિઝનમાં કેરીનો રસ લોકો શોખથી ખાતા હોય છે.. અનેક લોકોને ઉનાળો એટલા માટે ગમતો હોય છે કારણ કે આ સિઝનમાં કેરી ખાવા મળે છે.. ઘરનો રસ જેટલો લોકોને નથી પસંદ આવતો તેટલો બહારનો રસ ભાવતો હોય છે.. બહારથી લાવેલા રસનો સ્વાદ લોકોને પસંદ આવતો હોય છે પરંતુ તે રસ આરોગ્ય માટે સારો છે કે નહીં તે નથી જાણતા આપણે.. ત્યારે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનો રસ બનાવતા અનેક એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે.. 10થી વધુ સ્થળો પર આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા.. 



કેરીમાંથી રસ બનાવતા એકમો પર હાથ ધરાયું ચેકિંગ 

આરોગ્ય વિભાગ દ્વારા અનેક વખત વિવિધ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે.. લોકોને આપવામાં આવતા ખાદ્ય પદાર્થની ક્વોલિટી સારી છે કે નહીં તે જાણવા માટે સેમ્પલો લેવામાં આવે છે, લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને તેની ગુણવત્તા ચકાસવામાં આવે છે... અનેક વખત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે ત્યારે આ વખતે ટીમે અમદાવાદ શહેરમાં કેરીનો રસ બનાવતા અનેક એકમો પર દરોડા પાડ્યા હતા. 



આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે ચેકિંગ 

કેવી કેરીમાંથી રસ બને છે, રસ બન્યા પછી કેવી રીતે તેને સ્ટોર કરવામાં આવે છે, રસનું સેમ્પલ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવે છે.. અને જો ગુણવત્તાની શ્રેણીમાં જો રિપોર્ટ ખરો નથી ઉતરતો તો તે એકમ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે.. મહત્વનું છે કે ઉનાળા દરમિયાન લોકો કેરીનો રસ હોંશે હોંશે રસ ખાતા હોય છે.. 



અલગ અલગ વસ્તુઓનો કરાતો હોય રસ બનાવવામં ઉપયોગ 

અનેક વખત જોવામાં આવ્યું છે કે વેપારીને પરવડે તે માટે કેરીના રસમાં મિલાવટ કરતા હોય છે. કેરીના રસમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. ભેળ સેળવાળો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.. કોઈ વખત પાણીનો ઉમેરો કરતા હોય છે અથવા તો સસ્તા ફળોનો ઉપયોગ કરતા હોય છે.. તે સિવાય ફૂડ કલરનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.. મહત્વનું છે કે આરોગ્ય સાથે કરાતા ચેડા રોકાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે...  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.