Ahmedabad : રસ બનાવતા અનેક એકમોને ત્યાં AMCના આરોગ્ય વિભાગના દરોડા! લેવાયા સેમ્પલ કરાશે ટેસ્ટ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-16 17:51:45

ઉનાળાની સિઝનમાં કેરીનો રસ લોકો શોખથી ખાતા હોય છે.. અનેક લોકોને ઉનાળો એટલા માટે ગમતો હોય છે કારણ કે આ સિઝનમાં કેરી ખાવા મળે છે.. ઘરનો રસ જેટલો લોકોને નથી પસંદ આવતો તેટલો બહારનો રસ ભાવતો હોય છે.. બહારથી લાવેલા રસનો સ્વાદ લોકોને પસંદ આવતો હોય છે પરંતુ તે રસ આરોગ્ય માટે સારો છે કે નહીં તે નથી જાણતા આપણે.. ત્યારે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનો રસ બનાવતા અનેક એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે.. 10થી વધુ સ્થળો પર આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા.. 



કેરીમાંથી રસ બનાવતા એકમો પર હાથ ધરાયું ચેકિંગ 

આરોગ્ય વિભાગ દ્વારા અનેક વખત વિવિધ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે.. લોકોને આપવામાં આવતા ખાદ્ય પદાર્થની ક્વોલિટી સારી છે કે નહીં તે જાણવા માટે સેમ્પલો લેવામાં આવે છે, લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને તેની ગુણવત્તા ચકાસવામાં આવે છે... અનેક વખત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે ત્યારે આ વખતે ટીમે અમદાવાદ શહેરમાં કેરીનો રસ બનાવતા અનેક એકમો પર દરોડા પાડ્યા હતા. 



આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે ચેકિંગ 

કેવી કેરીમાંથી રસ બને છે, રસ બન્યા પછી કેવી રીતે તેને સ્ટોર કરવામાં આવે છે, રસનું સેમ્પલ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવે છે.. અને જો ગુણવત્તાની શ્રેણીમાં જો રિપોર્ટ ખરો નથી ઉતરતો તો તે એકમ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે.. મહત્વનું છે કે ઉનાળા દરમિયાન લોકો કેરીનો રસ હોંશે હોંશે રસ ખાતા હોય છે.. 



અલગ અલગ વસ્તુઓનો કરાતો હોય રસ બનાવવામં ઉપયોગ 

અનેક વખત જોવામાં આવ્યું છે કે વેપારીને પરવડે તે માટે કેરીના રસમાં મિલાવટ કરતા હોય છે. કેરીના રસમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. ભેળ સેળવાળો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.. કોઈ વખત પાણીનો ઉમેરો કરતા હોય છે અથવા તો સસ્તા ફળોનો ઉપયોગ કરતા હોય છે.. તે સિવાય ફૂડ કલરનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.. મહત્વનું છે કે આરોગ્ય સાથે કરાતા ચેડા રોકાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે...  




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.