Ahmedabad : રસ બનાવતા અનેક એકમોને ત્યાં AMCના આરોગ્ય વિભાગના દરોડા! લેવાયા સેમ્પલ કરાશે ટેસ્ટ.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 17:51:45

ઉનાળાની સિઝનમાં કેરીનો રસ લોકો શોખથી ખાતા હોય છે.. અનેક લોકોને ઉનાળો એટલા માટે ગમતો હોય છે કારણ કે આ સિઝનમાં કેરી ખાવા મળે છે.. ઘરનો રસ જેટલો લોકોને નથી પસંદ આવતો તેટલો બહારનો રસ ભાવતો હોય છે.. બહારથી લાવેલા રસનો સ્વાદ લોકોને પસંદ આવતો હોય છે પરંતુ તે રસ આરોગ્ય માટે સારો છે કે નહીં તે નથી જાણતા આપણે.. ત્યારે અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનો રસ બનાવતા અનેક એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે.. 10થી વધુ સ્થળો પર આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા.. 



કેરીમાંથી રસ બનાવતા એકમો પર હાથ ધરાયું ચેકિંગ 

આરોગ્ય વિભાગ દ્વારા અનેક વખત વિવિધ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે.. લોકોને આપવામાં આવતા ખાદ્ય પદાર્થની ક્વોલિટી સારી છે કે નહીં તે જાણવા માટે સેમ્પલો લેવામાં આવે છે, લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને તેની ગુણવત્તા ચકાસવામાં આવે છે... અનેક વખત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે ત્યારે આ વખતે ટીમે અમદાવાદ શહેરમાં કેરીનો રસ બનાવતા અનેક એકમો પર દરોડા પાડ્યા હતા. 



આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે ચેકિંગ 

કેવી કેરીમાંથી રસ બને છે, રસ બન્યા પછી કેવી રીતે તેને સ્ટોર કરવામાં આવે છે, રસનું સેમ્પલ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવે છે.. અને જો ગુણવત્તાની શ્રેણીમાં જો રિપોર્ટ ખરો નથી ઉતરતો તો તે એકમ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે.. મહત્વનું છે કે ઉનાળા દરમિયાન લોકો કેરીનો રસ હોંશે હોંશે રસ ખાતા હોય છે.. 



અલગ અલગ વસ્તુઓનો કરાતો હોય રસ બનાવવામં ઉપયોગ 

અનેક વખત જોવામાં આવ્યું છે કે વેપારીને પરવડે તે માટે કેરીના રસમાં મિલાવટ કરતા હોય છે. કેરીના રસમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. ભેળ સેળવાળો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.. કોઈ વખત પાણીનો ઉમેરો કરતા હોય છે અથવા તો સસ્તા ફળોનો ઉપયોગ કરતા હોય છે.. તે સિવાય ફૂડ કલરનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.. મહત્વનું છે કે આરોગ્ય સાથે કરાતા ચેડા રોકાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે...  




લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.