Ahmedabad : BRTS રૂટમાં ઘૂસેલી ગાડીએ સર્જ્યો અકસ્માત, ઓવરસ્પીડમાં આવેલી ગાડીએ રેલિંગ તોડી, જાનહાની ટળી


  • Published By :
  • Published Date : 2023-11-11 11:59:33

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતના સ્વજનોને ગુમાવ્યા છે. પ્રતિવર્ષ અકસ્માતની સંખ્યા વધતી જઈ રહી છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો છે તેમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ અકસ્માત લોકોને વિચાર કરી દે તેવો છે. બીઆરટીએસ રૂટમાં અનેક વાહનો ઘૂસી જતા હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે. અમદાવાદમાં મોડી રાત્રે બોપલ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે જેમાં બીઆરટીએસ રૂટની રેલિંહ તોડી કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત થતાં વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ફરાર કારચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

 અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં ધનતેરસની મોડી રાતે એક અકસ્માત સર્જાયો છે. બોપલમાં એક કાળા રંગની કારે BRTS રૂટની રેલિંગ પર કાર ધુસાડી દીધી હતી. જે બાદ ચાલક પોતાની મોંઘીદાટ કાર મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઇને જાનહાની થયાના સમાચાર હજી સુધી નથી મળ્યા. બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાહનોની પૂરપાટ ઝડપથી ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાંથી એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી. જેની સ્પીડને કારણે ચાલકે બીઆરટીએસની રેલિંગમાં જ કાર અથડાવી દીધી છે. આ અકસ્માતને કારણે કારના આગળના ભાગના રેલિંગ સાથે અથડાઇને ભુક્કા બોલી ગયા છે. જ્યારે મજબૂત રેલિંગ પણ તૂટી ગઇ છે.

બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગઈ મોંઘીઘાટ ગાડી 

રાજ્યના અનેક શહોરોમાં બીઆરટીએસ બસની સુવિધાઓ આપવામાં આવે છે. સીટી બસ ઉપરાંત બીઆરટીએસ બસ પણ રસ્તાઓ પર દોડતી હોય છે જેને કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલી ના પડે. બીઆરટીએસ બસ માટે અલગ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. બીઆરટીએસ કોરીડોરમાં એ બસ સિવાય અન્ય બીજા કોઈ વાહનને મુખ્યત્વે એન્ટ્રી નથી આપવામાં આવતી. પરંતુ અનેક વખત આ કોરિડોરમાં વાહનો ઘૂસી જતા હોય છે અને દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આવો જ એક અકસ્માત અમદાવાદના બોપલમાં ધનતેરસના દિવસે સર્જાયો છે જેમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ માલહાની થઈ છે. 

 આ પૂરપાટ ઝડપે દોડીને અકસ્માત સર્જનારી કારનો નંબર HR 72B 4050 છે. જેનાથી જોઇ શકાય છે કે, આ કારનું પાસિંગ અન્ય રાજ્યનું છે.

 આ અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ત્યાં પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં આવીને આ કારને જોઇ રહ્યા હતા.

કારના આગળના ભાગનો બોલાઈ ગયો ભૂક્કો 

અમદાવાદના બોપલમાં ધનતેરસની મોડી રાત્રે બીઆરટીએસ કોરિડોરમાં એક મોંઘી ઘાટ ગાડી ઘૂસી ગઈ હતી જેને કારણે અકસ્માત સર્જાયો છે. એક કાળા રંગની કાર બીઆરટીએસ કોરિડોરમાં રેલિંગ સાથે અથડાઈ ગઈ. રેલિંગ સાથે અથડાયા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોતાની મોંઘી ગાડી છોડીને. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ. વાહનોની પૂરપાટ ઝડપથી આવેલી ગાડીએ ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે. રેલિંગ સાથે અથડાવાને કારણે કારની આગળના ભાગનો ભુક્કો નિકળી ગયો હતો. અકસ્માત સર્જાતા કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ફરાર કારચાલકને શોધવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.  

 બુધવારે રાતે પણ ઓવર સ્પીડના કારણે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમા બે લોકોના મોત નીપજ્યા હતા. ગોદરા હાઈવે પર કાર અચાનક ઓવર સ્પીડમાં ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બે લોકોના મોત થયા છે. પોલીસે આપેલી માહિતી અનુસાર, મૃતકોની ઓળખ રવિરાજ સિંહ (32) અને દેહરાજ સિંહ (22) તરીકે થઈ છે. જેઓ કારમાં આગળ બેઠેલા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. કારના અન્ય બે મુસાફરોને ઈજાઓ પહોંચી હતી અને તેમને અમદાવાદની સોલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.