અમદાવાદઃ અટલ ફુટ ઓવરબ્રિજ પર હવે 'નો ફ્રી એન્ટ્રી'


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 16:25:48

27 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદને એક નવું નજરાણું ભેટ કર્યું હતું. સાબરમતી નદીના રિવરફ્રન્ટ પર અમદાવાદ મહાનગરપાલિકાએ અટલ ફુટઓવર બ્રિજ બનાવ્યો છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી બાજપેયીજીની યાદમાં ફુટ ઓવરબ્રિજનું નામકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફુટઓવરબ્રિજ પર ચાલવા માટે અબાલવૃદ્ધ પાસેથી હવે ચાર્જ વસૂલાશે. 


કોની પાસેથી કેટલો ચાર્જ વસૂલાશે?

સવારે 9થી રાત્રીના 9 કલાક સુધી ખુલ્લા રહેતા અટલ ફુટ ઓવરબ્રિજ પર ચાલવા માટે  અમદાવાદ મહાનગર પાલિકા વય જુથ મુજબ ચાર્જ વસૂલશે. 11 વર્ષથી નાના બાળકો પાસેથી અડધી કલાકના 15 રૂપિયા વસૂલવામાં આવશે. 12 વર્ષથી 60 વર્ષની ઉંમરના લોકો પાસેથી પ્રતિ અડધી કલાકના 30 રૂપિયા વસૂલવામાં આવશે. સિનિયર સિટીઝન પાસેથી પ્રતિ અડધી કલાકના 15 રૂપિયા વસૂલવામાં આવશે. દિવ્યાંગો અટલ ફુટ ઓવરબ્રિજ પર નિઃશુલ્ક ફરી શકશે. 


પ્રધાનમંત્રીના આગમનના સમયે જ લેવાઈ ગયો હતો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અટલ ફુટ ઓવરબ્રિજનું ઉદ્ઘાન કરે તે પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર બારોટે પત્રકારોને જણાવી દીધું હતું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અટલ ફુટ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. ટૂંક સમયમાં ફુટ બ્રિજ પર વિહાર કરવા માટે પૈસા વસૂલવાનો નિર્ણય લેવામાં આવશે". 


અટલ ફુટ બ્રિજની મુલાકાત દરમિયાન શું તકેદારી રાખશો?

અમદાવાદ મહાનગરપાલિકાએ પરિપત્ર બહાર પાડી લોકોને અમુક શરતોનું પાલન કરવા માટે વિનંતી કરી હતી. અટલ ફુટ બ્રિજની મુલાકાત દરમિયાન ગુટકા, પાન-મસાલા જેવી પદાર્થોના સેવન પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મુલાકાતીઓ પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમિનાડથી પ્રવેશ આપવામાં આવશે. જ્યારે લોઅર પ્રોમિનાડથી મુલાકાતીઓ બહાર નીકળી શકશે. પાલતુ પશુને અટલ ફુટ બ્રિજ પર લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈ ફેરિયાને બ્રિજ પર વેચાણ માટે પરવાનગી આપવામાં આવશે. મુલાકાતીઓને ખોરાક, સંગીતની લાઉડ વસ્તુઓ કે સ્પોર્ટ્સના સાધનો લાવવાની મનાહી ફરમાવવામાં આવી છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .