અમદાવાદઃ અટલ ફુટ ઓવરબ્રિજ પર હવે 'નો ફ્રી એન્ટ્રી'


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 16:25:48

27 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદને એક નવું નજરાણું ભેટ કર્યું હતું. સાબરમતી નદીના રિવરફ્રન્ટ પર અમદાવાદ મહાનગરપાલિકાએ અટલ ફુટઓવર બ્રિજ બનાવ્યો છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી બાજપેયીજીની યાદમાં ફુટ ઓવરબ્રિજનું નામકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફુટઓવરબ્રિજ પર ચાલવા માટે અબાલવૃદ્ધ પાસેથી હવે ચાર્જ વસૂલાશે. 


કોની પાસેથી કેટલો ચાર્જ વસૂલાશે?

સવારે 9થી રાત્રીના 9 કલાક સુધી ખુલ્લા રહેતા અટલ ફુટ ઓવરબ્રિજ પર ચાલવા માટે  અમદાવાદ મહાનગર પાલિકા વય જુથ મુજબ ચાર્જ વસૂલશે. 11 વર્ષથી નાના બાળકો પાસેથી અડધી કલાકના 15 રૂપિયા વસૂલવામાં આવશે. 12 વર્ષથી 60 વર્ષની ઉંમરના લોકો પાસેથી પ્રતિ અડધી કલાકના 30 રૂપિયા વસૂલવામાં આવશે. સિનિયર સિટીઝન પાસેથી પ્રતિ અડધી કલાકના 15 રૂપિયા વસૂલવામાં આવશે. દિવ્યાંગો અટલ ફુટ ઓવરબ્રિજ પર નિઃશુલ્ક ફરી શકશે. 


પ્રધાનમંત્રીના આગમનના સમયે જ લેવાઈ ગયો હતો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અટલ ફુટ ઓવરબ્રિજનું ઉદ્ઘાન કરે તે પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર બારોટે પત્રકારોને જણાવી દીધું હતું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અટલ ફુટ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. ટૂંક સમયમાં ફુટ બ્રિજ પર વિહાર કરવા માટે પૈસા વસૂલવાનો નિર્ણય લેવામાં આવશે". 


અટલ ફુટ બ્રિજની મુલાકાત દરમિયાન શું તકેદારી રાખશો?

અમદાવાદ મહાનગરપાલિકાએ પરિપત્ર બહાર પાડી લોકોને અમુક શરતોનું પાલન કરવા માટે વિનંતી કરી હતી. અટલ ફુટ બ્રિજની મુલાકાત દરમિયાન ગુટકા, પાન-મસાલા જેવી પદાર્થોના સેવન પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મુલાકાતીઓ પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમિનાડથી પ્રવેશ આપવામાં આવશે. જ્યારે લોઅર પ્રોમિનાડથી મુલાકાતીઓ બહાર નીકળી શકશે. પાલતુ પશુને અટલ ફુટ બ્રિજ પર લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈ ફેરિયાને બ્રિજ પર વેચાણ માટે પરવાનગી આપવામાં આવશે. મુલાકાતીઓને ખોરાક, સંગીતની લાઉડ વસ્તુઓ કે સ્પોર્ટ્સના સાધનો લાવવાની મનાહી ફરમાવવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે