અમદાવાદઃ અટલ ફુટ ઓવરબ્રિજ પર હવે 'નો ફ્રી એન્ટ્રી'


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 16:25:48

27 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદને એક નવું નજરાણું ભેટ કર્યું હતું. સાબરમતી નદીના રિવરફ્રન્ટ પર અમદાવાદ મહાનગરપાલિકાએ અટલ ફુટઓવર બ્રિજ બનાવ્યો છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી બાજપેયીજીની યાદમાં ફુટ ઓવરબ્રિજનું નામકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફુટઓવરબ્રિજ પર ચાલવા માટે અબાલવૃદ્ધ પાસેથી હવે ચાર્જ વસૂલાશે. 


કોની પાસેથી કેટલો ચાર્જ વસૂલાશે?

સવારે 9થી રાત્રીના 9 કલાક સુધી ખુલ્લા રહેતા અટલ ફુટ ઓવરબ્રિજ પર ચાલવા માટે  અમદાવાદ મહાનગર પાલિકા વય જુથ મુજબ ચાર્જ વસૂલશે. 11 વર્ષથી નાના બાળકો પાસેથી અડધી કલાકના 15 રૂપિયા વસૂલવામાં આવશે. 12 વર્ષથી 60 વર્ષની ઉંમરના લોકો પાસેથી પ્રતિ અડધી કલાકના 30 રૂપિયા વસૂલવામાં આવશે. સિનિયર સિટીઝન પાસેથી પ્રતિ અડધી કલાકના 15 રૂપિયા વસૂલવામાં આવશે. દિવ્યાંગો અટલ ફુટ ઓવરબ્રિજ પર નિઃશુલ્ક ફરી શકશે. 


પ્રધાનમંત્રીના આગમનના સમયે જ લેવાઈ ગયો હતો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અટલ ફુટ ઓવરબ્રિજનું ઉદ્ઘાન કરે તે પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર બારોટે પત્રકારોને જણાવી દીધું હતું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અટલ ફુટ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. ટૂંક સમયમાં ફુટ બ્રિજ પર વિહાર કરવા માટે પૈસા વસૂલવાનો નિર્ણય લેવામાં આવશે". 


અટલ ફુટ બ્રિજની મુલાકાત દરમિયાન શું તકેદારી રાખશો?

અમદાવાદ મહાનગરપાલિકાએ પરિપત્ર બહાર પાડી લોકોને અમુક શરતોનું પાલન કરવા માટે વિનંતી કરી હતી. અટલ ફુટ બ્રિજની મુલાકાત દરમિયાન ગુટકા, પાન-મસાલા જેવી પદાર્થોના સેવન પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મુલાકાતીઓ પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમિનાડથી પ્રવેશ આપવામાં આવશે. જ્યારે લોઅર પ્રોમિનાડથી મુલાકાતીઓ બહાર નીકળી શકશે. પાલતુ પશુને અટલ ફુટ બ્રિજ પર લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈ ફેરિયાને બ્રિજ પર વેચાણ માટે પરવાનગી આપવામાં આવશે. મુલાકાતીઓને ખોરાક, સંગીતની લાઉડ વસ્તુઓ કે સ્પોર્ટ્સના સાધનો લાવવાની મનાહી ફરમાવવામાં આવી છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"