Ahmedabad : ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, હાઈકોર્ટના કડક વલણ બાદ કાર્યવાહી થઈ, પરંતુ ઢોરના ત્રાસથી છુટકારો મળશે?


  • Published By :
  • Published Date : 2023-11-01 15:21:12

રાજ્યના લોકોને રખડતા ઢોરનો ત્રાસ અવાર-નવાર સહન કરવો પડતો હોય છે. તમે પણ જ્યારે રસ્તા પરથી પસાર થાવ છો ત્યારે તમારા મનમાં પણ ડર હોઈ શકે છે કે આ રખડતા ઢોર ક્યાંય આપણી પર હુમલો ન કરી દે. રખડતા ઢોરને પકડવા માટે શું કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ હાઈકોર્ટ દ્વારા મંગાવવામાં આવ્યો છે. હાઈકોર્ટના કડક વલણ બાદ જ્યારે ટીમ રખડતા ઢોરને પકડવા માટે જતી હોય છે ત્યારે તેમને ઝપાઝપીનો સામનો કરવો પડે છે. અનેક વખત ટીમ પર હુમલા થાય છે. ત્યારે સરખેજ વિસ્તારમાં આ કાર્યવાહી કરવા માટે ટીમ પહોંચી ત્યારે પોલીસની હાજરીમાં ટીમ પર હુમલો કરાયો હતો.


ઢોરને પકડવા જતી ટીમ પર થતા હોય છે હુમલો 

આપણે બધા જાણીયે છીએ કે રસ્તા પર રખડતા ઢોર અને રખડતા શ્વાનનો ત્રાસ કેટલો વધી ગયો છે. ત્યારે હાઇકોર્ટે પણ છેલ્લા કેટલાય સમયથી એએમસીને ટકોર કરી રહી છે કે ઢોરને પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ દેખાય છે, વાસ્તવિક્તામાં દેખાતી નથી. અનેક વખતની ટકોર બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે તંત્ર તો એક્શન મોડમાં આવ્યું છે પણ સાથે સાથે ઢોર માલિકો પણ એક્શનમાં આવી ગયા હોય તેવું લાગે છે. ઢોર પકડવા માટે ટીમ જ્યારે જાય છે ત્યારે તેમની પર હુમલો કરવામાં આવે છે. અનેક કિસ્સાઓ આપણે આવા જોયા છે જેમાં પશુ માલિકો દ્વારા ટીમ પર હુમલો કરાતો હોય. 


એએમસીના ડે. કમિશનર પર થયો હતો હુમલો 

ત્યારે ફરી એક વાર અમદાવાદનાં સરખેજ વિસ્તરામાં મોડી રાત્રે ઢોર પકડવા ગયેલી ટીમ પર કેટલાક લોકોએ પોલીસની હાજરીમાં હુમલો કર્યો છે. જે બાદ સરખેજ પોલીસ મથકે 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા આવી. ઝપાઝપીના દ્રશ્યો હિંસક છે. બીજી એક ઘટનામાં અમદાવાદનાં મકરબા પ્રાથમિક શાળા પાસે ઢોર પકડવા ગયેલ AMCની ટીમ પર હુમલો કરતા CNCD વિભાગનાં 2 કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. હવે આ બાબતો સામાન્ય બની ગઈ હોય એવું લાગે છે કે તમે મરજી પડે એમ કરોને પછી દાદાગીરી કરો. થોડા દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર પણ હુમલો થયો હતો. દબાણ હટાવવાની કામગીરી ચાલતી હતી અને અમુક લોકો રોષે ભરાયા અને કમિશનર પર હુમલો કરી દીધો. 


ઢોર માલિકો માટે જાહેર કરાઈ છે માર્ગદર્શિકા 

રાજ્યમાં રખડતા ઢોરને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં કડક પણે માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ કરાયો છે. તેમજ માર્ગદર્શિકામાં ઢોર માલિક કેટલા ઢોર રાખી રહ્યા છે. તે અંગેની માહિતી રજૂ કરવાની રહેશે અને રજીસ્ટ્રેશન કરાવવું તેમજ ટેગ લગાવવાનું ફરજીયાત કરાયું છે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 


આ કાયદાનું પાલન કેટલું થાય છે પ્રશ્ન!

આપણે ત્યાં કાયદાઓ તો બની જાય છે પરંતુ તેનું અમલ નથી કરવામાં આવતો. અનેક વખત કાયદા ભંગ થવાના કિસ્સાઓ જોયા છે. દારૂબંધીના પણ અનેક એવા કિસ્સાઓ છે જેમાં કાયદાના લીરેલીરા ઉડ્યા છે. ત્યારે રાજ્યમાં આ માર્ગદર્શિકાનું કેટલું પાલન થાય છે તે જોવાનું રહ્યું. પણ જો રખડતા ઢોર અને રખડતા શ્વાન પર કાબુ નહિ મેળવવામાં આવે તો સામાન્ય માણસ ઘરની બહાર નીકળતા પણ 10 વખત વિચાર કરશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી