અમદાવાદ મ્યુનિની આર્થિક સ્થિતી કથળી, સ્માર્ટ સિટી અમદાવાદના માથે રુ. 1317.67 કરોડનું દેવું


  • Published By :
  • Published Date : 2023-02-21 21:44:00

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. AMCની આ સ્થિતી માટે કોરોના મહામારીને જવાબદાર ઠરાવવામાં આવી રહી છે. AMCદ્વારા કોરોના મહામારી દરમિયાન કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ, રાજ્ય સરકારે આર્થિક મદદ કરી નથી. AMCએ હવે રોજિંદા ખર્ચ કરવા માટે પણ દેવું કરવું પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2015-16ના બજેટમાં અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ વર્ષ 2023-24માં અમદાવાદ શહેર દેવાદાર સિટી બની ગયું છે. ગુજરાતમાં સૌથી વધુ દેવું કરનારી સરકારી સંસ્થા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન છે.


રુ. 1317.67 કરોડના દેવા અંગે  બજેટમાં કરાયો ઘટસ્ફોટ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં રુ. 1317.67 કરોડનું દેવું બતાવવામાં આવ્યું છે, પણ તેમાં વર્લ્ડ બેંક પાસેથી લીધેલી રુ.3,000 કરોડની લોન ઉમેરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વર્લ્ડ બેંકની લોનથી 3,000 કરોડ પૈકી રુ.1200 કરોડના ટેન્ડર બહાર પાડી દીધાં છે. જ્યાં સુધી વર્લ્ડ બેંકની લોનની રકમ મળે નહીં ત્યાં સુધી તે દેવામાં દર્શાવવામાં આવશે નહીં. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે વર્લ્ડ બેંકની સાથે ગણીએ તો, કુલ રુ. 4,317.67 કરોડનું દેવું થશે પણ વર્લ્ડ બેંકની રકમને દેવાની રકમમાં આવતા વર્ષના બજેટમાં ઉમેરવામાં આવશે.


રાજ્ય સરકાર ઓક્ટ્રોયની ગ્રાંટ બંધ કરશે?


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે દેવું વધી રહ્યું છે. AMCએ થોડા મહિના પહેલાં રોજિંદા ખર્ચ ઉપાડવા માટે પણ GSFS પાસેથી 350 કરોડની લોન લીધી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2ના કામ માટે પણ 350 કરોડની લોન લેવાઇ હતી. આ સિવાય ગ્રીન બોન્ડના નામે 200 કરોડનું દેવું કરવામાં આવ્યું છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની સામે આવતી ગ્રાંટની રકમ વધારવામાં આવી રહી નથી. રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની બદલામાં આપવાની થતી ગ્રાંટ બંધ કરવાની તૈયારી કરી રહી છે. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે. નવા ટેક્સ જાહેર કરવામાં આવી રહ્યાં છે. 


AMC પર દેવું કેટલું વધ્યું?


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે ગત 31 માર્ચ 2022ની સ્થિતિએ રૂ.280.11 કરોડની લોન હતી. તા. 31 માર્ચ 2023ની સ્થિતિએ વધીને રુ. 982.67 કરોડની લોન થઇ ગઇ છે. આગામી તા. 31 માર્ચ 2024ની સ્થિતિએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની લોનની રકમ વધીને રુ. 4,317.67 કરોડ લોન થઇ જશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.