અમદાવાદ મ્યુનિની આર્થિક સ્થિતી કથળી, સ્માર્ટ સિટી અમદાવાદના માથે રુ. 1317.67 કરોડનું દેવું


  • Published By :
  • Published Date : 2023-02-21 21:44:00

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. AMCની આ સ્થિતી માટે કોરોના મહામારીને જવાબદાર ઠરાવવામાં આવી રહી છે. AMCદ્વારા કોરોના મહામારી દરમિયાન કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ, રાજ્ય સરકારે આર્થિક મદદ કરી નથી. AMCએ હવે રોજિંદા ખર્ચ કરવા માટે પણ દેવું કરવું પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2015-16ના બજેટમાં અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ વર્ષ 2023-24માં અમદાવાદ શહેર દેવાદાર સિટી બની ગયું છે. ગુજરાતમાં સૌથી વધુ દેવું કરનારી સરકારી સંસ્થા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન છે.


રુ. 1317.67 કરોડના દેવા અંગે  બજેટમાં કરાયો ઘટસ્ફોટ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં રુ. 1317.67 કરોડનું દેવું બતાવવામાં આવ્યું છે, પણ તેમાં વર્લ્ડ બેંક પાસેથી લીધેલી રુ.3,000 કરોડની લોન ઉમેરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વર્લ્ડ બેંકની લોનથી 3,000 કરોડ પૈકી રુ.1200 કરોડના ટેન્ડર બહાર પાડી દીધાં છે. જ્યાં સુધી વર્લ્ડ બેંકની લોનની રકમ મળે નહીં ત્યાં સુધી તે દેવામાં દર્શાવવામાં આવશે નહીં. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે વર્લ્ડ બેંકની સાથે ગણીએ તો, કુલ રુ. 4,317.67 કરોડનું દેવું થશે પણ વર્લ્ડ બેંકની રકમને દેવાની રકમમાં આવતા વર્ષના બજેટમાં ઉમેરવામાં આવશે.


રાજ્ય સરકાર ઓક્ટ્રોયની ગ્રાંટ બંધ કરશે?


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે દેવું વધી રહ્યું છે. AMCએ થોડા મહિના પહેલાં રોજિંદા ખર્ચ ઉપાડવા માટે પણ GSFS પાસેથી 350 કરોડની લોન લીધી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2ના કામ માટે પણ 350 કરોડની લોન લેવાઇ હતી. આ સિવાય ગ્રીન બોન્ડના નામે 200 કરોડનું દેવું કરવામાં આવ્યું છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની સામે આવતી ગ્રાંટની રકમ વધારવામાં આવી રહી નથી. રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની બદલામાં આપવાની થતી ગ્રાંટ બંધ કરવાની તૈયારી કરી રહી છે. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે. નવા ટેક્સ જાહેર કરવામાં આવી રહ્યાં છે. 


AMC પર દેવું કેટલું વધ્યું?


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે ગત 31 માર્ચ 2022ની સ્થિતિએ રૂ.280.11 કરોડની લોન હતી. તા. 31 માર્ચ 2023ની સ્થિતિએ વધીને રુ. 982.67 કરોડની લોન થઇ ગઇ છે. આગામી તા. 31 માર્ચ 2024ની સ્થિતિએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની લોનની રકમ વધીને રુ. 4,317.67 કરોડ લોન થઇ જશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.