Ahmedabad Crime Branchએ AMC ડિજિટલ બર્થ સર્ટિફિકેટ બનાવટી કૌભાંડ ઝડપી પાડ્યું, એક વ્યક્તિની કરાઈ ધરપકડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-02 16:26:19

ટેક્નોલોજીનો ઉપયોગ આજકાલ મુખ્યત્વે દરેક વ્યક્તિ કરતો હોય છે. એક ક્લીક માત્રથી ઘરે બેઠા અનેક કામો પૂર્ણ થઈ જાય છે. ટેક્નોલોજીનો જો સારો ઉપયોગ કરવામાં આવે તો લોકો માટે આશીર્વાદ સમાન બની રહે છે પરંતુ અનેક લોકો આ ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ કરે છે. લોકોને છેતરવામાં પોતાની બુદ્ધિ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી ડિજિટલ બર્થ સર્ટિફિકેટ બનાવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.   



લોકોને સરળતા રહે માટે શરૂ કરાઈ છે ઓનલાઈનની સુવિધા 

લોકો સાથે છેતરપીંડી કરવાના અનેક રસ્તાઓ ભેજાબાજો શોધી કાઢતા હોય છે. સાયબર ક્રાઈમની ઘટનાઓમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો સાયબર ક્રાઈમના શિકાર બનતા હોય છે અને અનેક કેસો તો એવા છે જેમાં રુપિયા પણ ઉડી જતા હોય છે. ટેક્નોલોજી લોકોને મદદરૂપ સાબિત થાય તે માટે અનેક દસ્તાવેજો ઓનલાઈન કાઢવામાં આવે છે. આ સિસ્ટમથી અનેક લોકોને ફાયદો પણ થયો છે. 



બનાવટી દસ્તાવેજો બનાવી લોકો સાથે કરતો હતો છેતરપિંડી 

બર્થ સર્ટિફિકેટ, Death સર્ટિફિકેટ સહિતના અન્ય દસ્તાવેજો ઓનલાઈન કાઢી શકાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ સુવિધાનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાદ શહેર ખાતે ઓનલાઈન બનાવટી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ તેમજ મરણના દાખલા બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 


110થી વધારે નકલી ડોક્યુમેન્ટ આરોપીએ બનાવ્યા 

મળતી માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન વેબસાઈટ પરથી માહિતી મેળવી ખોટા જન્મ મરણના દાખલા તેમજ અન્ય દસ્તાવેજો બનાવી લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. ખોટા દસ્તાવેજોને સાચા દસ્તાવેજો બતાવી લોકો સાથે છેતરપિંડી કરનાર એજાજખાન પપ્પનખાન પઠાણની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. ખોટા દસ્તાવેજો બનાવી આરોપીએ 33,800 પૈસા પડાવી દીધા. આરોપીએ 110થી વધુ ખોટા કોક્યુમેન્ટ બનાવ્યા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે