Ahmedabad Crime Branchએ AMC ડિજિટલ બર્થ સર્ટિફિકેટ બનાવટી કૌભાંડ ઝડપી પાડ્યું, એક વ્યક્તિની કરાઈ ધરપકડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-02 16:26:19

ટેક્નોલોજીનો ઉપયોગ આજકાલ મુખ્યત્વે દરેક વ્યક્તિ કરતો હોય છે. એક ક્લીક માત્રથી ઘરે બેઠા અનેક કામો પૂર્ણ થઈ જાય છે. ટેક્નોલોજીનો જો સારો ઉપયોગ કરવામાં આવે તો લોકો માટે આશીર્વાદ સમાન બની રહે છે પરંતુ અનેક લોકો આ ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ કરે છે. લોકોને છેતરવામાં પોતાની બુદ્ધિ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી ડિજિટલ બર્થ સર્ટિફિકેટ બનાવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.   



લોકોને સરળતા રહે માટે શરૂ કરાઈ છે ઓનલાઈનની સુવિધા 

લોકો સાથે છેતરપીંડી કરવાના અનેક રસ્તાઓ ભેજાબાજો શોધી કાઢતા હોય છે. સાયબર ક્રાઈમની ઘટનાઓમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો સાયબર ક્રાઈમના શિકાર બનતા હોય છે અને અનેક કેસો તો એવા છે જેમાં રુપિયા પણ ઉડી જતા હોય છે. ટેક્નોલોજી લોકોને મદદરૂપ સાબિત થાય તે માટે અનેક દસ્તાવેજો ઓનલાઈન કાઢવામાં આવે છે. આ સિસ્ટમથી અનેક લોકોને ફાયદો પણ થયો છે. 



બનાવટી દસ્તાવેજો બનાવી લોકો સાથે કરતો હતો છેતરપિંડી 

બર્થ સર્ટિફિકેટ, Death સર્ટિફિકેટ સહિતના અન્ય દસ્તાવેજો ઓનલાઈન કાઢી શકાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ સુવિધાનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાદ શહેર ખાતે ઓનલાઈન બનાવટી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ તેમજ મરણના દાખલા બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 


110થી વધારે નકલી ડોક્યુમેન્ટ આરોપીએ બનાવ્યા 

મળતી માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન વેબસાઈટ પરથી માહિતી મેળવી ખોટા જન્મ મરણના દાખલા તેમજ અન્ય દસ્તાવેજો બનાવી લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. ખોટા દસ્તાવેજોને સાચા દસ્તાવેજો બતાવી લોકો સાથે છેતરપિંડી કરનાર એજાજખાન પપ્પનખાન પઠાણની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. ખોટા દસ્તાવેજો બનાવી આરોપીએ 33,800 પૈસા પડાવી દીધા. આરોપીએ 110થી વધુ ખોટા કોક્યુમેન્ટ બનાવ્યા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.