અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવા મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શું કર્યો મોટો દાવો? જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2024-05-10 13:10:03

લોકસભાની ચૂંટણી પહેલા અમદવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો.. ઈમેલ મળતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.. અને આ મામલે આજે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ આઈડી શોધી દેવામાં આવ્યું છે જ્યાંથી ઈમેલ મોકલવામાં આવ્યો હતો...


અમદાવાદની અનેક શાળાઓને મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 

થોડા દિવસો પહેલા દિલ્હીની અનેક શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી હતી.. આવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું.. અમદાવાદની 24 જટેલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી અને એ પણ લોકસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે.. 6 મેના રોજ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો મેલ મોકલાતા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો..  ધમકી મળતા જ પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.. જે સ્કૂને ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો ત્યાં બોમ્બ સ્કવોડની ટીમ પણ જતી રહી હતી ઉપરાંત આ મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો તે અંગેની તપાસ પણ શરૂ થઈ.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શું કરવામાં આવ્યો દાવો? 

આ મામલે આજે નવી માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના કેસમાં પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવ્યું છે... રશિયન સર્વરમાંથી આ ધમકી ભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા છે તેવું પ્રાથમિક તપાસ દરમિયાન કહેવામાં આવ્યું હતં ત્યારે હવે આ મામલે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. મહત્વનું છે કે દિલ્હીની અનેક શાળાઓને પણ આવા ધમકી ભરેલા ઈમેલ મોકલવામાં આવ્યા હતા.. આ મામલે અલગ અલગ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી... એવી પણ માહિતી સામે આવી છે કે આ મામલે તપાસ માટે સેન્ટ્રલ એજન્સીની મદદ પણ લેવામાં આવશે.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.