અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવા મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શું કર્યો મોટો દાવો? જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2024-05-10 13:10:03

લોકસભાની ચૂંટણી પહેલા અમદવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો.. ઈમેલ મળતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.. અને આ મામલે આજે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ આઈડી શોધી દેવામાં આવ્યું છે જ્યાંથી ઈમેલ મોકલવામાં આવ્યો હતો...


અમદાવાદની અનેક શાળાઓને મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 

થોડા દિવસો પહેલા દિલ્હીની અનેક શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી હતી.. આવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું.. અમદાવાદની 24 જટેલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી અને એ પણ લોકસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે.. 6 મેના રોજ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો મેલ મોકલાતા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો..  ધમકી મળતા જ પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.. જે સ્કૂને ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો ત્યાં બોમ્બ સ્કવોડની ટીમ પણ જતી રહી હતી ઉપરાંત આ મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો તે અંગેની તપાસ પણ શરૂ થઈ.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શું કરવામાં આવ્યો દાવો? 

આ મામલે આજે નવી માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના કેસમાં પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવ્યું છે... રશિયન સર્વરમાંથી આ ધમકી ભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા છે તેવું પ્રાથમિક તપાસ દરમિયાન કહેવામાં આવ્યું હતં ત્યારે હવે આ મામલે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. મહત્વનું છે કે દિલ્હીની અનેક શાળાઓને પણ આવા ધમકી ભરેલા ઈમેલ મોકલવામાં આવ્યા હતા.. આ મામલે અલગ અલગ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી... એવી પણ માહિતી સામે આવી છે કે આ મામલે તપાસ માટે સેન્ટ્રલ એજન્સીની મદદ પણ લેવામાં આવશે.. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?