અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવા મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શું કર્યો મોટો દાવો? જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2024-05-10 13:10:03

લોકસભાની ચૂંટણી પહેલા અમદવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો.. ઈમેલ મળતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.. અને આ મામલે આજે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ આઈડી શોધી દેવામાં આવ્યું છે જ્યાંથી ઈમેલ મોકલવામાં આવ્યો હતો...


અમદાવાદની અનેક શાળાઓને મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 

થોડા દિવસો પહેલા દિલ્હીની અનેક શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી હતી.. આવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું.. અમદાવાદની 24 જટેલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી અને એ પણ લોકસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે.. 6 મેના રોજ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો મેલ મોકલાતા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો..  ધમકી મળતા જ પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.. જે સ્કૂને ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો ત્યાં બોમ્બ સ્કવોડની ટીમ પણ જતી રહી હતી ઉપરાંત આ મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો તે અંગેની તપાસ પણ શરૂ થઈ.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શું કરવામાં આવ્યો દાવો? 

આ મામલે આજે નવી માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના કેસમાં પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવ્યું છે... રશિયન સર્વરમાંથી આ ધમકી ભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા છે તેવું પ્રાથમિક તપાસ દરમિયાન કહેવામાં આવ્યું હતં ત્યારે હવે આ મામલે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. મહત્વનું છે કે દિલ્હીની અનેક શાળાઓને પણ આવા ધમકી ભરેલા ઈમેલ મોકલવામાં આવ્યા હતા.. આ મામલે અલગ અલગ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી... એવી પણ માહિતી સામે આવી છે કે આ મામલે તપાસ માટે સેન્ટ્રલ એજન્સીની મદદ પણ લેવામાં આવશે.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે