અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવા મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શું કર્યો મોટો દાવો? જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2024-05-10 13:10:03

લોકસભાની ચૂંટણી પહેલા અમદવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો.. ઈમેલ મળતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.. અને આ મામલે આજે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ આઈડી શોધી દેવામાં આવ્યું છે જ્યાંથી ઈમેલ મોકલવામાં આવ્યો હતો...


અમદાવાદની અનેક શાળાઓને મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 

થોડા દિવસો પહેલા દિલ્હીની અનેક શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી હતી.. આવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું.. અમદાવાદની 24 જટેલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી અને એ પણ લોકસભા ચૂંટણીના એક દિવસ પૂર્વે.. 6 મેના રોજ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યો મેલ મોકલાતા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો..  ધમકી મળતા જ પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.. જે સ્કૂને ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો ત્યાં બોમ્બ સ્કવોડની ટીમ પણ જતી રહી હતી ઉપરાંત આ મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો તે અંગેની તપાસ પણ શરૂ થઈ.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શું કરવામાં આવ્યો દાવો? 

આ મામલે આજે નવી માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના કેસમાં પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવ્યું છે... રશિયન સર્વરમાંથી આ ધમકી ભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા છે તેવું પ્રાથમિક તપાસ દરમિયાન કહેવામાં આવ્યું હતં ત્યારે હવે આ મામલે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. મહત્વનું છે કે દિલ્હીની અનેક શાળાઓને પણ આવા ધમકી ભરેલા ઈમેલ મોકલવામાં આવ્યા હતા.. આ મામલે અલગ અલગ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી... એવી પણ માહિતી સામે આવી છે કે આ મામલે તપાસ માટે સેન્ટ્રલ એજન્સીની મદદ પણ લેવામાં આવશે.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.