અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, વટવામાંથી રૂ. 22.97 લાખના MD ડ્રગ્સ સાથે પેડલર્સની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-09-08 21:31:35

રાજ્યમાં નશાનો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે, રાજ્યમાં અવારનવાર નશાકારક દ્રવ્યોનો જથ્થો પકડાતો રહે છે. જો કે નથી પકડાતો તે જથ્થો કેટલો બધો હશે તે પણ એક મોટો સવાલ છે. આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરના વટવા વિસ્તારમાંથી રૂ. 22.97 લાખના ડ્રગ્સના જથ્થો પકડી પાડ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આ મોટી સફળતા છે. ક્રાઈમ બ્રાન્ચે વટવા વિસ્તારમાંથી રૂ. 22.97 લાખના ડ્રગ્સના જથ્થા સાથે મોટા ડીલરની ધરપકડ કરી છે, જે નાના-નાના પેડલર્સને આ ડ્રગ્સ પહોંચાડતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ વટવામાંથી એક આરોપી સાથે 229 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે રૂ. 22.97 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસને તેની પાસેથી રોકડ રકમ 12,900 મળી આવી હતી.


બાતમીના આધારે કાર્યવાહી


ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વટવા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ઝાકીર હુસેનના ઘરે દરોડો પાડ્યો હતો. ઝાકીરના ઘરની તલાસી લેતા કિચનમાં ફ્રીઝ નજીક કાળા કલરના થેલામાં પીળા રંગનો પાવડર મળી આવ્યો હતો. આ સાથે કેટલીક ઝીપ બેગ અને વજન કાંટો પણ પડ્યો હતો. જાકીર શેખ ઉર્ફે જીગો પાસે એમડી ડ્રગ્સ છે. જે આધારે જાકીર શેખ ઉર્ફે જીગાના ઘરે  સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે સર્ચ ઓપરેશનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને 229 ગ્રામ 700 મિલી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેની બજાર કિંમત 23 લાખ થવા પામે છે. 


ક્યાંથી આવ્યું MD ડ્ર્ગ્સ?


ઝાકીર શેખ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના દેવલદી ખાતેથી રહેતા ડ્રગ્સ માફિયા અમન પઠાણ પાસેથી ડ્રગ્સ ખરીદીને લાવ્યો હતો. જે બાદ આ ડ્રગ્સને દરિયાપુરમાં રહેતા લાલા સહિત અન્ય કેટલાક નાના પેડલર્સને વેચવા માટે પહોંચાડતો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે ઝાકીર હુસેન, અમન પઠાણ અને ડ્રગ્સ પેડલર્સ લાલા વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અગાઉ પણ જાકીર શેખ ઉર્ફે જીગો અનેક વખત એમડી ડ્રગ્સ ની ડિલિવરી મેળવી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ ફરાર  અમન પઠાણ શોધખોળ શરુ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે FSLની મદદ લીધી હતી. જેમાં પીળા રંગનો પાવડર એમડી ડ્રગ્સ હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે ઝાકીર હુસેનની ધરપકડ કરી હતી. 


આરોપી અગાઉ બુટલેગર હતો


અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાકીર શેખ પહેલા ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતો જેના તેના પર કેસ પણ થઇ ચુક્યા છે અને ત્યારબાદ ડ્રગ્સનો ધંધો એક માસથી જ શરૂ કર્યો હતો અને નાના પાર્સલ કરીને અમદવાદમાં અલગ અલગ સ્થળ પર વેચતો હતો. આરોપી વિરુદ્ધ અમદાવાદના કારંજ, વેજલપુર, કાલુપુર, રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે NDPSની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.