Ahmedabad ક્રાઇમ બ્રાન્ચએ વધુ એક નકલી અધિકારીને પકડ્યો! આ ભાઈએ તો Policeને પણ ના છોડ્યા!


  • Published By :
  • Published Date : 2024-09-10 18:44:34

કિરણ પટેલ આ નામ તો તમને યાદ જ હશે... કઈ રીતે કિરણભાઈ નકલી પીએમઓ અધિકારી બનીને કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવતો હતો હવે કિરણ પટેલને પણ સારો કહેવડાવે એવો નકલી અધિકારી પકડાયો છે..  તાજેતરમાં અમદાવાદમાં જુદી જુદી સરકારી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ભરત છાબડાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ભરતની મોડસ ઓપરેન્ડી મહાઠગ કિરણ પટેલને પણ પાછળ છોડી દે તેવી છે.  

કેવી રીતે સામે આવ્યો આખો કેસ?

કિરણ પટેલે તો નેતાઓને જ શીશામાં ઉતારતો પણ ભરતનું નેટવર્ક તો પોલિટિશિયન્સથી લઈ પોલીસ સુધી ફેલાયેલું છે. ભરત છાબડાએ જ્યારે જમ્મુમાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં સિક્યોરિટી સાથે પ્રવેશ કર્યો ત્યારે એક અધિકારીને શંકા ગઈ હતી. જેથી તેણે પીએમઓનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલો સામે આવ્યો. અને બાદમાં ક્રાઇમ બ્રાન્ચને ભરતની આખી કુંડળી મળી તે અમદાવાદ પોલીસને દારૂની માહિતી આપી રોકડી કરતો હતો અને હરિયાણામાં પોલીસકર્મીની બદલીમાં 5000થી 50,000 રૂપિયા સુધીની કટકી કરતો હતો. 



આવી ઓળખ આપતો!  

ભરત છાબડા ખોટો પ્રભાવ ઊભો કરવા પોતે CBI અને રો સાથે સંપર્કમાં, કેન્દ્રના ઉચ્ચ અધિકારીના સંપર્કમાં, રાજકીય સંપર્કમાં છું તેવી ઓળખ આપતો હતો. આરોપી હરિયાણામાં રહેતો હતો ત્યાં પણ ખોટા પ્રભાવ ઊભા કરીને લોકોને વિશ્વાસ અપાવતો હતો. અન્ય રાજ્યો અને બીજા જિલ્લામાં આ રીતે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હશે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.પછી ભેદ ઉકેલાશે!  



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.