Ahmedabad ક્રાઇમ બ્રાન્ચએ વધુ એક નકલી અધિકારીને પકડ્યો! આ ભાઈએ તો Policeને પણ ના છોડ્યા!


  • Published By :
  • Published Date : 2024-09-10 18:44:34

કિરણ પટેલ આ નામ તો તમને યાદ જ હશે... કઈ રીતે કિરણભાઈ નકલી પીએમઓ અધિકારી બનીને કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવતો હતો હવે કિરણ પટેલને પણ સારો કહેવડાવે એવો નકલી અધિકારી પકડાયો છે..  તાજેતરમાં અમદાવાદમાં જુદી જુદી સરકારી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ભરત છાબડાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ભરતની મોડસ ઓપરેન્ડી મહાઠગ કિરણ પટેલને પણ પાછળ છોડી દે તેવી છે.  

કેવી રીતે સામે આવ્યો આખો કેસ?

કિરણ પટેલે તો નેતાઓને જ શીશામાં ઉતારતો પણ ભરતનું નેટવર્ક તો પોલિટિશિયન્સથી લઈ પોલીસ સુધી ફેલાયેલું છે. ભરત છાબડાએ જ્યારે જમ્મુમાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં સિક્યોરિટી સાથે પ્રવેશ કર્યો ત્યારે એક અધિકારીને શંકા ગઈ હતી. જેથી તેણે પીએમઓનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલો સામે આવ્યો. અને બાદમાં ક્રાઇમ બ્રાન્ચને ભરતની આખી કુંડળી મળી તે અમદાવાદ પોલીસને દારૂની માહિતી આપી રોકડી કરતો હતો અને હરિયાણામાં પોલીસકર્મીની બદલીમાં 5000થી 50,000 રૂપિયા સુધીની કટકી કરતો હતો. 



આવી ઓળખ આપતો!  

ભરત છાબડા ખોટો પ્રભાવ ઊભો કરવા પોતે CBI અને રો સાથે સંપર્કમાં, કેન્દ્રના ઉચ્ચ અધિકારીના સંપર્કમાં, રાજકીય સંપર્કમાં છું તેવી ઓળખ આપતો હતો. આરોપી હરિયાણામાં રહેતો હતો ત્યાં પણ ખોટા પ્રભાવ ઊભા કરીને લોકોને વિશ્વાસ અપાવતો હતો. અન્ય રાજ્યો અને બીજા જિલ્લામાં આ રીતે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હશે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.પછી ભેદ ઉકેલાશે!  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી