સંસદમાં PM Modiએ આપેલા ભાષણને મોડીફાઈ કરી વાયરલ કરનાર વ્યક્તિને Ahmedabad Cyber Crime Branchએ ઝડપી પાડ્યો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-13 16:10:24

હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયાના જમાનામાં આસાનીથી અનેક વીડિયો વાયરલ થઈ જતા હોય છે. અનેક વખત એવું પણ બને છે કે તથ્ય જાણ્યા વગર અનેક લોકો વીડિયોને શેર કરી દેતા હોય છે. ત્યારે એક વીડિયો પીએમ મોદીનો વાયરલ થયો હતો જેમાં તે અનામતના વિરૂદ્ધમાં હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. એ ભાષણ વડાપ્રધાન મોદીએ સંસદમાં આપ્યું હતું 7 ફેબ્રુઆરીએ.. વાસ્તવમાં પીએમ મોદી જવાહરલાલ નહેરૂને લઈ વાત કરી રહ્યા હતા પરંતુ તે વીડિયોને કટ, કોપી અને એડિટ કરવામાં આવ્યો. ત્યારે તે એડિટેડ વીડિયોને વાયરલ કરવા બદલ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. 

પીએમ મોદીએ રાજ્યસભામાં અનામતને લઈ આપ્યું હતું ભાષણ!

જે ભાષણનો વીડિયો વાયરલ થયો હતો તે ભાષણમાં પીએમ મોદીએ અનામત વિશે વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે જવાહરલાલ નહેરૂનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જવાહરલાલ નહેરૂ અનામતના વિરૂદ્ધમાં હતા. જવાહરલાલ નહેરૂનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમણે રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે  “મને કોઈપણ પ્રકારનું રિઝર્વેશન પસંદ નથી, ખાસ કરીને સેવાઓમાં. હું બિનકાર્યક્ષમતા અને બીજા-દરના ધોરણો તરફ દોરી જાય તેવી કોઈપણ બાબતની સખત વિરુદ્ધ છું” પરંતુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ હતો જે એડિટેક હતો અને તેમાં એવું દર્શાવવામાં આવ્યું કે પીએમ મોદી અનામતના વિરૂદ્ધમાં છે. પરંતુ વાસ્તવમાં તે જવાહરલાલ નહેરૂ અંગે વાત કરી રહ્યા હતા. ત્યારે આ એડિટેડ વીડિયોને વાયરલ કરવા બદલ અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે મહેન્દ્રભાઈ ડોડીયાને પકડી લીધા છે.    



સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પીએમ મોદીનો એડિટેક વીડિયો!

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા અનેક વખત શાંતિપૂર્ણ વાતાવરણને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આવું અનેક વખત કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા સંસદની કાર્યવાહી પૂર્ણ થઈ હતી. 7 ફેબ્રુઆરીમાં જ્યારે રાજ્યસભામાં પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું ત્યારે તેમણે અનામતને લઈ વાત કરી હતી. તે બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે પીએમ મોદીના ભાષણનો હતો પરંતુ એડિટેક હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ વાયરલ વીડિયોને લઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી.અને તે ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહેન્દ્રભાઈ ડોડીયાને પકડી લીધા છે.    


ફેક્ટ ચેક કર્યા વગર આપણે ના કરીએ કોઈ વીડિયો શેર!

મહત્વનું છે કે સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે. ખોટી વસ્તુઓ, ખોટી માહિતી પણ અનેક વખત વાયરલ થઈ જતી હોય છે અને Fact ચેક કર્યા વગર  લોકો તેને શેર પણ કરી લેતા હોય છે. ત્યારે કોઈ પણ વીડિયોને શેર કરતા પહેલા આપણે પણ તે વીડિયો અંગેની પુષ્ટી કરીએ. ખોટી વસ્તુ આપણે શેર ના કરીએ તેનું ધ્યાન રાખીએ.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.