Vadodara દુર્ઘટના બાદ અમદાવાદ DEOએ શાળાને આપ્યા આદેશ! જો પરવાનગી વગર પ્રવાસનું આયોજન કરાયું તો...., જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-01-27 13:15:00

થોડા દિવસ પહેલા વડોદરાના હરણી લેકમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ પલટી જવાને કારણે નાના ભૂલકાઓ અને શિક્ષકો મૃત્યુને ભેટ્યા હતા. અનેક ભૂલકાઓના જીવ ગયા બાદ તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્ટિવ મોડમાં આવ્યા છે. પ્રવાસ અંગે લાપરવાહી નહીં ચલાવવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. બાળકોને પ્રવાસ લઈ જતા પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.

વડોદરા બોટ દુર્ઘટના, આ મામલે એફઆઈઆર માં 18 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે  - Vadodara Boat Tragedy FIR registered against 18 people what charges laid


વડોદરા દુર્ઘટના બાદ એક્શન મોડમાં દેખાયું શિક્ષણ વિભાગ! 

શાળામાંથી બાળકોને પીકનીક લઈ જવામાં આવે છે. ફરવા માટેનો ઉત્સાહ બાળકોમાં હોય છે. પરંતુ અનેક વખત બહાર ગયેલા બાળકો ઘરે પાછા નથી આવતા, દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે. તાજેતરમાં બનેલી ઘટના આનું પ્રત્યક્ષ ઉદાહરમ છે. પીકનીક માટે ગયેલા બાળકો નિશ્ચેતન થઈને ઘરે આવ્યા હતા. આ દુર્ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ દુર્ઘટનાને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહી રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આગામી દિવસોમાં આવી દુર્ઘટના ટળી શકે તે માટે કાર્યો કરવામાં આવી રહ્યા છે.

Vadodara: Paresh Shah was arrested in the Vadodara boat accident | Vadodara:  વડોદરા બોટ દુર્ઘટના મામલે SITને મળી મોટી સફળતા, મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો

પ્રવાસ પર લઈ જતા પહેલા પરવાનગી લેવી કરાઈ ફરજિયાત! 

વડોદરા દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે પીકનીક પર લઈ જતા પહેલા પરવાનગી લેવી પડશે. શાળા બાળકોના પ્રવાસનું આયોજન કરે તોતે  પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે. અને જો મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરવામાં આવશે તો શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી છે. કોઈ પણ લાપરવાહી નહીં ચલાવી લેવામાં આવે તેવી વાત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે. 


દુર્ઘટનામાંથી નથી લેતા બોધપાઠ!

તંત્ર સફાળું જાગ્યું છે તે વાત સારી છે પરંતુ અચાનક જાગેલું તંત્ર ગમે ત્યારે સૂઈ જાય છે. દુર્ઘટના સર્જાય તેના થોડા દિવસો સુધી આવી કાર્યવાહી, આવા આદેશો કરવામાં આવે છે, આગામી દિવસોમાં આવી દુર્ઘટના ન સર્જાય તેવું ધ્યાન રાખીશું જેવી વાતો કરવામાં આવે છે પરંતુ આવી કાર્યવાહી થોડા દિવસો બાદ બંધ થઈ જતી હોય છે. થોડા દિવસો બાદ આવી દુર્ઘટના લોકો પણ ભૂલી જતા હોય છે અને પછી તંત્ર પણ ભૂલી જાય છે...! 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"