Vadodara દુર્ઘટના બાદ અમદાવાદ DEOએ શાળાને આપ્યા આદેશ! જો પરવાનગી વગર પ્રવાસનું આયોજન કરાયું તો...., જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-01-27 13:15:00

થોડા દિવસ પહેલા વડોદરાના હરણી લેકમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ પલટી જવાને કારણે નાના ભૂલકાઓ અને શિક્ષકો મૃત્યુને ભેટ્યા હતા. અનેક ભૂલકાઓના જીવ ગયા બાદ તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્ટિવ મોડમાં આવ્યા છે. પ્રવાસ અંગે લાપરવાહી નહીં ચલાવવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. બાળકોને પ્રવાસ લઈ જતા પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.

વડોદરા બોટ દુર્ઘટના, આ મામલે એફઆઈઆર માં 18 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે  - Vadodara Boat Tragedy FIR registered against 18 people what charges laid


વડોદરા દુર્ઘટના બાદ એક્શન મોડમાં દેખાયું શિક્ષણ વિભાગ! 

શાળામાંથી બાળકોને પીકનીક લઈ જવામાં આવે છે. ફરવા માટેનો ઉત્સાહ બાળકોમાં હોય છે. પરંતુ અનેક વખત બહાર ગયેલા બાળકો ઘરે પાછા નથી આવતા, દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે. તાજેતરમાં બનેલી ઘટના આનું પ્રત્યક્ષ ઉદાહરમ છે. પીકનીક માટે ગયેલા બાળકો નિશ્ચેતન થઈને ઘરે આવ્યા હતા. આ દુર્ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ દુર્ઘટનાને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહી રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આગામી દિવસોમાં આવી દુર્ઘટના ટળી શકે તે માટે કાર્યો કરવામાં આવી રહ્યા છે.

Vadodara: Paresh Shah was arrested in the Vadodara boat accident | Vadodara:  વડોદરા બોટ દુર્ઘટના મામલે SITને મળી મોટી સફળતા, મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો

પ્રવાસ પર લઈ જતા પહેલા પરવાનગી લેવી કરાઈ ફરજિયાત! 

વડોદરા દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે પીકનીક પર લઈ જતા પહેલા પરવાનગી લેવી પડશે. શાળા બાળકોના પ્રવાસનું આયોજન કરે તોતે  પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે. અને જો મંજૂરી વગર પ્રવાસનું આયોજન કરવામાં આવશે તો શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી છે. કોઈ પણ લાપરવાહી નહીં ચલાવી લેવામાં આવે તેવી વાત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે. 


દુર્ઘટનામાંથી નથી લેતા બોધપાઠ!

તંત્ર સફાળું જાગ્યું છે તે વાત સારી છે પરંતુ અચાનક જાગેલું તંત્ર ગમે ત્યારે સૂઈ જાય છે. દુર્ઘટના સર્જાય તેના થોડા દિવસો સુધી આવી કાર્યવાહી, આવા આદેશો કરવામાં આવે છે, આગામી દિવસોમાં આવી દુર્ઘટના ન સર્જાય તેવું ધ્યાન રાખીશું જેવી વાતો કરવામાં આવે છે પરંતુ આવી કાર્યવાહી થોડા દિવસો બાદ બંધ થઈ જતી હોય છે. થોડા દિવસો બાદ આવી દુર્ઘટના લોકો પણ ભૂલી જતા હોય છે અને પછી તંત્ર પણ ભૂલી જાય છે...! 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે