મેદાન વગરની શાળાઓ સામે અમદાવાદ DEOનું આકરૂ વલણ, સ્કૂલો પાસે વિગતો માગવામાં આવી


  • Published By :
  • Published Date : 2023-07-12 14:18:30

ગુજરાત સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા કરે છે પણ હકીકત એ છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે કથળી રહ્યું છે. શિક્ષણનું વ્યાપારીકરણ થતાં શાળાઓમાં અપાતી સુવિધાઓ તરફ પણ દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સેંકડો શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન પણ નથી. અમદાવાદ શહેરમાં પણ આવી અનેક સ્કૂલો છે, શિક્ષણાધિકારીઓએ અનેક વખત હુકમો કર્યા તેમ છતાં પણ તેનો કોઈ જ અમલ થતો નથી. જો કે હવે આવી શાળાઓ સામે આકરૂ વલણ અપનાવવામાં આવશે. અમદાવાદ DEO દ્વારા તમામ શાળાઓની વિગતો માગવામાં આવી છે. 


અમદાવાદ DEOએ માંગ્યો રિપોર્ટ


વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે શાળાઓમાં મોટું મેદાન હોવું અનિવાર્ય છે. જો કે અમદાવાદમાં ઘણી શાળાઓ એવી છે કે જે કોઈ જે સરકારના કોઈ જ નિયમોનું પાલન કરતી નથી. અમદાવાદમાં મેદાન વગરની શાળાઓ સામે હવે પગલાં લેવામાં આવશે તેવી જાણકારી મળી છે. અમદાવાદ DEO દ્વારા તમામ શાળાઓની વિગતો માગવામાં આવી છે. શાળાઓ પાસે મેદાન છે કે નહીં અને વૈકલ્પિક વ્યવસ્થા છે કે નહીં તેની વિગતો માગવામાં આવી છે. શાળાઓમાં નિયમ પ્રમાણે મેદાન વગરની શાળાઓએ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે. અનેક શાળાઓ દ્વારા મેદાનની વ્યવસ્થા ન કરાતા સ્પોર્ટ્સ એક્ટિવીટી થઈ શકતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓનો વિકાસ અટકે છે. ત્યારે હવે જલ્દી જ આ શાળાઓમાંથી મેદાન ન ધરાવતી શાળાઓ પર કાર્યવાહી થઇ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.


ફોર્મભરી આપવી પડશે વિગત


અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાબાની તમામ શાળાઓ પાસેથી મેદાનને લગતી વિગતો મગાવવામાં આવી છે. તમામ શાળાઓને ગુગલ ફોર્મમાં મેદાન અંગેની વિગતો મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે. જેમાં સ્કૂલની તમામ વિગતો માંગવામાં આવી છે અને તેની સાથે સ્કૂલ પાસે પોતાનું મેદાન છે અથવા તો સ્કૂલ દ્વારા રમતગમતના મેદાનની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અથવા તો રમત ગમતના મેદાન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી નથી આ ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે જણાવાયું છે. જેથી આગામી દિવસોમાં શિક્ષણાધિકારી પાસે મેદાન વગરની સ્કૂલની માહિતી આવી જશે. નિયમ અનુસાર શાળાઓ પાસે મેદાન હોવું જરૂરી છે અને મેદાન ન હોય તો વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.