Ahmedabad : ડો. વૈશાલી જોશી કેસમાં આવી મોટી અપડેટ, પોલીસે પીઆઈ ખાચર વિરૂદ્ધ આટલા દિવસો બાદ નોંધી ફરિયાદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-15 17:34:08

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ડોક્ટર મહિલાએ પોતાની સ્યુસાઈડ નોટમાં પીઆઈ ખાચરના નામનો ઉલ્લેખ કર્યો હતો. પીઆઈ ખાચરના પ્રેમમાં ડો. વૈશાલી જોશી પડ્યા હતા. પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા તેમ છતાંય તેમણે ડો.વૈશાલી જોશીને પ્રેમ જાળમાં ફસાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારે મહિલા ડોક્ટરને ખબર ન હતી પરંતુ તે બાદ તેને આ વાતની જાણ થઈ. પીઆઈને મળવા માટે તે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ તે મળ્યા નહીં. પીઆઈએ તેમને ઈગ્નોર કર્યા. જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ફરાર છે, અનેક દિવસો વિત્યા છતાંય પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં ના આવી હતી પરંતુ અંતે પોલીસે પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

પરણિત હોવા છતાંય પીઆઈએ રાખ્યો ડો.વૈશાલી સાથે સંબંધ!

એસ્ટ્રા મેરિટીયલ અફેરના અનેક કિસ્સાઓ આપણી સામે છે. પત્ની હોવા છતાંય બીજાને પ્રેમમાં ફસાવે છે. ડો. વૈશાલી જોશી કેસમાં પણ એવું જ થયું, પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા પરંતુ તો પણ તેમણે ડો.વૈશાલી સાથે સંબંધ રાખ્યો એ પણ અનેક વર્ષો સુધી. લગભગ ચાર વર્ષથી બંને એકબીજા સાથે પ્રેમસંબંધમાં હતા. એવી માહિતી સામે આવી છે કે વૈશાલી જોશીને ખબર ન હતી કે તે પરણિત છે પરંતુ જ્યારે ખબર પડી ત્યારે તે પીઆઈને મળવા માટે ગયા, પરંતુ તે વખતે પણ તે ના મળ્યા. જો મળ્યા હોત તો ડો. વૈશાલી જોશીએ આ કદમ ના ઉઠાવ્યો હોત. કારણ કે વૈશાલી જોશીના પિતાએ તો પહેલેથી જ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ઉપરાંત નથી તો ભાઈ. માત્ર માતા અને બહેન છે. બહેન પણ વિદેશમાં છે. 


પોલીસે નોંધી પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ!

તો બીજી તરફ આ કેસને લઈ પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. અનેક લોકોનું આ કેસને લઈ નિવેદન પોલીસે નોંધ્યું છે. વૈશાલી જોશીના પરિવારના સભ્યોનું નિવેદન લેવા માટે પોલીસ તેમના વતને પહોંચી હતી. દીકરીને ન્યાય અપાવવા માટે સમાજ એક થયો હતો. ન્યાય મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવશે. મહત્વનું છે કે જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર ફરાર હતો. નોટમાં પીઆઈ ખાચરનું નામ હોવા છતાંય પોલીસે પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કેમ ના કરી? પોલીસે પીઆઈ પર રહેમ નજર રાખી હોય તેવા અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ અંતે પોલીસે પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિચાદ નોંધી છે.  

 


આત્મહત્યા કરતા પહેલા પોતાના પરિવારનું પણ નથી વિચારતા લોકો! 

પ્રેમમાં નિષ્ફળતા મેળવનાર અનેક લોકો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. પ્રેમમાં પાગલ થયેલા લોકો એક વખત પણ એવું નથી વિચારતા કે તેમના ગયા પછી તેમના પરિવારનું શું થશે? પરિવારના સભ્યોનું પણ તે નતી વિચારતા. તેમના માતા પિતા અંગે પણ નથી વિચારતા કે તેમના પર શું વિતશે જ્યારે તેમના સંતાનનો મૃતદેહ તે જોશે. પ્રેમમાં નિષ્ફળતા વ્યક્તિએ એક વાર તો પોતાના પરિવાર વિશે વિચારવું પડશે.    



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...