Ahmedabad : ડો. વૈશાલી જોશી કેસમાં આવી મોટી અપડેટ, પોલીસે પીઆઈ ખાચર વિરૂદ્ધ આટલા દિવસો બાદ નોંધી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2024-03-15 17:34:08

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ડોક્ટર મહિલાએ પોતાની સ્યુસાઈડ નોટમાં પીઆઈ ખાચરના નામનો ઉલ્લેખ કર્યો હતો. પીઆઈ ખાચરના પ્રેમમાં ડો. વૈશાલી જોશી પડ્યા હતા. પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા તેમ છતાંય તેમણે ડો.વૈશાલી જોશીને પ્રેમ જાળમાં ફસાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારે મહિલા ડોક્ટરને ખબર ન હતી પરંતુ તે બાદ તેને આ વાતની જાણ થઈ. પીઆઈને મળવા માટે તે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ તે મળ્યા નહીં. પીઆઈએ તેમને ઈગ્નોર કર્યા. જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ફરાર છે, અનેક દિવસો વિત્યા છતાંય પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં ના આવી હતી પરંતુ અંતે પોલીસે પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

પરણિત હોવા છતાંય પીઆઈએ રાખ્યો ડો.વૈશાલી સાથે સંબંધ!

એસ્ટ્રા મેરિટીયલ અફેરના અનેક કિસ્સાઓ આપણી સામે છે. પત્ની હોવા છતાંય બીજાને પ્રેમમાં ફસાવે છે. ડો. વૈશાલી જોશી કેસમાં પણ એવું જ થયું, પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા પરંતુ તો પણ તેમણે ડો.વૈશાલી સાથે સંબંધ રાખ્યો એ પણ અનેક વર્ષો સુધી. લગભગ ચાર વર્ષથી બંને એકબીજા સાથે પ્રેમસંબંધમાં હતા. એવી માહિતી સામે આવી છે કે વૈશાલી જોશીને ખબર ન હતી કે તે પરણિત છે પરંતુ જ્યારે ખબર પડી ત્યારે તે પીઆઈને મળવા માટે ગયા, પરંતુ તે વખતે પણ તે ના મળ્યા. જો મળ્યા હોત તો ડો. વૈશાલી જોશીએ આ કદમ ના ઉઠાવ્યો હોત. કારણ કે વૈશાલી જોશીના પિતાએ તો પહેલેથી જ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ઉપરાંત નથી તો ભાઈ. માત્ર માતા અને બહેન છે. બહેન પણ વિદેશમાં છે. 


પોલીસે નોંધી પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ!

તો બીજી તરફ આ કેસને લઈ પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. અનેક લોકોનું આ કેસને લઈ નિવેદન પોલીસે નોંધ્યું છે. વૈશાલી જોશીના પરિવારના સભ્યોનું નિવેદન લેવા માટે પોલીસ તેમના વતને પહોંચી હતી. દીકરીને ન્યાય અપાવવા માટે સમાજ એક થયો હતો. ન્યાય મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવશે. મહત્વનું છે કે જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર ફરાર હતો. નોટમાં પીઆઈ ખાચરનું નામ હોવા છતાંય પોલીસે પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કેમ ના કરી? પોલીસે પીઆઈ પર રહેમ નજર રાખી હોય તેવા અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ અંતે પોલીસે પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિચાદ નોંધી છે.  

 


આત્મહત્યા કરતા પહેલા પોતાના પરિવારનું પણ નથી વિચારતા લોકો! 

પ્રેમમાં નિષ્ફળતા મેળવનાર અનેક લોકો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. પ્રેમમાં પાગલ થયેલા લોકો એક વખત પણ એવું નથી વિચારતા કે તેમના ગયા પછી તેમના પરિવારનું શું થશે? પરિવારના સભ્યોનું પણ તે નતી વિચારતા. તેમના માતા પિતા અંગે પણ નથી વિચારતા કે તેમના પર શું વિતશે જ્યારે તેમના સંતાનનો મૃતદેહ તે જોશે. પ્રેમમાં નિષ્ફળતા વ્યક્તિએ એક વાર તો પોતાના પરિવાર વિશે વિચારવું પડશે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.