Ahmedabad : ડો. વૈશાલી જોશી કેસમાં આવી મોટી અપડેટ, પોલીસે પીઆઈ ખાચર વિરૂદ્ધ આટલા દિવસો બાદ નોંધી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2024-03-15 17:34:08

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ડોક્ટર મહિલાએ પોતાની સ્યુસાઈડ નોટમાં પીઆઈ ખાચરના નામનો ઉલ્લેખ કર્યો હતો. પીઆઈ ખાચરના પ્રેમમાં ડો. વૈશાલી જોશી પડ્યા હતા. પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા તેમ છતાંય તેમણે ડો.વૈશાલી જોશીને પ્રેમ જાળમાં ફસાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારે મહિલા ડોક્ટરને ખબર ન હતી પરંતુ તે બાદ તેને આ વાતની જાણ થઈ. પીઆઈને મળવા માટે તે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ તે મળ્યા નહીં. પીઆઈએ તેમને ઈગ્નોર કર્યા. જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ફરાર છે, અનેક દિવસો વિત્યા છતાંય પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં ના આવી હતી પરંતુ અંતે પોલીસે પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

પરણિત હોવા છતાંય પીઆઈએ રાખ્યો ડો.વૈશાલી સાથે સંબંધ!

એસ્ટ્રા મેરિટીયલ અફેરના અનેક કિસ્સાઓ આપણી સામે છે. પત્ની હોવા છતાંય બીજાને પ્રેમમાં ફસાવે છે. ડો. વૈશાલી જોશી કેસમાં પણ એવું જ થયું, પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા પરંતુ તો પણ તેમણે ડો.વૈશાલી સાથે સંબંધ રાખ્યો એ પણ અનેક વર્ષો સુધી. લગભગ ચાર વર્ષથી બંને એકબીજા સાથે પ્રેમસંબંધમાં હતા. એવી માહિતી સામે આવી છે કે વૈશાલી જોશીને ખબર ન હતી કે તે પરણિત છે પરંતુ જ્યારે ખબર પડી ત્યારે તે પીઆઈને મળવા માટે ગયા, પરંતુ તે વખતે પણ તે ના મળ્યા. જો મળ્યા હોત તો ડો. વૈશાલી જોશીએ આ કદમ ના ઉઠાવ્યો હોત. કારણ કે વૈશાલી જોશીના પિતાએ તો પહેલેથી જ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ઉપરાંત નથી તો ભાઈ. માત્ર માતા અને બહેન છે. બહેન પણ વિદેશમાં છે. 


પોલીસે નોંધી પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ!

તો બીજી તરફ આ કેસને લઈ પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. અનેક લોકોનું આ કેસને લઈ નિવેદન પોલીસે નોંધ્યું છે. વૈશાલી જોશીના પરિવારના સભ્યોનું નિવેદન લેવા માટે પોલીસ તેમના વતને પહોંચી હતી. દીકરીને ન્યાય અપાવવા માટે સમાજ એક થયો હતો. ન્યાય મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવશે. મહત્વનું છે કે જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર ફરાર હતો. નોટમાં પીઆઈ ખાચરનું નામ હોવા છતાંય પોલીસે પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કેમ ના કરી? પોલીસે પીઆઈ પર રહેમ નજર રાખી હોય તેવા અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ અંતે પોલીસે પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિચાદ નોંધી છે.  

 


આત્મહત્યા કરતા પહેલા પોતાના પરિવારનું પણ નથી વિચારતા લોકો! 

પ્રેમમાં નિષ્ફળતા મેળવનાર અનેક લોકો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. પ્રેમમાં પાગલ થયેલા લોકો એક વખત પણ એવું નથી વિચારતા કે તેમના ગયા પછી તેમના પરિવારનું શું થશે? પરિવારના સભ્યોનું પણ તે નતી વિચારતા. તેમના માતા પિતા અંગે પણ નથી વિચારતા કે તેમના પર શું વિતશે જ્યારે તેમના સંતાનનો મૃતદેહ તે જોશે. પ્રેમમાં નિષ્ફળતા વ્યક્તિએ એક વાર તો પોતાના પરિવાર વિશે વિચારવું પડશે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.