Ahmedabad : ડો. વૈશાલી જોશી કેસમાં આવી મોટી અપડેટ, પોલીસે પીઆઈ ખાચર વિરૂદ્ધ આટલા દિવસો બાદ નોંધી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2024-03-15 17:34:08

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ડોક્ટર મહિલાએ પોતાની સ્યુસાઈડ નોટમાં પીઆઈ ખાચરના નામનો ઉલ્લેખ કર્યો હતો. પીઆઈ ખાચરના પ્રેમમાં ડો. વૈશાલી જોશી પડ્યા હતા. પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા તેમ છતાંય તેમણે ડો.વૈશાલી જોશીને પ્રેમ જાળમાં ફસાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારે મહિલા ડોક્ટરને ખબર ન હતી પરંતુ તે બાદ તેને આ વાતની જાણ થઈ. પીઆઈને મળવા માટે તે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ તે મળ્યા નહીં. પીઆઈએ તેમને ઈગ્નોર કર્યા. જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ફરાર છે, અનેક દિવસો વિત્યા છતાંય પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં ના આવી હતી પરંતુ અંતે પોલીસે પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

પરણિત હોવા છતાંય પીઆઈએ રાખ્યો ડો.વૈશાલી સાથે સંબંધ!

એસ્ટ્રા મેરિટીયલ અફેરના અનેક કિસ્સાઓ આપણી સામે છે. પત્ની હોવા છતાંય બીજાને પ્રેમમાં ફસાવે છે. ડો. વૈશાલી જોશી કેસમાં પણ એવું જ થયું, પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા પરંતુ તો પણ તેમણે ડો.વૈશાલી સાથે સંબંધ રાખ્યો એ પણ અનેક વર્ષો સુધી. લગભગ ચાર વર્ષથી બંને એકબીજા સાથે પ્રેમસંબંધમાં હતા. એવી માહિતી સામે આવી છે કે વૈશાલી જોશીને ખબર ન હતી કે તે પરણિત છે પરંતુ જ્યારે ખબર પડી ત્યારે તે પીઆઈને મળવા માટે ગયા, પરંતુ તે વખતે પણ તે ના મળ્યા. જો મળ્યા હોત તો ડો. વૈશાલી જોશીએ આ કદમ ના ઉઠાવ્યો હોત. કારણ કે વૈશાલી જોશીના પિતાએ તો પહેલેથી જ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ઉપરાંત નથી તો ભાઈ. માત્ર માતા અને બહેન છે. બહેન પણ વિદેશમાં છે. 


પોલીસે નોંધી પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ!

તો બીજી તરફ આ કેસને લઈ પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. અનેક લોકોનું આ કેસને લઈ નિવેદન પોલીસે નોંધ્યું છે. વૈશાલી જોશીના પરિવારના સભ્યોનું નિવેદન લેવા માટે પોલીસ તેમના વતને પહોંચી હતી. દીકરીને ન્યાય અપાવવા માટે સમાજ એક થયો હતો. ન્યાય મળે તે માટે આવેદન પત્ર આપવામાં આવશે. મહત્વનું છે કે જ્યારથી આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર ફરાર હતો. નોટમાં પીઆઈ ખાચરનું નામ હોવા છતાંય પોલીસે પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કેમ ના કરી? પોલીસે પીઆઈ પર રહેમ નજર રાખી હોય તેવા અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ અંતે પોલીસે પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિચાદ નોંધી છે.  

 


આત્મહત્યા કરતા પહેલા પોતાના પરિવારનું પણ નથી વિચારતા લોકો! 

પ્રેમમાં નિષ્ફળતા મેળવનાર અનેક લોકો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. પ્રેમમાં પાગલ થયેલા લોકો એક વખત પણ એવું નથી વિચારતા કે તેમના ગયા પછી તેમના પરિવારનું શું થશે? પરિવારના સભ્યોનું પણ તે નતી વિચારતા. તેમના માતા પિતા અંગે પણ નથી વિચારતા કે તેમના પર શું વિતશે જ્યારે તેમના સંતાનનો મૃતદેહ તે જોશે. પ્રેમમાં નિષ્ફળતા વ્યક્તિએ એક વાર તો પોતાના પરિવાર વિશે વિચારવું પડશે.    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે