Ahmedabad : ડમ્પર ચાલકો બન્યા બેફામ, કચરો લઈ જતા ડમ્પરે આટલા લોકોને કર્યા ઈજાગ્રસ્ત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-31 16:52:37

કોઈ વખત એસટી બસની અડફેટે લોકો આવે છે તો કોઈ વખત ડમ્પરની અડફેટે લોકો આવી રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા છે. સલામત ગણાતી સવારી અનેક વખત અસલામત સાબિત થતી હોય છે. ન માત્ર એસટી બસ પરંતુ ડમ્પરની અડફેટે પણ લોકો આવે છે અને ઈજા પામે છે. ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. અન્યના જીવનને જોખમમાં મૂકે છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનો કચરો લઈને જઈ રહેલા ડમ્પરે 6 વાહનોને અડફેટે લીધા છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એક મહિલાને પોતાનો હાથ ગુમાવવો પડ્યો છે તેવી પણ માહિતી સામે આવી રહી છે.

ડમ્પર ચાલકે ત્રણ લોકોને લીધા અડફેટે 

સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલે છે. શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ રહે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું. ઘર-ઘરથી કચરો એકત્રિત કરવા માટે પણ વાહનો આવે છે. ડમ્પર કચરાને લઈ જવાનું કામ કરે છે પરંતુ અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ડમ્પર ચાલકો બેફામ ડ્રાઈવિંગ કરે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. અનેક લોકો ડમ્પરની અડફેટે આવ્યા છે તેવા સમાચારો સામે આવ્યા હતા ત્યારે આવો વધુ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં ડમ્પર ચાલકે 6 જેટલા વાહનોને અડફેટે લીધા છે જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે જ્યારે એક મહિલાનો હાથ કપાઈ ગયો છે તેવી વાત સામે આવી છે. 


આ જગ્યા પર સર્જાઈ દુર્ઘટના 

જે ઘટનાની વાત કરીએ છીએ તે ઘટના જસોદાનગર ચાર રસ્તા પાસે કચરો લઈને એએમસીનું ડમ્પર જઈ રહ્યું હતું જ્યારે કેડિલા બ્રિજ ઉતરતી વખતે વાહનો અડફેટે આવ્યા હતા. બે કાર, રિક્ષા અને ત્રણ વાહનો ડમ્પરે પોતાની અડફેટે લીધા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે વાહનોને 100 ફૂટ સુધી ઢસડ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે. જો આ ઈજાગ્રસ્તમાંથી કોઈનું મોત થશે તો જવાબદાર કોણ તેનો સવાલ છે.


એસટી બસના ચાલકો પણ બન્યા છે બેફામ 

ડમ્પરે જ્યારે વાહનચાલકોને અડફેટે લીધા તે બાદ સ્થાનિકોએ ડમ્પર પર પથ્થરમારો કર્યો હતો. લોકો એકઠા થયા અને ડમ્પર ચાલકને પકડવાનો પ્રયત્ન કર્યો. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા, ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકોએ તેને પકડી પાડ્યો છે તેવી માહિતી સામે આવી છે અને તેને પોલીસના હવાલે કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અનેક વખત ન માત્ર ડમ્પર પરંતુ એસટી બસના ડ્રાઈવરો પણ બેફામ બન્યા છે. એસટી બસના ડ્રાઈવરોને જાણે કાયદાનો ડર ન હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.