Ahmedabad : ડમ્પર ચાલકો બન્યા બેફામ, કચરો લઈ જતા ડમ્પરે આટલા લોકોને કર્યા ઈજાગ્રસ્ત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-31 16:52:37

કોઈ વખત એસટી બસની અડફેટે લોકો આવે છે તો કોઈ વખત ડમ્પરની અડફેટે લોકો આવી રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા છે. સલામત ગણાતી સવારી અનેક વખત અસલામત સાબિત થતી હોય છે. ન માત્ર એસટી બસ પરંતુ ડમ્પરની અડફેટે પણ લોકો આવે છે અને ઈજા પામે છે. ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. અન્યના જીવનને જોખમમાં મૂકે છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનો કચરો લઈને જઈ રહેલા ડમ્પરે 6 વાહનોને અડફેટે લીધા છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એક મહિલાને પોતાનો હાથ ગુમાવવો પડ્યો છે તેવી પણ માહિતી સામે આવી રહી છે.

ડમ્પર ચાલકે ત્રણ લોકોને લીધા અડફેટે 

સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલે છે. શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ રહે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું. ઘર-ઘરથી કચરો એકત્રિત કરવા માટે પણ વાહનો આવે છે. ડમ્પર કચરાને લઈ જવાનું કામ કરે છે પરંતુ અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ડમ્પર ચાલકો બેફામ ડ્રાઈવિંગ કરે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. અનેક લોકો ડમ્પરની અડફેટે આવ્યા છે તેવા સમાચારો સામે આવ્યા હતા ત્યારે આવો વધુ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં ડમ્પર ચાલકે 6 જેટલા વાહનોને અડફેટે લીધા છે જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે જ્યારે એક મહિલાનો હાથ કપાઈ ગયો છે તેવી વાત સામે આવી છે. 


આ જગ્યા પર સર્જાઈ દુર્ઘટના 

જે ઘટનાની વાત કરીએ છીએ તે ઘટના જસોદાનગર ચાર રસ્તા પાસે કચરો લઈને એએમસીનું ડમ્પર જઈ રહ્યું હતું જ્યારે કેડિલા બ્રિજ ઉતરતી વખતે વાહનો અડફેટે આવ્યા હતા. બે કાર, રિક્ષા અને ત્રણ વાહનો ડમ્પરે પોતાની અડફેટે લીધા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે વાહનોને 100 ફૂટ સુધી ઢસડ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે. જો આ ઈજાગ્રસ્તમાંથી કોઈનું મોત થશે તો જવાબદાર કોણ તેનો સવાલ છે.


એસટી બસના ચાલકો પણ બન્યા છે બેફામ 

ડમ્પરે જ્યારે વાહનચાલકોને અડફેટે લીધા તે બાદ સ્થાનિકોએ ડમ્પર પર પથ્થરમારો કર્યો હતો. લોકો એકઠા થયા અને ડમ્પર ચાલકને પકડવાનો પ્રયત્ન કર્યો. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા, ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકોએ તેને પકડી પાડ્યો છે તેવી માહિતી સામે આવી છે અને તેને પોલીસના હવાલે કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અનેક વખત ન માત્ર ડમ્પર પરંતુ એસટી બસના ડ્રાઈવરો પણ બેફામ બન્યા છે. એસટી બસના ડ્રાઈવરોને જાણે કાયદાનો ડર ન હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.