Ahmedabad : ડમ્પર ચાલકો બન્યા બેફામ, કચરો લઈ જતા ડમ્પરે આટલા લોકોને કર્યા ઈજાગ્રસ્ત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-31 16:52:37

કોઈ વખત એસટી બસની અડફેટે લોકો આવે છે તો કોઈ વખત ડમ્પરની અડફેટે લોકો આવી રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા છે. સલામત ગણાતી સવારી અનેક વખત અસલામત સાબિત થતી હોય છે. ન માત્ર એસટી બસ પરંતુ ડમ્પરની અડફેટે પણ લોકો આવે છે અને ઈજા પામે છે. ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. અન્યના જીવનને જોખમમાં મૂકે છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનો કચરો લઈને જઈ રહેલા ડમ્પરે 6 વાહનોને અડફેટે લીધા છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એક મહિલાને પોતાનો હાથ ગુમાવવો પડ્યો છે તેવી પણ માહિતી સામે આવી રહી છે.

ડમ્પર ચાલકે ત્રણ લોકોને લીધા અડફેટે 

સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલે છે. શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ રહે તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું. ઘર-ઘરથી કચરો એકત્રિત કરવા માટે પણ વાહનો આવે છે. ડમ્પર કચરાને લઈ જવાનું કામ કરે છે પરંતુ અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ડમ્પર ચાલકો બેફામ ડ્રાઈવિંગ કરે છે અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. અનેક લોકો ડમ્પરની અડફેટે આવ્યા છે તેવા સમાચારો સામે આવ્યા હતા ત્યારે આવો વધુ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં ડમ્પર ચાલકે 6 જેટલા વાહનોને અડફેટે લીધા છે જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે જ્યારે એક મહિલાનો હાથ કપાઈ ગયો છે તેવી વાત સામે આવી છે. 


આ જગ્યા પર સર્જાઈ દુર્ઘટના 

જે ઘટનાની વાત કરીએ છીએ તે ઘટના જસોદાનગર ચાર રસ્તા પાસે કચરો લઈને એએમસીનું ડમ્પર જઈ રહ્યું હતું જ્યારે કેડિલા બ્રિજ ઉતરતી વખતે વાહનો અડફેટે આવ્યા હતા. બે કાર, રિક્ષા અને ત્રણ વાહનો ડમ્પરે પોતાની અડફેટે લીધા હતા. એવી પણ માહિતી સામે આવી છે કે વાહનોને 100 ફૂટ સુધી ઢસડ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે. જો આ ઈજાગ્રસ્તમાંથી કોઈનું મોત થશે તો જવાબદાર કોણ તેનો સવાલ છે.


એસટી બસના ચાલકો પણ બન્યા છે બેફામ 

ડમ્પરે જ્યારે વાહનચાલકોને અડફેટે લીધા તે બાદ સ્થાનિકોએ ડમ્પર પર પથ્થરમારો કર્યો હતો. લોકો એકઠા થયા અને ડમ્પર ચાલકને પકડવાનો પ્રયત્ન કર્યો. લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા, ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકોએ તેને પકડી પાડ્યો છે તેવી માહિતી સામે આવી છે અને તેને પોલીસના હવાલે કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અનેક વખત ન માત્ર ડમ્પર પરંતુ એસટી બસના ડ્રાઈવરો પણ બેફામ બન્યા છે. એસટી બસના ડ્રાઈવરોને જાણે કાયદાનો ડર ન હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.