લેભાગુ ભુવાની વાતોમાં આવી અમદાવાદના એક પરિવારે 32 લાખ ગુમાવ્યા, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-11 21:28:35

આજના આધુનિક જમાનામાં પણ લોકો અંધશ્રધ્ધામાં લેભાગુ ભુવાઓની વાતોમાં આવી જઈને પોતાનું સઘળું ગુમાવી દેતા હોય છે. ભુવાએ મેલી વિદ્યા અને મુઠ ઉતારવાના નામે એક પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલે ગાંધીનગરના માણસા તાલુકાના અનોડીયા ગામના 3 શખ્સ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


સમગ્ર મામલો શું છે?


અમદાવાદના નિકોલ ખાતે રહેતા અને સિલાઈ મશીન નું કામકાજ કરતા પૂનમબેન બાબુભાઈ ચૌહાણ તથા તેમનો પરિવાર આર્થિક સંકડામણ ભોગવતો હતો. આ સંકડામણથી દુર કરવા માટે પૂનમબેનએ ગાંધીનગરના માણસા તાલુકાના અનોડીયા ગામે આવકાર ધામ નામનો આશ્રમ ચલાવી ભુવાનું કામકાજ કરતા ભુવા રાઠોડ દલપતસિંહનો સંપર્ક કર્યો હતો. આર્થિક સંકડામણ પાછળ કોઇએ મુઠ મારી હશે તેવી તેમને શંકા હતી. આ શંકા દુર કરવા અને મુઠ ઉતારવા પુનમબેન અનોડીયા ભુવાના આશ્રમે ગયા હતા. ભુવાએ પુનમબેનને કહ્યું હતું કે, તમારા મોટાભાઈના ભાગીદારે તેમના પર મુઠ મારી છે અને તેમનું નવ દિવસમાં મૃત્યુ થશે. જો મુઠ પાછી વળાવવી હોય તો 90 હજાર રૂપિયા ખર્ચ થશે. જેથી ડરના માર્યા આ પરિવારે બીજા દિવસે 90 હજાર રૂપિયા આપી આ ભુવા પાસે વિધિ કરાવી હતી. પૈસા આસાનીથી મળી જતા ભુવાએ પુનમબેનને ફોન કરી આશ્રમ પર બોલાવ્યા હતા અને તે વખતે ફરીથી ડર બતાવ્યો હતો કે તમારા નાના ભાઈ પર પણ મુઠ મારવામાં આવી છે એવું કહી ફરીથી બીજા 90 હજાર રૂપિયા લઈ વિધી કરી આપી હતી. આ રીતે ભૂવાએ છેલ્લા પાંચ વર્ષમાં ટુકડે ટુકડે 32 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. 


ભુવાજી સામે નોંધાઈ ફરિયાદ


પૂનમબેનના પરિવારને પાંચ વર્ષ પછી પણ કોઈ ભુવાની વિધીથી કોઈ ફાયદો થયેલો જણાતો નહોંતો. આખરે પોતાની મહેનતના પૈસા ગુમાવનારા પૂનમબેનના પરિવારે ભુવા પાસેથી રૂપિયા પરત માગતા આ પાખંડી ભુવો તથા તેના બે પુત્રોએ તેમની સાથે ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતે છેતરાયા હોવાનું જણાતા અંતે પૂનમબેન ચૌહાણએ ભુવાજી દલપતસિંહ, હરપાલસિંહ અને જયપાલસિંહ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?