લેભાગુ ભુવાની વાતોમાં આવી અમદાવાદના એક પરિવારે 32 લાખ ગુમાવ્યા, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-11 21:28:35

આજના આધુનિક જમાનામાં પણ લોકો અંધશ્રધ્ધામાં લેભાગુ ભુવાઓની વાતોમાં આવી જઈને પોતાનું સઘળું ગુમાવી દેતા હોય છે. ભુવાએ મેલી વિદ્યા અને મુઠ ઉતારવાના નામે એક પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલે ગાંધીનગરના માણસા તાલુકાના અનોડીયા ગામના 3 શખ્સ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


સમગ્ર મામલો શું છે?


અમદાવાદના નિકોલ ખાતે રહેતા અને સિલાઈ મશીન નું કામકાજ કરતા પૂનમબેન બાબુભાઈ ચૌહાણ તથા તેમનો પરિવાર આર્થિક સંકડામણ ભોગવતો હતો. આ સંકડામણથી દુર કરવા માટે પૂનમબેનએ ગાંધીનગરના માણસા તાલુકાના અનોડીયા ગામે આવકાર ધામ નામનો આશ્રમ ચલાવી ભુવાનું કામકાજ કરતા ભુવા રાઠોડ દલપતસિંહનો સંપર્ક કર્યો હતો. આર્થિક સંકડામણ પાછળ કોઇએ મુઠ મારી હશે તેવી તેમને શંકા હતી. આ શંકા દુર કરવા અને મુઠ ઉતારવા પુનમબેન અનોડીયા ભુવાના આશ્રમે ગયા હતા. ભુવાએ પુનમબેનને કહ્યું હતું કે, તમારા મોટાભાઈના ભાગીદારે તેમના પર મુઠ મારી છે અને તેમનું નવ દિવસમાં મૃત્યુ થશે. જો મુઠ પાછી વળાવવી હોય તો 90 હજાર રૂપિયા ખર્ચ થશે. જેથી ડરના માર્યા આ પરિવારે બીજા દિવસે 90 હજાર રૂપિયા આપી આ ભુવા પાસે વિધિ કરાવી હતી. પૈસા આસાનીથી મળી જતા ભુવાએ પુનમબેનને ફોન કરી આશ્રમ પર બોલાવ્યા હતા અને તે વખતે ફરીથી ડર બતાવ્યો હતો કે તમારા નાના ભાઈ પર પણ મુઠ મારવામાં આવી છે એવું કહી ફરીથી બીજા 90 હજાર રૂપિયા લઈ વિધી કરી આપી હતી. આ રીતે ભૂવાએ છેલ્લા પાંચ વર્ષમાં ટુકડે ટુકડે 32 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. 


ભુવાજી સામે નોંધાઈ ફરિયાદ


પૂનમબેનના પરિવારને પાંચ વર્ષ પછી પણ કોઈ ભુવાની વિધીથી કોઈ ફાયદો થયેલો જણાતો નહોંતો. આખરે પોતાની મહેનતના પૈસા ગુમાવનારા પૂનમબેનના પરિવારે ભુવા પાસેથી રૂપિયા પરત માગતા આ પાખંડી ભુવો તથા તેના બે પુત્રોએ તેમની સાથે ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતે છેતરાયા હોવાનું જણાતા અંતે પૂનમબેન ચૌહાણએ ભુવાજી દલપતસિંહ, હરપાલસિંહ અને જયપાલસિંહ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.