લેભાગુ ભુવાની વાતોમાં આવી અમદાવાદના એક પરિવારે 32 લાખ ગુમાવ્યા, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-11 21:28:35

આજના આધુનિક જમાનામાં પણ લોકો અંધશ્રધ્ધામાં લેભાગુ ભુવાઓની વાતોમાં આવી જઈને પોતાનું સઘળું ગુમાવી દેતા હોય છે. ભુવાએ મેલી વિદ્યા અને મુઠ ઉતારવાના નામે એક પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલે ગાંધીનગરના માણસા તાલુકાના અનોડીયા ગામના 3 શખ્સ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


સમગ્ર મામલો શું છે?


અમદાવાદના નિકોલ ખાતે રહેતા અને સિલાઈ મશીન નું કામકાજ કરતા પૂનમબેન બાબુભાઈ ચૌહાણ તથા તેમનો પરિવાર આર્થિક સંકડામણ ભોગવતો હતો. આ સંકડામણથી દુર કરવા માટે પૂનમબેનએ ગાંધીનગરના માણસા તાલુકાના અનોડીયા ગામે આવકાર ધામ નામનો આશ્રમ ચલાવી ભુવાનું કામકાજ કરતા ભુવા રાઠોડ દલપતસિંહનો સંપર્ક કર્યો હતો. આર્થિક સંકડામણ પાછળ કોઇએ મુઠ મારી હશે તેવી તેમને શંકા હતી. આ શંકા દુર કરવા અને મુઠ ઉતારવા પુનમબેન અનોડીયા ભુવાના આશ્રમે ગયા હતા. ભુવાએ પુનમબેનને કહ્યું હતું કે, તમારા મોટાભાઈના ભાગીદારે તેમના પર મુઠ મારી છે અને તેમનું નવ દિવસમાં મૃત્યુ થશે. જો મુઠ પાછી વળાવવી હોય તો 90 હજાર રૂપિયા ખર્ચ થશે. જેથી ડરના માર્યા આ પરિવારે બીજા દિવસે 90 હજાર રૂપિયા આપી આ ભુવા પાસે વિધિ કરાવી હતી. પૈસા આસાનીથી મળી જતા ભુવાએ પુનમબેનને ફોન કરી આશ્રમ પર બોલાવ્યા હતા અને તે વખતે ફરીથી ડર બતાવ્યો હતો કે તમારા નાના ભાઈ પર પણ મુઠ મારવામાં આવી છે એવું કહી ફરીથી બીજા 90 હજાર રૂપિયા લઈ વિધી કરી આપી હતી. આ રીતે ભૂવાએ છેલ્લા પાંચ વર્ષમાં ટુકડે ટુકડે 32 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. 


ભુવાજી સામે નોંધાઈ ફરિયાદ


પૂનમબેનના પરિવારને પાંચ વર્ષ પછી પણ કોઈ ભુવાની વિધીથી કોઈ ફાયદો થયેલો જણાતો નહોંતો. આખરે પોતાની મહેનતના પૈસા ગુમાવનારા પૂનમબેનના પરિવારે ભુવા પાસેથી રૂપિયા પરત માગતા આ પાખંડી ભુવો તથા તેના બે પુત્રોએ તેમની સાથે ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતે છેતરાયા હોવાનું જણાતા અંતે પૂનમબેન ચૌહાણએ ભુવાજી દલપતસિંહ, હરપાલસિંહ અને જયપાલસિંહ સામે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે