Ahmedabad - ખ્યાતી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2એ જીવ ગુમાવ્યા જ્યારે અનેક લોકોની હાલત ગંભીર


  • Published By :
  • Published Date : 2024-11-12 13:13:07

હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દી જાય છે ત્યારે તે સાજા થવાની ઈચ્છા સાથે જાય છે.. પરંતુ અનેક કિસ્સાઓમાં એવું થાય છે કે હોસ્પિટલ વાળાની બેદરકારીને કારણે તેમનો જીવ ગુમાવો પડતો હોય છે.. ત્યારે એવો જ કિસ્સો અમદાવાદની ખ્યાતી હોસ્પિટલથી સામે  આવ્યો છે... કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે.. પરિવારની જાણ બહાર 19 એન્જિયોગ્રાફી, 7 એન્જિયોપ્લાસ્ટી કરી નાખતા 2 દર્દીના મોત અને 7 લોકો હાલ ICUમાં દાખલ કરવામાં આવ્યા છે... 

શું કહેવું છે ગામના સરપંચનું?

આ ઘટના થયા બાદ પરિવારજનોનો આક્રોશ ચરમસીમા પર પહોંચ્યો છે... ઘટનાને પગલે ગ્રામજનો વહેલી સવારથી હોસ્પિટલ પહોંચી ગયા છે અને અનેક લોકો ત્યાં તોડફોડ પણ કરી હતી.. ગામના સરપંચનું કહેવું છે કે આ હોસ્પિટલે એવા જ લોકોને બોલાવ્યા હતા જેમની પાસે આયુષ્માન કાર્ડ હોય .... સરકારી યોજનાના નામ પર હોસ્પિટલ ફ્રોડ કરે છે તેવી વાત તેમણે કહી... આ અંગે ઋષિકેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.. 



સ્ટોરી અપડેટ થઈ રહી છે....



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.