Ahmedabad - ખ્યાતી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2એ જીવ ગુમાવ્યા જ્યારે અનેક લોકોની હાલત ગંભીર


  • Published By :
  • Published Date : 2024-11-12 13:13:07

હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દી જાય છે ત્યારે તે સાજા થવાની ઈચ્છા સાથે જાય છે.. પરંતુ અનેક કિસ્સાઓમાં એવું થાય છે કે હોસ્પિટલ વાળાની બેદરકારીને કારણે તેમનો જીવ ગુમાવો પડતો હોય છે.. ત્યારે એવો જ કિસ્સો અમદાવાદની ખ્યાતી હોસ્પિટલથી સામે  આવ્યો છે... કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે.. પરિવારની જાણ બહાર 19 એન્જિયોગ્રાફી, 7 એન્જિયોપ્લાસ્ટી કરી નાખતા 2 દર્દીના મોત અને 7 લોકો હાલ ICUમાં દાખલ કરવામાં આવ્યા છે... 

શું કહેવું છે ગામના સરપંચનું?

આ ઘટના થયા બાદ પરિવારજનોનો આક્રોશ ચરમસીમા પર પહોંચ્યો છે... ઘટનાને પગલે ગ્રામજનો વહેલી સવારથી હોસ્પિટલ પહોંચી ગયા છે અને અનેક લોકો ત્યાં તોડફોડ પણ કરી હતી.. ગામના સરપંચનું કહેવું છે કે આ હોસ્પિટલે એવા જ લોકોને બોલાવ્યા હતા જેમની પાસે આયુષ્માન કાર્ડ હોય .... સરકારી યોજનાના નામ પર હોસ્પિટલ ફ્રોડ કરે છે તેવી વાત તેમણે કહી... આ અંગે ઋષિકેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.. 



સ્ટોરી અપડેટ થઈ રહી છે....



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."