Ahmedabad ફાયર વિભાગની ટીમને Diwaliના દિવસો દરમિયાન મળ્યા આટલા કોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-15 16:51:49

એક તરફ મોટા ભાગનો વર્ગ દિવાળીની ઉજવણી કરી રહ્યો હતો તો બીજી તરફ અનેક એવા કર્મચારીઓ હતા જે પોતાની ફરજ પર હતા. દિવાળીના તહેવાર દરમિયાન ડોક્ટર, ફાયર વિભાગની ટીમ, પોલીસની ટીમ લોકોની સુરક્ષા માટે તૈનાત હોય છે. અનિચ્છનિય બનાવ બને તો તેને પહોંચી વળવા માટે તેઓ ફરજ પર હોય છે. લોકોએ મન મૂકીને ફટાકડા ફોડ્યા, તહેવારની ઉજવણી કરી છે પરંતુ તે ઉજવણી દરમિયાન શહેરમાં આગ લાગવાના બનાવો પણ બન્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોલ આવવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે.     

307 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા! 

દિવાળીના તહેવાર દરમિયાન લોકો ફટાકડા ફોડે છે પરંતુ તે ફટાકડાથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. આગ લાગવાના કિસ્સાઓમાં આ સમય દરમિયાન નોંધપાત્ર વધારો થતો હોય છે. ત્યારે અમદાવાદ ફાયર વિભાગને દિવાળીના પાંચ દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પરથી 307 જેટલા કોલ મળ્યા છે તેવી માહિતી સામે આવી છે. સૌથી વધારે કોલ પશ્ચિમ ઝોનથી મળ્યા છે. મહત્વનું છે કે ફાયર વિભાગની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે પ્રશંસનિય છે. 


આ જગ્યાઓ પર બન્યા આગ લાગવાના કિસ્સાઓ   

એક મીડિયા રિપોર્ટ અનુસાર સૌથી વધારે આગ કચરાના ઢગલા પર તેમજ લાકડામાં લાગી છે. કચરા અને લાકડામાં આગના 168 જેટલા બનાવ બન્યા છે, જ્યારે 42 કોલ મકાનમાં આગ લાગવાના, 34 કોલ દુકાનમાં આગ લાગવાના, 18 કોલ ઝાડમાં આગ લાગવાના બન્યા છે. 11 કોલ ફેક્ટરી અને વાહનોમાં આગ લાગવાના આવ્યા છે. આગ લાગવાની ઘટના તો વધી છે પરંતુ કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આગ પર કાબુ મેળવવા માટે 30થી વધારે અધિકારીઓ તેમજ 350 જેટલા કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. ફાયર વિભાગના ટીમની પ્રશંસા કરવી જોઈએ, ડોક્ટરની ટીમની પ્રશંસા કરવી જોઈએ.!   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.