Ahmedabad ફાયર વિભાગની ટીમને Diwaliના દિવસો દરમિયાન મળ્યા આટલા કોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-15 16:51:49

એક તરફ મોટા ભાગનો વર્ગ દિવાળીની ઉજવણી કરી રહ્યો હતો તો બીજી તરફ અનેક એવા કર્મચારીઓ હતા જે પોતાની ફરજ પર હતા. દિવાળીના તહેવાર દરમિયાન ડોક્ટર, ફાયર વિભાગની ટીમ, પોલીસની ટીમ લોકોની સુરક્ષા માટે તૈનાત હોય છે. અનિચ્છનિય બનાવ બને તો તેને પહોંચી વળવા માટે તેઓ ફરજ પર હોય છે. લોકોએ મન મૂકીને ફટાકડા ફોડ્યા, તહેવારની ઉજવણી કરી છે પરંતુ તે ઉજવણી દરમિયાન શહેરમાં આગ લાગવાના બનાવો પણ બન્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોલ આવવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે.     

307 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા! 

દિવાળીના તહેવાર દરમિયાન લોકો ફટાકડા ફોડે છે પરંતુ તે ફટાકડાથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. આગ લાગવાના કિસ્સાઓમાં આ સમય દરમિયાન નોંધપાત્ર વધારો થતો હોય છે. ત્યારે અમદાવાદ ફાયર વિભાગને દિવાળીના પાંચ દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પરથી 307 જેટલા કોલ મળ્યા છે તેવી માહિતી સામે આવી છે. સૌથી વધારે કોલ પશ્ચિમ ઝોનથી મળ્યા છે. મહત્વનું છે કે ફાયર વિભાગની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે પ્રશંસનિય છે. 


આ જગ્યાઓ પર બન્યા આગ લાગવાના કિસ્સાઓ   

એક મીડિયા રિપોર્ટ અનુસાર સૌથી વધારે આગ કચરાના ઢગલા પર તેમજ લાકડામાં લાગી છે. કચરા અને લાકડામાં આગના 168 જેટલા બનાવ બન્યા છે, જ્યારે 42 કોલ મકાનમાં આગ લાગવાના, 34 કોલ દુકાનમાં આગ લાગવાના, 18 કોલ ઝાડમાં આગ લાગવાના બન્યા છે. 11 કોલ ફેક્ટરી અને વાહનોમાં આગ લાગવાના આવ્યા છે. આગ લાગવાની ઘટના તો વધી છે પરંતુ કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આગ પર કાબુ મેળવવા માટે 30થી વધારે અધિકારીઓ તેમજ 350 જેટલા કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. ફાયર વિભાગના ટીમની પ્રશંસા કરવી જોઈએ, ડોક્ટરની ટીમની પ્રશંસા કરવી જોઈએ.!   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.