Ahmedabad ફાયર વિભાગની ટીમને Diwaliના દિવસો દરમિયાન મળ્યા આટલા કોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-15 16:51:49

એક તરફ મોટા ભાગનો વર્ગ દિવાળીની ઉજવણી કરી રહ્યો હતો તો બીજી તરફ અનેક એવા કર્મચારીઓ હતા જે પોતાની ફરજ પર હતા. દિવાળીના તહેવાર દરમિયાન ડોક્ટર, ફાયર વિભાગની ટીમ, પોલીસની ટીમ લોકોની સુરક્ષા માટે તૈનાત હોય છે. અનિચ્છનિય બનાવ બને તો તેને પહોંચી વળવા માટે તેઓ ફરજ પર હોય છે. લોકોએ મન મૂકીને ફટાકડા ફોડ્યા, તહેવારની ઉજવણી કરી છે પરંતુ તે ઉજવણી દરમિયાન શહેરમાં આગ લાગવાના બનાવો પણ બન્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોલ આવવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે.     

307 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા! 

દિવાળીના તહેવાર દરમિયાન લોકો ફટાકડા ફોડે છે પરંતુ તે ફટાકડાથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. આગ લાગવાના કિસ્સાઓમાં આ સમય દરમિયાન નોંધપાત્ર વધારો થતો હોય છે. ત્યારે અમદાવાદ ફાયર વિભાગને દિવાળીના પાંચ દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પરથી 307 જેટલા કોલ મળ્યા છે તેવી માહિતી સામે આવી છે. સૌથી વધારે કોલ પશ્ચિમ ઝોનથી મળ્યા છે. મહત્વનું છે કે ફાયર વિભાગની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે પ્રશંસનિય છે. 


આ જગ્યાઓ પર બન્યા આગ લાગવાના કિસ્સાઓ   

એક મીડિયા રિપોર્ટ અનુસાર સૌથી વધારે આગ કચરાના ઢગલા પર તેમજ લાકડામાં લાગી છે. કચરા અને લાકડામાં આગના 168 જેટલા બનાવ બન્યા છે, જ્યારે 42 કોલ મકાનમાં આગ લાગવાના, 34 કોલ દુકાનમાં આગ લાગવાના, 18 કોલ ઝાડમાં આગ લાગવાના બન્યા છે. 11 કોલ ફેક્ટરી અને વાહનોમાં આગ લાગવાના આવ્યા છે. આગ લાગવાની ઘટના તો વધી છે પરંતુ કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આગ પર કાબુ મેળવવા માટે 30થી વધારે અધિકારીઓ તેમજ 350 જેટલા કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. ફાયર વિભાગના ટીમની પ્રશંસા કરવી જોઈએ, ડોક્ટરની ટીમની પ્રશંસા કરવી જોઈએ.!   



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .