Ahmedabad ફાયર વિભાગની ટીમને Diwaliના દિવસો દરમિયાન મળ્યા આટલા કોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-15 16:51:49

એક તરફ મોટા ભાગનો વર્ગ દિવાળીની ઉજવણી કરી રહ્યો હતો તો બીજી તરફ અનેક એવા કર્મચારીઓ હતા જે પોતાની ફરજ પર હતા. દિવાળીના તહેવાર દરમિયાન ડોક્ટર, ફાયર વિભાગની ટીમ, પોલીસની ટીમ લોકોની સુરક્ષા માટે તૈનાત હોય છે. અનિચ્છનિય બનાવ બને તો તેને પહોંચી વળવા માટે તેઓ ફરજ પર હોય છે. લોકોએ મન મૂકીને ફટાકડા ફોડ્યા, તહેવારની ઉજવણી કરી છે પરંતુ તે ઉજવણી દરમિયાન શહેરમાં આગ લાગવાના બનાવો પણ બન્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોલ આવવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે.     

307 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા! 

દિવાળીના તહેવાર દરમિયાન લોકો ફટાકડા ફોડે છે પરંતુ તે ફટાકડાથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. આગ લાગવાના કિસ્સાઓમાં આ સમય દરમિયાન નોંધપાત્ર વધારો થતો હોય છે. ત્યારે અમદાવાદ ફાયર વિભાગને દિવાળીના પાંચ દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પરથી 307 જેટલા કોલ મળ્યા છે તેવી માહિતી સામે આવી છે. સૌથી વધારે કોલ પશ્ચિમ ઝોનથી મળ્યા છે. મહત્વનું છે કે ફાયર વિભાગની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે પ્રશંસનિય છે. 


આ જગ્યાઓ પર બન્યા આગ લાગવાના કિસ્સાઓ   

એક મીડિયા રિપોર્ટ અનુસાર સૌથી વધારે આગ કચરાના ઢગલા પર તેમજ લાકડામાં લાગી છે. કચરા અને લાકડામાં આગના 168 જેટલા બનાવ બન્યા છે, જ્યારે 42 કોલ મકાનમાં આગ લાગવાના, 34 કોલ દુકાનમાં આગ લાગવાના, 18 કોલ ઝાડમાં આગ લાગવાના બન્યા છે. 11 કોલ ફેક્ટરી અને વાહનોમાં આગ લાગવાના આવ્યા છે. આગ લાગવાની ઘટના તો વધી છે પરંતુ કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આગ પર કાબુ મેળવવા માટે 30થી વધારે અધિકારીઓ તેમજ 350 જેટલા કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. ફાયર વિભાગના ટીમની પ્રશંસા કરવી જોઈએ, ડોક્ટરની ટીમની પ્રશંસા કરવી જોઈએ.!   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.