અમદાવાદ ફ્લાવર શોને મળ્યો બહોળો પ્રતિસાદ, AMCને રૂ. 8 કરોડની વિક્રમી આવક


  • Published By :
  • Published Date : 2024-01-21 12:28:27

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે યોજાયેલો ફ્લાવર શોને બહોળો લોક પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડિસેમ્બર, 2023થી 20 જાન્યુઆરી, 2024 સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 11મા ફ્લાવર-શોની મોટા પ્રમાણમાં લોકોએ મુલાકાત લીધી હતી. 22 દિવસ ચાલેલા આ ફ્લાવર શોને સ્થાનિકો તથા બહાર આવેલા લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 15 લાખથી લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેના કારણે ફ્લાવર શોને કુલ રૂ. 8 કરોડની મોટી આવક થઈ છે. કોર્પોરેશનને ફ્લાવર શો પાછળ પાંચ કરોડ જેટલો અંદાજિત ખર્ચ થયો હતો. ફ્લાવર શોને 26 જાન્યુઆરી સુધી લંબાવવા માટે પણ શહેરીજનોની માગણી થઇ રહી છે.


AMCને ફ્લાવર શો ફળ્યો

 

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 30 ડિસેમ્બર-23થી શરુ કરવામાં આવેલો ફલાવર શો AMC તંત્રને ફળ્યો છે. 22 દિવસમાં 15 લાખથી વધુ મુલાકાતીઓએ ફલાવર શોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રુપિયા 8 કરોડની વિક્રમી આવક તંત્રને થઈ છે. રુપિયા 6.50 કરોડની આવક ટિકિટ પેટે તથા રુપિયા 1.50 કરોડની આવક વિવિધ સ્ટોલ અને ફુડ કોર્ટ પેટે થવા પામી હતી. 10 જાન્યુઆરીએ PM મોદીએ પણ અદભૂત ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. 


ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન


અમદાવાદના આ વર્ષે યોજવામાં આવેલા ફલાવર શોમાં રાખવામાં આવેલા 221 મીટર લંબાઈ ધરાવતા ફલાવર સ્ટ્રકચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ચંદ્રયાન, કીર્તિ તોરણ સહિત 33 જેટલા સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં GSLV MK3 રોકેટ પણ હશે. ફ્લાવર શો માટે 5.45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ માટે બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશોમાં વિવિધ ફૂલો લાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલના ડીરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલે કહ્યું,વર્ષ-2023માં યોજવામાં આવેલા ફ્લાવર શોમાં 8 લાખ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જે પેટે રુપિયા 3.90 કરોડથી વધુની આવક થઈ હતી. આ વર્ષે ફ્લાવર શોમાં વિક્રમી આવક થઈ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.