અમદાવાદ ફ્લાવર શોને મળ્યો બહોળો પ્રતિસાદ, AMCને રૂ. 8 કરોડની વિક્રમી આવક


  • Published By :
  • Published Date : 2024-01-21 12:28:27

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે યોજાયેલો ફ્લાવર શોને બહોળો લોક પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડિસેમ્બર, 2023થી 20 જાન્યુઆરી, 2024 સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 11મા ફ્લાવર-શોની મોટા પ્રમાણમાં લોકોએ મુલાકાત લીધી હતી. 22 દિવસ ચાલેલા આ ફ્લાવર શોને સ્થાનિકો તથા બહાર આવેલા લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 15 લાખથી લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેના કારણે ફ્લાવર શોને કુલ રૂ. 8 કરોડની મોટી આવક થઈ છે. કોર્પોરેશનને ફ્લાવર શો પાછળ પાંચ કરોડ જેટલો અંદાજિત ખર્ચ થયો હતો. ફ્લાવર શોને 26 જાન્યુઆરી સુધી લંબાવવા માટે પણ શહેરીજનોની માગણી થઇ રહી છે.


AMCને ફ્લાવર શો ફળ્યો

 

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 30 ડિસેમ્બર-23થી શરુ કરવામાં આવેલો ફલાવર શો AMC તંત્રને ફળ્યો છે. 22 દિવસમાં 15 લાખથી વધુ મુલાકાતીઓએ ફલાવર શોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રુપિયા 8 કરોડની વિક્રમી આવક તંત્રને થઈ છે. રુપિયા 6.50 કરોડની આવક ટિકિટ પેટે તથા રુપિયા 1.50 કરોડની આવક વિવિધ સ્ટોલ અને ફુડ કોર્ટ પેટે થવા પામી હતી. 10 જાન્યુઆરીએ PM મોદીએ પણ અદભૂત ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. 


ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન


અમદાવાદના આ વર્ષે યોજવામાં આવેલા ફલાવર શોમાં રાખવામાં આવેલા 221 મીટર લંબાઈ ધરાવતા ફલાવર સ્ટ્રકચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ચંદ્રયાન, કીર્તિ તોરણ સહિત 33 જેટલા સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં GSLV MK3 રોકેટ પણ હશે. ફ્લાવર શો માટે 5.45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ માટે બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશોમાં વિવિધ ફૂલો લાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલના ડીરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલે કહ્યું,વર્ષ-2023માં યોજવામાં આવેલા ફ્લાવર શોમાં 8 લાખ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જે પેટે રુપિયા 3.90 કરોડથી વધુની આવક થઈ હતી. આ વર્ષે ફ્લાવર શોમાં વિક્રમી આવક થઈ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.