અમદાવાદ ફ્લાવર શોને મળ્યો બહોળો પ્રતિસાદ, AMCને રૂ. 8 કરોડની વિક્રમી આવક


  • Published By :
  • Published Date : 2024-01-21 12:28:27

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે યોજાયેલો ફ્લાવર શોને બહોળો લોક પ્રતિસાદ મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડિસેમ્બર, 2023થી 20 જાન્યુઆરી, 2024 સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 11મા ફ્લાવર-શોની મોટા પ્રમાણમાં લોકોએ મુલાકાત લીધી હતી. 22 દિવસ ચાલેલા આ ફ્લાવર શોને સ્થાનિકો તથા બહાર આવેલા લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 15 લાખથી લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેના કારણે ફ્લાવર શોને કુલ રૂ. 8 કરોડની મોટી આવક થઈ છે. કોર્પોરેશનને ફ્લાવર શો પાછળ પાંચ કરોડ જેટલો અંદાજિત ખર્ચ થયો હતો. ફ્લાવર શોને 26 જાન્યુઆરી સુધી લંબાવવા માટે પણ શહેરીજનોની માગણી થઇ રહી છે.


AMCને ફ્લાવર શો ફળ્યો

 

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 30 ડિસેમ્બર-23થી શરુ કરવામાં આવેલો ફલાવર શો AMC તંત્રને ફળ્યો છે. 22 દિવસમાં 15 લાખથી વધુ મુલાકાતીઓએ ફલાવર શોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રુપિયા 8 કરોડની વિક્રમી આવક તંત્રને થઈ છે. રુપિયા 6.50 કરોડની આવક ટિકિટ પેટે તથા રુપિયા 1.50 કરોડની આવક વિવિધ સ્ટોલ અને ફુડ કોર્ટ પેટે થવા પામી હતી. 10 જાન્યુઆરીએ PM મોદીએ પણ અદભૂત ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. 


ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન


અમદાવાદના આ વર્ષે યોજવામાં આવેલા ફલાવર શોમાં રાખવામાં આવેલા 221 મીટર લંબાઈ ધરાવતા ફલાવર સ્ટ્રકચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ચંદ્રયાન, કીર્તિ તોરણ સહિત 33 જેટલા સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં GSLV MK3 રોકેટ પણ હશે. ફ્લાવર શો માટે 5.45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ માટે બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશોમાં વિવિધ ફૂલો લાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલના ડીરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલે કહ્યું,વર્ષ-2023માં યોજવામાં આવેલા ફ્લાવર શોમાં 8 લાખ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જે પેટે રુપિયા 3.90 કરોડથી વધુની આવક થઈ હતી. આ વર્ષે ફ્લાવર શોમાં વિક્રમી આવક થઈ છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે