Ahmedabad : લગ્ન પ્રસંગમાં બની ફૂડ પોઈઝનિંગની ઘટના, જાનૈયાઓને ખસેડાયા હોસ્પિટલ...


  • Published By :
  • Published Date : 2024-02-13 09:14:48

હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગમાં વિવિધ પ્રકારની વાનગી પિરસવામાં આવે છે. પરંતુ અનેક વખત એવી વાનગી, એવા વેલકમ ડ્રીંક પિરસવામાં આવે છે જેને કારણે લગ્નમાં જમાનાર લોકોની તબિયત બગડતી હોય છે. ત્યારે અમદાવાદમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જાનૈયાઓ રાજપીપળાથી આવ્યા હતા અને જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર દેખાવા લાગી અને તેમની તબિયત ખરાબ લાગી. ફૂડ પોઈઝનિંગની અસર દેખાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્ટી શરૂ થઈ ગઈ અને તેમને અશક્તિ મહેસૂસ થવા લાગી. અનેક લોકોને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજા લોકો નડિયાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં આ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ હોટેલ પર તાળા મારી સંચાલક ફરાર થઈ ગયા છે.  



રાજપીપળાથી આવ્યા હતા જાનૈયાઓ! 

વ્યવસ્થિત ભોજન ન પીરસાવાને કારણે અનેક વખત ફૂડ પોઈઝનિંગની ઘટના બનતી હોય છે. રાજપીપળાથી અમદાવાદ લગ્ન માટે આવેલા જાનૈયાઓને હોસ્પિટલ જવું પડ્યું છે કારણ કે તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. મળતી માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં આવેલા 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. લગ્ન પ્રસંગનું આયોજન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં કરાયું હતું. રાજપીપળાથી હિમાંશુ ભાવસાર પરિવાર સાથે જાન લઈને અમદાવાદ આવ્યા હતા. 



લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જાનૈયાઓ જઈ રહ્યા હતા ત્યારે બની ઘટના!

અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં ઉતારો હતો અને ત્યાંજ લગ્નની વિધી પૂર્ણ થઈ હતી. અનુમાન અનુસાર વેલકમ ડ્રીંકની સાથે દુધની બનાવટનો જ્યુસ પીરસવામાં આવ્યો હતો, ત્યાર બાદ તમામને ભોજન પીરસવામાં આવ્યું હતું. જેને કારણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ. વર પક્ષ તેમજ કન્યા પક્ષના લોકોની તબિયત ખરાબ થવા લાગી. કન્યા વિદાય બાદ જ્યારે જાનૈયાઓ પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અનેક લોકોની તબિયત બગડવા લાગી. 



હોટેલ સંચાલક તાળા મારીને ફરાર! 

જાનૈયાઓને ઉલ્ટી થવા લાગી અને અશક્તિ મહેસૂસ થવા લાગી. અમદાવાદમાં જેમની તબિયત બગડી તેમને એલ.જી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા અને બીજા જાનૈયાઓને નડિયાદ ખાતે દાખલ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટના સામે આવતા હોટલ સંચાલક હોટેલને તાળા મારીને ફરાર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આ ઘટના બાદ ફૂડ વિભાગ હરકતમાં આવ્યું નથી!



ફૂડ પોઈઝનિંગના શું હોય છે લક્ષણ?     

સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ ઉનાળા દરમિયાન વધારે બનતી હોય છે. ઉનાળાના સમયમાં ભોજન બગડવાની બીક વધારે રહેતી હોય છે. જો કોઈ દૂધની આઈટમ બનાવી હોય તો તેનું વધારે ટેન્શન હોય છે. ખરાબ ભોજન ખાવાને કારણે સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગ થતું હોય છે. જો ફૂડ પોઈઝિનિંગના લક્ષણોની વાત કરીએ તો પેટમાં દુખાવો થાય, ઉલ્ટી થાય, માથામાં પણ દુખાવો થાય. કમજોરી મહેસૂસ થવા લાગે વગેરે વગેરે.... જો તબિયત વધારે ખરાબ લાગે તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ. અમે આશા રાખીએ કે ફૂડ પોઈઝિનિંગ કોઈને ના થાય.     



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.