Ahmedabad : લગ્ન પ્રસંગમાં બની ફૂડ પોઈઝનિંગની ઘટના, જાનૈયાઓને ખસેડાયા હોસ્પિટલ...


  • Published By :
  • Published Date : 2024-02-13 09:14:48

હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગમાં વિવિધ પ્રકારની વાનગી પિરસવામાં આવે છે. પરંતુ અનેક વખત એવી વાનગી, એવા વેલકમ ડ્રીંક પિરસવામાં આવે છે જેને કારણે લગ્નમાં જમાનાર લોકોની તબિયત બગડતી હોય છે. ત્યારે અમદાવાદમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જાનૈયાઓ રાજપીપળાથી આવ્યા હતા અને જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર દેખાવા લાગી અને તેમની તબિયત ખરાબ લાગી. ફૂડ પોઈઝનિંગની અસર દેખાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્ટી શરૂ થઈ ગઈ અને તેમને અશક્તિ મહેસૂસ થવા લાગી. અનેક લોકોને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજા લોકો નડિયાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં આ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ હોટેલ પર તાળા મારી સંચાલક ફરાર થઈ ગયા છે.  



રાજપીપળાથી આવ્યા હતા જાનૈયાઓ! 

વ્યવસ્થિત ભોજન ન પીરસાવાને કારણે અનેક વખત ફૂડ પોઈઝનિંગની ઘટના બનતી હોય છે. રાજપીપળાથી અમદાવાદ લગ્ન માટે આવેલા જાનૈયાઓને હોસ્પિટલ જવું પડ્યું છે કારણ કે તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. મળતી માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં આવેલા 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. લગ્ન પ્રસંગનું આયોજન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં કરાયું હતું. રાજપીપળાથી હિમાંશુ ભાવસાર પરિવાર સાથે જાન લઈને અમદાવાદ આવ્યા હતા. 



લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જાનૈયાઓ જઈ રહ્યા હતા ત્યારે બની ઘટના!

અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં ઉતારો હતો અને ત્યાંજ લગ્નની વિધી પૂર્ણ થઈ હતી. અનુમાન અનુસાર વેલકમ ડ્રીંકની સાથે દુધની બનાવટનો જ્યુસ પીરસવામાં આવ્યો હતો, ત્યાર બાદ તમામને ભોજન પીરસવામાં આવ્યું હતું. જેને કારણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ. વર પક્ષ તેમજ કન્યા પક્ષના લોકોની તબિયત ખરાબ થવા લાગી. કન્યા વિદાય બાદ જ્યારે જાનૈયાઓ પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અનેક લોકોની તબિયત બગડવા લાગી. 



હોટેલ સંચાલક તાળા મારીને ફરાર! 

જાનૈયાઓને ઉલ્ટી થવા લાગી અને અશક્તિ મહેસૂસ થવા લાગી. અમદાવાદમાં જેમની તબિયત બગડી તેમને એલ.જી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા અને બીજા જાનૈયાઓને નડિયાદ ખાતે દાખલ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટના સામે આવતા હોટલ સંચાલક હોટેલને તાળા મારીને ફરાર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આ ઘટના બાદ ફૂડ વિભાગ હરકતમાં આવ્યું નથી!



ફૂડ પોઈઝનિંગના શું હોય છે લક્ષણ?     

સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ ઉનાળા દરમિયાન વધારે બનતી હોય છે. ઉનાળાના સમયમાં ભોજન બગડવાની બીક વધારે રહેતી હોય છે. જો કોઈ દૂધની આઈટમ બનાવી હોય તો તેનું વધારે ટેન્શન હોય છે. ખરાબ ભોજન ખાવાને કારણે સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગ થતું હોય છે. જો ફૂડ પોઈઝિનિંગના લક્ષણોની વાત કરીએ તો પેટમાં દુખાવો થાય, ઉલ્ટી થાય, માથામાં પણ દુખાવો થાય. કમજોરી મહેસૂસ થવા લાગે વગેરે વગેરે.... જો તબિયત વધારે ખરાબ લાગે તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ. અમે આશા રાખીએ કે ફૂડ પોઈઝિનિંગ કોઈને ના થાય.     



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.