Ahmedabad : લગ્ન પ્રસંગમાં બની ફૂડ પોઈઝનિંગની ઘટના, જાનૈયાઓને ખસેડાયા હોસ્પિટલ...


  • Published By :
  • Published Date : 2024-02-13 09:14:48

હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગમાં વિવિધ પ્રકારની વાનગી પિરસવામાં આવે છે. પરંતુ અનેક વખત એવી વાનગી, એવા વેલકમ ડ્રીંક પિરસવામાં આવે છે જેને કારણે લગ્નમાં જમાનાર લોકોની તબિયત બગડતી હોય છે. ત્યારે અમદાવાદમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જાનૈયાઓ રાજપીપળાથી આવ્યા હતા અને જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર દેખાવા લાગી અને તેમની તબિયત ખરાબ લાગી. ફૂડ પોઈઝનિંગની અસર દેખાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્ટી શરૂ થઈ ગઈ અને તેમને અશક્તિ મહેસૂસ થવા લાગી. અનેક લોકોને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજા લોકો નડિયાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં આ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ હોટેલ પર તાળા મારી સંચાલક ફરાર થઈ ગયા છે.  



રાજપીપળાથી આવ્યા હતા જાનૈયાઓ! 

વ્યવસ્થિત ભોજન ન પીરસાવાને કારણે અનેક વખત ફૂડ પોઈઝનિંગની ઘટના બનતી હોય છે. રાજપીપળાથી અમદાવાદ લગ્ન માટે આવેલા જાનૈયાઓને હોસ્પિટલ જવું પડ્યું છે કારણ કે તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. મળતી માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં આવેલા 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. લગ્ન પ્રસંગનું આયોજન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં કરાયું હતું. રાજપીપળાથી હિમાંશુ ભાવસાર પરિવાર સાથે જાન લઈને અમદાવાદ આવ્યા હતા. 



લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જાનૈયાઓ જઈ રહ્યા હતા ત્યારે બની ઘટના!

અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં ઉતારો હતો અને ત્યાંજ લગ્નની વિધી પૂર્ણ થઈ હતી. અનુમાન અનુસાર વેલકમ ડ્રીંકની સાથે દુધની બનાવટનો જ્યુસ પીરસવામાં આવ્યો હતો, ત્યાર બાદ તમામને ભોજન પીરસવામાં આવ્યું હતું. જેને કારણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ. વર પક્ષ તેમજ કન્યા પક્ષના લોકોની તબિયત ખરાબ થવા લાગી. કન્યા વિદાય બાદ જ્યારે જાનૈયાઓ પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અનેક લોકોની તબિયત બગડવા લાગી. 



હોટેલ સંચાલક તાળા મારીને ફરાર! 

જાનૈયાઓને ઉલ્ટી થવા લાગી અને અશક્તિ મહેસૂસ થવા લાગી. અમદાવાદમાં જેમની તબિયત બગડી તેમને એલ.જી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા અને બીજા જાનૈયાઓને નડિયાદ ખાતે દાખલ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટના સામે આવતા હોટલ સંચાલક હોટેલને તાળા મારીને ફરાર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આ ઘટના બાદ ફૂડ વિભાગ હરકતમાં આવ્યું નથી!



ફૂડ પોઈઝનિંગના શું હોય છે લક્ષણ?     

સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ ઉનાળા દરમિયાન વધારે બનતી હોય છે. ઉનાળાના સમયમાં ભોજન બગડવાની બીક વધારે રહેતી હોય છે. જો કોઈ દૂધની આઈટમ બનાવી હોય તો તેનું વધારે ટેન્શન હોય છે. ખરાબ ભોજન ખાવાને કારણે સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગ થતું હોય છે. જો ફૂડ પોઈઝિનિંગના લક્ષણોની વાત કરીએ તો પેટમાં દુખાવો થાય, ઉલ્ટી થાય, માથામાં પણ દુખાવો થાય. કમજોરી મહેસૂસ થવા લાગે વગેરે વગેરે.... જો તબિયત વધારે ખરાબ લાગે તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ. અમે આશા રાખીએ કે ફૂડ પોઈઝિનિંગ કોઈને ના થાય.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.