Ahmedabad : લગ્ન પ્રસંગમાં બની ફૂડ પોઈઝનિંગની ઘટના, જાનૈયાઓને ખસેડાયા હોસ્પિટલ...


  • Published By :
  • Published Date : 2024-02-13 09:14:48

હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે. લગ્ન પ્રસંગમાં વિવિધ પ્રકારની વાનગી પિરસવામાં આવે છે. પરંતુ અનેક વખત એવી વાનગી, એવા વેલકમ ડ્રીંક પિરસવામાં આવે છે જેને કારણે લગ્નમાં જમાનાર લોકોની તબિયત બગડતી હોય છે. ત્યારે અમદાવાદમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જાનૈયાઓ રાજપીપળાથી આવ્યા હતા અને જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર દેખાવા લાગી અને તેમની તબિયત ખરાબ લાગી. ફૂડ પોઈઝનિંગની અસર દેખાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્ટી શરૂ થઈ ગઈ અને તેમને અશક્તિ મહેસૂસ થવા લાગી. અનેક લોકોને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજા લોકો નડિયાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં આ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ હોટેલ પર તાળા મારી સંચાલક ફરાર થઈ ગયા છે.  



રાજપીપળાથી આવ્યા હતા જાનૈયાઓ! 

વ્યવસ્થિત ભોજન ન પીરસાવાને કારણે અનેક વખત ફૂડ પોઈઝનિંગની ઘટના બનતી હોય છે. રાજપીપળાથી અમદાવાદ લગ્ન માટે આવેલા જાનૈયાઓને હોસ્પિટલ જવું પડ્યું છે કારણ કે તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. મળતી માહિતી અનુસાર લગ્ન પ્રસંગમાં આવેલા 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. લગ્ન પ્રસંગનું આયોજન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં કરાયું હતું. રાજપીપળાથી હિમાંશુ ભાવસાર પરિવાર સાથે જાન લઈને અમદાવાદ આવ્યા હતા. 



લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જાનૈયાઓ જઈ રહ્યા હતા ત્યારે બની ઘટના!

અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં ઉતારો હતો અને ત્યાંજ લગ્નની વિધી પૂર્ણ થઈ હતી. અનુમાન અનુસાર વેલકમ ડ્રીંકની સાથે દુધની બનાવટનો જ્યુસ પીરસવામાં આવ્યો હતો, ત્યાર બાદ તમામને ભોજન પીરસવામાં આવ્યું હતું. જેને કારણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ. વર પક્ષ તેમજ કન્યા પક્ષના લોકોની તબિયત ખરાબ થવા લાગી. કન્યા વિદાય બાદ જ્યારે જાનૈયાઓ પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અનેક લોકોની તબિયત બગડવા લાગી. 



હોટેલ સંચાલક તાળા મારીને ફરાર! 

જાનૈયાઓને ઉલ્ટી થવા લાગી અને અશક્તિ મહેસૂસ થવા લાગી. અમદાવાદમાં જેમની તબિયત બગડી તેમને એલ.જી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા અને બીજા જાનૈયાઓને નડિયાદ ખાતે દાખલ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટના સામે આવતા હોટલ સંચાલક હોટેલને તાળા મારીને ફરાર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આ ઘટના બાદ ફૂડ વિભાગ હરકતમાં આવ્યું નથી!



ફૂડ પોઈઝનિંગના શું હોય છે લક્ષણ?     

સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ ઉનાળા દરમિયાન વધારે બનતી હોય છે. ઉનાળાના સમયમાં ભોજન બગડવાની બીક વધારે રહેતી હોય છે. જો કોઈ દૂધની આઈટમ બનાવી હોય તો તેનું વધારે ટેન્શન હોય છે. ખરાબ ભોજન ખાવાને કારણે સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગ થતું હોય છે. જો ફૂડ પોઈઝિનિંગના લક્ષણોની વાત કરીએ તો પેટમાં દુખાવો થાય, ઉલ્ટી થાય, માથામાં પણ દુખાવો થાય. કમજોરી મહેસૂસ થવા લાગે વગેરે વગેરે.... જો તબિયત વધારે ખરાબ લાગે તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ. અમે આશા રાખીએ કે ફૂડ પોઈઝિનિંગ કોઈને ના થાય.     



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.