અમદાવાદ હવે બન્યું બ્રિજ સિટી , 165 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:54:58

અમદાવાદમાં બ્રિજ ડેવલોપમેન્ટનું કામ એકદમ પુરજોરથી ચાલી રહ્યું છે. શહેરમાં SG હાઈવે અને SP રીંગરોડ પર સૌથી વધુ બ્રિજ બન્યાં છે. ત્યારે શહેરમાં વધુ એક ઓવરબ્રિજ બનાવવાની વિચારણા શરૂ કરાઈ છે. અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં ગુજરાતનો સૌથી લાંબો ઓવેરબ્રિજ બનવા જઈ રહ્યો છે . 165 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ઓવરબ્રિજ માટે રાજ્ય સરકાર અને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે.


કેટલા ખર્ચે તૈયાર થશે બ્રિજ ???


નરોડા પાટિયાથી દરરોજ 1.5થી લગભગ 2 લાખ વાહનો અહીથી પસાર થતાં હશે. અગાઉ છેલ્લા ઘણા વર્ષોથી મનપાના બજેટમાં નરોડા પાટિયા બ્રિજનું કામ કેરી ફોરવર્ડ થઇ રહ્યું હતું. પરંતુ આખરે તે ખુશીનો  દિવસ આવી ગયો.આધુનિક ડિઝાઈન સાથે આ બ્રિજ 165 કરોડના ખર્ચે નરોડા પાટીયા જંક્શનથી નરોડા ગેલેક્ક્ષી ક્રોસ રોડ સુધી બનશે. કુલ 3 કિ.મી લાંબા બ્રિજથી અમદાવાદના લોકો સીધા જ હિંમતનગર અથવા રાજસ્થાન તરફ જઈ શકશે. બ્રિજ ઉપર ચડવા અને ઉતરવા માટે એક્ઝીટ પણ આપવામાં આવશે. 


ટ્રાફિકથી મળશે છુટકારો !!!!


બ્રિજ બનવાથી લગભગ 2 કલાકનો સમય બચી જશે. શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે પૂર્વ વિસ્તારમાં નરોડામાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા છે કેમ કે ત્યાં થી ચીલોડ અને રાજસ્થાન જવા વાળા વાહનો પસાર થતાં હોય છે ત્યારે જો આ સૌથી લાંબો બ્રિજ બની જાયતો ટ્રાફિકની સમસ્યા એકદમ ઓછી થઈ જશે 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે