અમદાવાદ હવે બન્યું બ્રિજ સિટી , 165 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:54:58

અમદાવાદમાં બ્રિજ ડેવલોપમેન્ટનું કામ એકદમ પુરજોરથી ચાલી રહ્યું છે. શહેરમાં SG હાઈવે અને SP રીંગરોડ પર સૌથી વધુ બ્રિજ બન્યાં છે. ત્યારે શહેરમાં વધુ એક ઓવરબ્રિજ બનાવવાની વિચારણા શરૂ કરાઈ છે. અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં ગુજરાતનો સૌથી લાંબો ઓવેરબ્રિજ બનવા જઈ રહ્યો છે . 165 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ઓવરબ્રિજ માટે રાજ્ય સરકાર અને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે.


કેટલા ખર્ચે તૈયાર થશે બ્રિજ ???


નરોડા પાટિયાથી દરરોજ 1.5થી લગભગ 2 લાખ વાહનો અહીથી પસાર થતાં હશે. અગાઉ છેલ્લા ઘણા વર્ષોથી મનપાના બજેટમાં નરોડા પાટિયા બ્રિજનું કામ કેરી ફોરવર્ડ થઇ રહ્યું હતું. પરંતુ આખરે તે ખુશીનો  દિવસ આવી ગયો.આધુનિક ડિઝાઈન સાથે આ બ્રિજ 165 કરોડના ખર્ચે નરોડા પાટીયા જંક્શનથી નરોડા ગેલેક્ક્ષી ક્રોસ રોડ સુધી બનશે. કુલ 3 કિ.મી લાંબા બ્રિજથી અમદાવાદના લોકો સીધા જ હિંમતનગર અથવા રાજસ્થાન તરફ જઈ શકશે. બ્રિજ ઉપર ચડવા અને ઉતરવા માટે એક્ઝીટ પણ આપવામાં આવશે. 


ટ્રાફિકથી મળશે છુટકારો !!!!


બ્રિજ બનવાથી લગભગ 2 કલાકનો સમય બચી જશે. શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે પૂર્વ વિસ્તારમાં નરોડામાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા છે કેમ કે ત્યાં થી ચીલોડ અને રાજસ્થાન જવા વાળા વાહનો પસાર થતાં હોય છે ત્યારે જો આ સૌથી લાંબો બ્રિજ બની જાયતો ટ્રાફિકની સમસ્યા એકદમ ઓછી થઈ જશે 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .