Ahmedabad : સાંભળો એક એવા પરિવારની કહાણી જે આપણી વચ્ચે તો રહે છે પરંતુ તે એકદમ અલગ જીંદગી જીવે છે, Devanshi Joshiની દિવ્યા સાથે કટિંગ વાત


  • Published By :
  • Published Date : 2024-04-25 12:16:20

આપણે આપણી જીંદગીમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણી આસપાસ રહેતા લોકો વિશે આપણે જાણતા નથી... અનેક લોકોને તો એ પણ ખબર નથી હોતી કે તેમના પાડોશમાં કોણ રહે છે, તેમના ઘરમાં કામ કરવા આવતા લોકો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવે છે વગેરે વગેરે...આપણે તો તેમને પડતી તકલીફો વિશે નથી જાણતા પરંતુ રાજનેતાઓ પણ  એવા વિસ્તારોની મુલાકાત નથી લેતા. 

જમાવટની ટીમે એવા પરિવારની મુલાકાત લીધી જે.. 

ચૂંટણી સમયે જે ગરીબ લોકોની પરિસ્થિતિ સુધારવાની વાત રાજનેતાઓ પોતાના ભાષણમાં કરતા હોય છે તે ગરીબ પરિવાર કેવી રીતે ગુજરાન ચલાવે છે, તેમને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે જોવા રાજનેતાઓ નથી જતા...ત્યારે જમાવટની ટીમે એક એવા પરિવારની મુલાકાત કરી જે ઘરોમાં કામ કરીને, રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.... અમદાવાદને આપણે વિકસીત શહેર માનીએ છીએ, વિકસીત શહેર છે પણ ખરૂં પરંતુ આપણે એવા લોકોને આપણી સાથે લઈને ચાલવાનું ભૂલી ગયા છીએ કદાચ જે આપણી જેમ આ સમાજનો હિસ્સો છે.... 


અમારી જેવી રીતે જીંદગી વિતી તેવી જીંદગી તેમના બાળકો ના જીવે... 

ચૂંટણી સમયે નેતાઓને ગરીબ પરિવાર યાદ આવે છે, તેમને આગળ લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી શું નેતાઓને આવા ગરીબ પરિવારો યાદ આવે છે ખરા? ના, અને જો કદાચ આવા ગરીબ પરિવારો યાદ આવતા હોત તો આજે આવા લોકોને આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડ્યો હોત.. જ્યારે મજૂરી કરીને, ઘરના કામો કરીને ગુજરાન ચલાવતા પરિવારની મુલાકાત લઈએ છીએ ત્યારે એક વાત સામાન્ય જોવા મળે છે..માતા પિતા કહેતા સંભળાય છે કે અમે આવી મજૂરી કરી પરંતુ તમને આવી મજૂરી નહીં કરવા દઈએ... આ કિસ્સામાં પણ આવું જ છે... 


બાળકોના સારા ભવિષ્ય માટે માતા પિતા કરે છે મજૂરી 

માતા ઈચ્છે છે કે તેમના સંતાન આવી સ્થિતિમાંથી પસાર ના થાય. પરંતુ તેમની એક દિકરી મોટી થઈને તેમના જેવું કામ કરવા માગે છે કારણ કે તેને પોતાની માતાને ટેકો કરવો છે... જેવી મજૂરી માતા કરે છે તેને જોઈ હેતલબેનની દીકરી દિવ્યાને દયા આવી ગઈ... વાત કરતા કરતા તે ભાવુક પણ થઈ ગઈ... જે બાળકોએ પોતાના માતા પિતાને મજૂરી કરતા જોયા છે તેવા બાળકો એવું જ ઈચ્છે કે તે જલ્દી મોટા થાય અને તેઓ કામ પર લાગી જાય જેને કારણે તેમના માતા પિતાને કામ ના કરવું પડે... જે ઘરની મુલાકાત દેવાંશી જોષીએ કરી તે તેમના ઘરે કામ કરવા આવે છે.. 


જાગૃતિના અભાવને કારણે નથી હોતી યોજનાઓની જાણકારી

હેતલબેનના પરિવારે આખી કહાણી જણાવી. મતને લઈ હેતલબેનના પરિવારનો મત શું છે તે જાણવાની કોશિશ કરી.. મતદાનને લઈ, સરકારી યોજનાઓને લઈ તે લોકો કેટલા જાગૃત છે તે જાણવાનો પ્રયાસ કર્યો.. મહત્વનું છે કે અનેક સરકારી યોજનાઓ છે જેનો લાભ અનેક લોકો લે છે પરંતુ અનેક એવા લોકો પણ છે જેમની પાસે એટલી જાણકારી નથી હોતી યોજનાઓને લઈ... 


મજૂરી કરીને જીવન ગુજારનારી અનેક પેઢીઓ આવી રીતે ગુજરી છે... 

એક ભારત એવું છે જે આપણે રોજે જોઈએ છીએ પરંતુ એક ભારત એવું પણ છે જે આ ભારત કરતા એકદમ અલગ છે. જ્યાં સુધી આપણે આ ભારતને સાથે લઈને નહીં ચાલીએ ત્યાં સુધી આ ભારતની પરિસ્થિતિ નહીં બદલાય... જે પરિસ્થિતિમાં માતા હોય છે , તે જ પરિસ્થિતિમાં તે બાળક પણ જીવે છે અને આ એક વિષચક્ર છે જેમાં પેઢીઓની પેઢીઓ વહી જાય છે....  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.