Ahmedabad : સાંભળો એક એવા પરિવારની કહાણી જે આપણી વચ્ચે તો રહે છે પરંતુ તે એકદમ અલગ જીંદગી જીવે છે, Devanshi Joshiની દિવ્યા સાથે કટિંગ વાત


  • Published By :
  • Published Date : 2024-04-25 12:16:20

આપણે આપણી જીંદગીમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણી આસપાસ રહેતા લોકો વિશે આપણે જાણતા નથી... અનેક લોકોને તો એ પણ ખબર નથી હોતી કે તેમના પાડોશમાં કોણ રહે છે, તેમના ઘરમાં કામ કરવા આવતા લોકો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવે છે વગેરે વગેરે...આપણે તો તેમને પડતી તકલીફો વિશે નથી જાણતા પરંતુ રાજનેતાઓ પણ  એવા વિસ્તારોની મુલાકાત નથી લેતા. 

જમાવટની ટીમે એવા પરિવારની મુલાકાત લીધી જે.. 

ચૂંટણી સમયે જે ગરીબ લોકોની પરિસ્થિતિ સુધારવાની વાત રાજનેતાઓ પોતાના ભાષણમાં કરતા હોય છે તે ગરીબ પરિવાર કેવી રીતે ગુજરાન ચલાવે છે, તેમને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે જોવા રાજનેતાઓ નથી જતા...ત્યારે જમાવટની ટીમે એક એવા પરિવારની મુલાકાત કરી જે ઘરોમાં કામ કરીને, રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.... અમદાવાદને આપણે વિકસીત શહેર માનીએ છીએ, વિકસીત શહેર છે પણ ખરૂં પરંતુ આપણે એવા લોકોને આપણી સાથે લઈને ચાલવાનું ભૂલી ગયા છીએ કદાચ જે આપણી જેમ આ સમાજનો હિસ્સો છે.... 


અમારી જેવી રીતે જીંદગી વિતી તેવી જીંદગી તેમના બાળકો ના જીવે... 

ચૂંટણી સમયે નેતાઓને ગરીબ પરિવાર યાદ આવે છે, તેમને આગળ લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી શું નેતાઓને આવા ગરીબ પરિવારો યાદ આવે છે ખરા? ના, અને જો કદાચ આવા ગરીબ પરિવારો યાદ આવતા હોત તો આજે આવા લોકોને આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડ્યો હોત.. જ્યારે મજૂરી કરીને, ઘરના કામો કરીને ગુજરાન ચલાવતા પરિવારની મુલાકાત લઈએ છીએ ત્યારે એક વાત સામાન્ય જોવા મળે છે..માતા પિતા કહેતા સંભળાય છે કે અમે આવી મજૂરી કરી પરંતુ તમને આવી મજૂરી નહીં કરવા દઈએ... આ કિસ્સામાં પણ આવું જ છે... 


બાળકોના સારા ભવિષ્ય માટે માતા પિતા કરે છે મજૂરી 

માતા ઈચ્છે છે કે તેમના સંતાન આવી સ્થિતિમાંથી પસાર ના થાય. પરંતુ તેમની એક દિકરી મોટી થઈને તેમના જેવું કામ કરવા માગે છે કારણ કે તેને પોતાની માતાને ટેકો કરવો છે... જેવી મજૂરી માતા કરે છે તેને જોઈ હેતલબેનની દીકરી દિવ્યાને દયા આવી ગઈ... વાત કરતા કરતા તે ભાવુક પણ થઈ ગઈ... જે બાળકોએ પોતાના માતા પિતાને મજૂરી કરતા જોયા છે તેવા બાળકો એવું જ ઈચ્છે કે તે જલ્દી મોટા થાય અને તેઓ કામ પર લાગી જાય જેને કારણે તેમના માતા પિતાને કામ ના કરવું પડે... જે ઘરની મુલાકાત દેવાંશી જોષીએ કરી તે તેમના ઘરે કામ કરવા આવે છે.. 


જાગૃતિના અભાવને કારણે નથી હોતી યોજનાઓની જાણકારી

હેતલબેનના પરિવારે આખી કહાણી જણાવી. મતને લઈ હેતલબેનના પરિવારનો મત શું છે તે જાણવાની કોશિશ કરી.. મતદાનને લઈ, સરકારી યોજનાઓને લઈ તે લોકો કેટલા જાગૃત છે તે જાણવાનો પ્રયાસ કર્યો.. મહત્વનું છે કે અનેક સરકારી યોજનાઓ છે જેનો લાભ અનેક લોકો લે છે પરંતુ અનેક એવા લોકો પણ છે જેમની પાસે એટલી જાણકારી નથી હોતી યોજનાઓને લઈ... 


મજૂરી કરીને જીવન ગુજારનારી અનેક પેઢીઓ આવી રીતે ગુજરી છે... 

એક ભારત એવું છે જે આપણે રોજે જોઈએ છીએ પરંતુ એક ભારત એવું પણ છે જે આ ભારત કરતા એકદમ અલગ છે. જ્યાં સુધી આપણે આ ભારતને સાથે લઈને નહીં ચાલીએ ત્યાં સુધી આ ભારતની પરિસ્થિતિ નહીં બદલાય... જે પરિસ્થિતિમાં માતા હોય છે , તે જ પરિસ્થિતિમાં તે બાળક પણ જીવે છે અને આ એક વિષચક્ર છે જેમાં પેઢીઓની પેઢીઓ વહી જાય છે....  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે