Ahmedabad : સાંભળો એક એવા પરિવારની કહાણી જે આપણી વચ્ચે તો રહે છે પરંતુ તે એકદમ અલગ જીંદગી જીવે છે, Devanshi Joshiની દિવ્યા સાથે કટિંગ વાત


  • Published By :
  • Published Date : 2024-04-25 12:16:20

આપણે આપણી જીંદગીમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણી આસપાસ રહેતા લોકો વિશે આપણે જાણતા નથી... અનેક લોકોને તો એ પણ ખબર નથી હોતી કે તેમના પાડોશમાં કોણ રહે છે, તેમના ઘરમાં કામ કરવા આવતા લોકો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવે છે વગેરે વગેરે...આપણે તો તેમને પડતી તકલીફો વિશે નથી જાણતા પરંતુ રાજનેતાઓ પણ  એવા વિસ્તારોની મુલાકાત નથી લેતા. 

જમાવટની ટીમે એવા પરિવારની મુલાકાત લીધી જે.. 

ચૂંટણી સમયે જે ગરીબ લોકોની પરિસ્થિતિ સુધારવાની વાત રાજનેતાઓ પોતાના ભાષણમાં કરતા હોય છે તે ગરીબ પરિવાર કેવી રીતે ગુજરાન ચલાવે છે, તેમને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે જોવા રાજનેતાઓ નથી જતા...ત્યારે જમાવટની ટીમે એક એવા પરિવારની મુલાકાત કરી જે ઘરોમાં કામ કરીને, રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.... અમદાવાદને આપણે વિકસીત શહેર માનીએ છીએ, વિકસીત શહેર છે પણ ખરૂં પરંતુ આપણે એવા લોકોને આપણી સાથે લઈને ચાલવાનું ભૂલી ગયા છીએ કદાચ જે આપણી જેમ આ સમાજનો હિસ્સો છે.... 


અમારી જેવી રીતે જીંદગી વિતી તેવી જીંદગી તેમના બાળકો ના જીવે... 

ચૂંટણી સમયે નેતાઓને ગરીબ પરિવાર યાદ આવે છે, તેમને આગળ લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી શું નેતાઓને આવા ગરીબ પરિવારો યાદ આવે છે ખરા? ના, અને જો કદાચ આવા ગરીબ પરિવારો યાદ આવતા હોત તો આજે આવા લોકોને આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડ્યો હોત.. જ્યારે મજૂરી કરીને, ઘરના કામો કરીને ગુજરાન ચલાવતા પરિવારની મુલાકાત લઈએ છીએ ત્યારે એક વાત સામાન્ય જોવા મળે છે..માતા પિતા કહેતા સંભળાય છે કે અમે આવી મજૂરી કરી પરંતુ તમને આવી મજૂરી નહીં કરવા દઈએ... આ કિસ્સામાં પણ આવું જ છે... 


બાળકોના સારા ભવિષ્ય માટે માતા પિતા કરે છે મજૂરી 

માતા ઈચ્છે છે કે તેમના સંતાન આવી સ્થિતિમાંથી પસાર ના થાય. પરંતુ તેમની એક દિકરી મોટી થઈને તેમના જેવું કામ કરવા માગે છે કારણ કે તેને પોતાની માતાને ટેકો કરવો છે... જેવી મજૂરી માતા કરે છે તેને જોઈ હેતલબેનની દીકરી દિવ્યાને દયા આવી ગઈ... વાત કરતા કરતા તે ભાવુક પણ થઈ ગઈ... જે બાળકોએ પોતાના માતા પિતાને મજૂરી કરતા જોયા છે તેવા બાળકો એવું જ ઈચ્છે કે તે જલ્દી મોટા થાય અને તેઓ કામ પર લાગી જાય જેને કારણે તેમના માતા પિતાને કામ ના કરવું પડે... જે ઘરની મુલાકાત દેવાંશી જોષીએ કરી તે તેમના ઘરે કામ કરવા આવે છે.. 


જાગૃતિના અભાવને કારણે નથી હોતી યોજનાઓની જાણકારી

હેતલબેનના પરિવારે આખી કહાણી જણાવી. મતને લઈ હેતલબેનના પરિવારનો મત શું છે તે જાણવાની કોશિશ કરી.. મતદાનને લઈ, સરકારી યોજનાઓને લઈ તે લોકો કેટલા જાગૃત છે તે જાણવાનો પ્રયાસ કર્યો.. મહત્વનું છે કે અનેક સરકારી યોજનાઓ છે જેનો લાભ અનેક લોકો લે છે પરંતુ અનેક એવા લોકો પણ છે જેમની પાસે એટલી જાણકારી નથી હોતી યોજનાઓને લઈ... 


મજૂરી કરીને જીવન ગુજારનારી અનેક પેઢીઓ આવી રીતે ગુજરી છે... 

એક ભારત એવું છે જે આપણે રોજે જોઈએ છીએ પરંતુ એક ભારત એવું પણ છે જે આ ભારત કરતા એકદમ અલગ છે. જ્યાં સુધી આપણે આ ભારતને સાથે લઈને નહીં ચાલીએ ત્યાં સુધી આ ભારતની પરિસ્થિતિ નહીં બદલાય... જે પરિસ્થિતિમાં માતા હોય છે , તે જ પરિસ્થિતિમાં તે બાળક પણ જીવે છે અને આ એક વિષચક્ર છે જેમાં પેઢીઓની પેઢીઓ વહી જાય છે....  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.