અમદાવાદ હિટ એન્ડ રન કેસ: તથ્ય સાથે ગાડીમાં બેઠેલા મિત્રો સાથે શું થયું? કોણ હતા તે જાણો


  • Published By :
  • Published Date : 2023-07-22 15:13:28

છેલ્લા બે દિવસથી દરેક જગ્યાઓ પર અમદાવાદના ઈસ્કોનમાં બનેલી ઘટનાઓ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. તથ્ય પટેલની ગાડીથી 10 લોકોના જીવ ગયા. મૃતકોમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. તથ્ય પટેલ તેમજ પ્રજ્ઞેશ પટેલના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે મૃતકોના મૃતદેહ તેમના ઘરે પહોંચ્યા અને જ્યારે અંતિમ સંસ્કાર કરવા માટે યાત્રા નીકળી ત્યારે જે દ્રશ્યો સર્જાયા હતા તે ખુબ કરૂણ હતા. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પરિવારજનોમાં શોક તો હતો પરંતુ આક્રોશ પણ વધારે હતો. જે તથ્ય પટેલની ગાડીથી અકસ્માત સર્જાયો હતો તેમાં તે એકલો ન હતો તેની સાથે તેના મિત્રો પણ હતા. તથ્ય પટેલ સાથે આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ ગાડીમાં બેસી કેફેથી પરત આવી રહ્યા હતા.તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.   

ટોળાના ગુસ્સાથી બચી ફરાર થઈ ગયા હતા તથ્યના મિત્રો 

તથ્ય પટેલ વિશે તો બધાંયે જાણી લીધું પરંતુ ગાડીમાં બેઠેલા બીજા યુવાનો વિશે કોઈને માહિતી નથી. અકસ્માત સમયે કારમાં તથ્ય સાથે તેના 5 મિત્રો હતા જેમાં 3 યુવતી અને 2 યુવક હતાં. મિત્રો ભેગા થઈને ઘરેથી બોપલના એક કાફેમાં વોફલ્સ ખાવા માટે નીકળ્યા હતા. વોફલ્સ ખાઈને જ્યારે તેઓ પોતાની કારમાં ઘરે પરત આવતા હતા ને તે જ સમયે ઈસ્કોન બ્રિજ પાસે 9 લોકોને પોતાની કારથી ફૂટબોલની જેમ હવામાં ઉછાળીને મોતને ઘાટ ઉતાર્યા. ઘટનાસ્થળે લોકોએ તો નબીરાઓને ઘેરીને પોતાનો રોષ ઠાલવ્યો પણ મિત્રો પોતાનો જીવ બચાવીને ફરાર થઈ ગયા હતા.


તથ્ય સાથે તેના આ મિત્રો ગાડીમાં હતા સવાર 

તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં.



ઈસ્કોન બ્રિજ પર ગાડી પરથી કાબુ ગુમાવતા લીધા 9 લોકોના જીવ   

તથ્ય જેગ્યુઆર ગાડી ચલાવતો હતો જ્યારે ધ્વનિ તેની બાજુમાં બેઠી હતી. આર્યન, શાન, શ્રેયા અને માલવિકા ગાડીમાં પાછળ બેઠાં હતાં. કાફેથી વોફલ્સ ખાઈને જ્યારે ઘરે જવા માટે પરત ફરી રહ્યા હતા ત્યારે અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. ગાડી ચલાવતાં ચલાવતાં જ્યારે ઇસ્કોન બ્રિજ પર ચઢ્યા ત્યારે બ્રિજ પર વરસાદના કારણે ફોગિંગવાળું વાતાવરણ હતું. કાર આગળ અચાનક જ લોકોનું ટોળું આવ્યું અને ગાડીની સ્પીડ પર કાબૂ ન રહેતાં તે બ્રિજ પર ઊભેલા તમામ લોકો પર ફરી વળી અને 9 લોકોનાં મોત થયાં. 

તથ્ય સાથે રહેલા મિત્રોની કરાઈ હતી અટકાયત 

અકસ્માત બાદ ગાડી આગળ જઈને ઊભી રહી ગઈ હતી અને આસપાસના લોકો રોષે ભરાયા અને પછી તે નબીરાઓએ પોતાના પરિવારજનોને બોલાયા અને ભીડથી ભાગીને નીકળી ગયા. પરમદિવસે તે લોકોની પણ અટકાયત થઈ હતી. અને પૂછપરછ કરી ઘરે પરત મોકલી દીધા હતા. આ ઘટનામાં એમનો ગુન્હો દેખીતો નથી પરંતુ તે પણ થોડાક અંશે જવાબદાર છે. જ્યારે તથ્ય ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તે તેને રોકી શકતા હતા. તે ધારતા તો તથ્ય પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી શકતા હતા. પરંતુ તે પણ ઝડપની મજા લેવામાં વ્યસ્ત હતા. 


થોડા ક્ષણની મજા સજામાં સાબિત થતી હોય છે...  

આ ઘટના ઉપરથી શીખવાનું છે કે આપણી આસપાસ પણ એવા અનેક લોકો હશે, આસપાસ શું આપણા જ પરિવારમાં એવા અનેક લોકો હશે જે સ્પીડમાં ગાડી ચલાવતા હશે. અનેક એવા સભ્યો હશે કે જે હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવતા હશે. ત્યારે તેમને પરિવારના વડીલોએ સલાહ આપવી જોઈએ કે માત્ર અમુક મિનીટની મજા જીંદગીભરની સજા બની જતી હોય છે. ઝડપની મજા મોતની સજા જેવા અનેક બોર્ડ આપણે જોયા હશે પરંતુ જોયા પછી? જેમ અનેક ઘટનાઓને નજરઅંદાજ કરીએ છીએ તેમ તે બોર્ડને પણ નજર અંદાજ કરી આગળ ચાલી નીકળતા હોય છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.