Ahmedabad : સિંધુ ભવન પર બની Hit And Runની ઘટના, થાર ગાડીની અડફેટે આવતા 18 વર્ષીય યુવકનું થયું મોત, શું માણસના જીવની કોઈ કિંમત નથી?


  • Published By :
  • Published Date : 2024-03-09 17:56:49

અમદાવાદનો સિંધુ ભવન વિસ્તાર જાણે નબીરાઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગે છે. આ રસ્તાને નબીરાઓ પોતાના બાપનો રસ્તો સમજીને બેઠા હોય તેવી રીતે નબીરાઓ બેફામ બનીને વાહન ચલાવતા હોય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ઓવર સ્પીડિંગને કારણે અકસ્માત થતો હોય છે અને લોકોના મોત થતા હોય છે. વધુ એક અકસ્માત સિંધુ ભવન રોડ પર સર્જાયો છે જેમાં થાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો છે. અને અડફેટે આવેલા યુવકનું મોત થઈ ગયું છે. 

News18 Gujarati

ક્યાં સુધી નબીરાઓની ગાડી નીચે કચડાતા રહેશે નિર્દોષ લોકો? 

અકસ્માત આ શબ્દ જાણે સામાન્ય થઈ ગયો છે. પ્રતિદિન અકસ્માતની ઘટના બને છે અને કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. ઘણા કિસ્સાઓમાં તો એવું પણ જોવા મળ્યું છે કે નિદોર્ષ વ્યક્તિનું મોત કોઈ બીજાની ભૂલને કારણે થઈ જતું હોય છે. અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે આ વાક્ય અનેક વખત કહેતા હોઈએ છીએ અને વાત સાચી પણ છે કારણ કે બેફામ બનેલા નબીરાઓ અકસ્માત સર્જે છે અને કોઈ પરિવાર પોતાનું સદસ્ય ગુમાવે છે. થોડા સમય પહેલા અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં 9 જેટલા નિર્દોષ લોકો કચડાયા હતા અને આજે ફરી એક વખત અમદાવાદના સિંધુ ભવનમાં અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. 

News18 Gujarati

થાર ગાડી સાથે યુવકની ટક્કર થઈ અને થઈ ગયું યુવકનું મોત!

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જે યુવકનું મોત થયું છે તે માત્ર 18 વર્ષનો હતો.. થારની અડફેટે આવતા જયદીપ સોંલકી નામનો યુવક ગંભીર રીતે ઈજાગસ્ત થયો અને તે મોતને ભેટ્યો. સિંધુ ભવન રોડ જાણે બાઈક., કાર માટે રેસિંગ પોઈન્ટ બની ગયો હોય તેવું લાગે છે. કલર કરવા, રોફ જમાવવા માટે અનેક વખત સ્ટંટ બાજી કરતા હોય છે, ઓવરસ્પીડિંગમાં વાહન ચલાવતા હોય છે અને આ પ્રકારના અકસ્માત સર્જાતા હોય છે. જે વ્યક્તિનું મોત આ ઘટનામાં થયું છે તે પોતાના મિત્ર સાથે નિકળ્યો હતો અને કાળનો કોળિયો બની ગયો. થાર ગાડી સાથે જ્યારે યુવકની ટક્કર થઈ ત્યારે તે હવામાં ફંગોળાયો હતો તેવી માહિતી સામે આવી છે. ગંભીર રીતે યુવક ઘાયલ થયો હતો અને તેનું મોત થઈ ગયું છે. આ ઘટના શુક્રવાર રાત્રે બની છે તેવી માહિતી સામે આવી છે. અકસ્માત થયા બાદ ગાડી મૂકીને ચાલક ફરાર થઈ ગયો છે. 

  News18 Gujarati

આવા નબીરાઓ વિરૂદ્ધ પોલીસ ક્યારે લેશે એક્શન?  

આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ અહીંયા પ્રશ્ન પોલીસની કામગીરી પર પણ થાય કારણ કે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે.. લોકોના સુરક્ષાની જવાબદારી પોલીસના શીરે છે. સ્ટંટ કરતા અનેક લોકો વિરૂદ્ધ પોલીસ એક્શન લે છે પરંતુ આવા બેફામ બનેલા નબીરાઓ વિરૂદ્ધ ક્યારે કોઈ એક્શન લેવાશે? ક્યાં સુધી રસ્તાને બાપનો બગીચા સમજીને વાહન ચલાવતા લોકો કોઈને કચડીને જતા રહેશે? ક્યાં સુધી કોઈ મા બાપ આવા નબીરાને કારણે પોતાના દીકરાને ગુમાવશે?  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.