Ahmedabad : તકતીમાં નામ ન મળતા Jamalpurના ધારાસભ્ય Imran Khedawala રિસાયા, તકતી પર મારી દીધો કાળો સ્પ્રે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-10 08:44:42

Shakespeareએ બહુ પહેલા એક વાક્ય કહ્યું હતું કે નામ મેં ક્યા રખા હેં... પોતાના નામનું ઘર હોય, ઘરની બહાર પોતાના નામની નેમ પ્લેટ હોય વગેરે વગેરે.... કોઈ નામ ખોટી રીતે બોલે તો પણ અનેક લોકો ગુસ્સે થઈ જતા હોય છે.સારા કામોમાં પોતાનું નામ આવે તે સામાન્ય રીતે અનેક માણસો ઈચ્છતા હોય છે. અને એમાં પણ કોઈ રાજકારણી હોય તો તો કહેવું જ શું.? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં તકતી પર નામ ન હોવાને કારણે કોંગ્રેસના ધારાસભ્ય રોષે ભરાઈ ગયા. તકતીમાં પોતાનું નામ ન હોવાનો તેમણે વિરોધ કર્યો અને પાછળથી તકતીમાં તેમનું નામ ઉમેરવામાં આવે તેવી વાત કહી. 

તકતી પર નામ ન હતું એટલે ધારાસભ્યને આવ્યો ગુસ્સો

સામાન્ય રીતે નેતાઓને તખ્તી પર પોતાનું નામ લખવાનો હરખ હોય છે. જ્યારે કોઈ જગ્યાનું કે કોઈ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવતું હોય છે ત્યારે તકતી પર નામ લખવામાં આવતું હોય છે. તકતી પર તેમનું નામ ના લખાય તો તેમને ગુસ્સો પણ આવી જતો હોય છે. આવું જ કંઈક થયું અમદાવાદમાં કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યનું નામ તકતીમાં નહોતું તો તેમને ગુસ્સો આવી ગયો. 


તકતી પર કાળો સ્પ્રે મારી ધારાસભ્યએ નોંધાવ્યો વિરોધ 

વાત એમ બની કે, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હિમોડાયાલિસિસ સેન્ટરનું મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાના કારણે તેઓએ ઉદ્ઘાટન તકતી ઉપર કાળો સ્પ્રે મારી વિરોધ દર્શાવ્યો હતો. ધારાસભ્યના આકરા વિરોધને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર એક કલાકમાં જ તાત્કાલિક ધોરણે તકતીને બદલી નાખવામાં આવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.