Ahmedabad : તકતીમાં નામ ન મળતા Jamalpurના ધારાસભ્ય Imran Khedawala રિસાયા, તકતી પર મારી દીધો કાળો સ્પ્રે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-10 08:44:42

Shakespeareએ બહુ પહેલા એક વાક્ય કહ્યું હતું કે નામ મેં ક્યા રખા હેં... પોતાના નામનું ઘર હોય, ઘરની બહાર પોતાના નામની નેમ પ્લેટ હોય વગેરે વગેરે.... કોઈ નામ ખોટી રીતે બોલે તો પણ અનેક લોકો ગુસ્સે થઈ જતા હોય છે.સારા કામોમાં પોતાનું નામ આવે તે સામાન્ય રીતે અનેક માણસો ઈચ્છતા હોય છે. અને એમાં પણ કોઈ રાજકારણી હોય તો તો કહેવું જ શું.? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં તકતી પર નામ ન હોવાને કારણે કોંગ્રેસના ધારાસભ્ય રોષે ભરાઈ ગયા. તકતીમાં પોતાનું નામ ન હોવાનો તેમણે વિરોધ કર્યો અને પાછળથી તકતીમાં તેમનું નામ ઉમેરવામાં આવે તેવી વાત કહી. 

તકતી પર નામ ન હતું એટલે ધારાસભ્યને આવ્યો ગુસ્સો

સામાન્ય રીતે નેતાઓને તખ્તી પર પોતાનું નામ લખવાનો હરખ હોય છે. જ્યારે કોઈ જગ્યાનું કે કોઈ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવતું હોય છે ત્યારે તકતી પર નામ લખવામાં આવતું હોય છે. તકતી પર તેમનું નામ ના લખાય તો તેમને ગુસ્સો પણ આવી જતો હોય છે. આવું જ કંઈક થયું અમદાવાદમાં કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યનું નામ તકતીમાં નહોતું તો તેમને ગુસ્સો આવી ગયો. 


તકતી પર કાળો સ્પ્રે મારી ધારાસભ્યએ નોંધાવ્યો વિરોધ 

વાત એમ બની કે, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હિમોડાયાલિસિસ સેન્ટરનું મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાના કારણે તેઓએ ઉદ્ઘાટન તકતી ઉપર કાળો સ્પ્રે મારી વિરોધ દર્શાવ્યો હતો. ધારાસભ્યના આકરા વિરોધને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર એક કલાકમાં જ તાત્કાલિક ધોરણે તકતીને બદલી નાખવામાં આવી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.