Ahmedabad : તકતીમાં નામ ન મળતા Jamalpurના ધારાસભ્ય Imran Khedawala રિસાયા, તકતી પર મારી દીધો કાળો સ્પ્રે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-10 08:44:42

Shakespeareએ બહુ પહેલા એક વાક્ય કહ્યું હતું કે નામ મેં ક્યા રખા હેં... પોતાના નામનું ઘર હોય, ઘરની બહાર પોતાના નામની નેમ પ્લેટ હોય વગેરે વગેરે.... કોઈ નામ ખોટી રીતે બોલે તો પણ અનેક લોકો ગુસ્સે થઈ જતા હોય છે.સારા કામોમાં પોતાનું નામ આવે તે સામાન્ય રીતે અનેક માણસો ઈચ્છતા હોય છે. અને એમાં પણ કોઈ રાજકારણી હોય તો તો કહેવું જ શું.? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં તકતી પર નામ ન હોવાને કારણે કોંગ્રેસના ધારાસભ્ય રોષે ભરાઈ ગયા. તકતીમાં પોતાનું નામ ન હોવાનો તેમણે વિરોધ કર્યો અને પાછળથી તકતીમાં તેમનું નામ ઉમેરવામાં આવે તેવી વાત કહી. 

તકતી પર નામ ન હતું એટલે ધારાસભ્યને આવ્યો ગુસ્સો

સામાન્ય રીતે નેતાઓને તખ્તી પર પોતાનું નામ લખવાનો હરખ હોય છે. જ્યારે કોઈ જગ્યાનું કે કોઈ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવતું હોય છે ત્યારે તકતી પર નામ લખવામાં આવતું હોય છે. તકતી પર તેમનું નામ ના લખાય તો તેમને ગુસ્સો પણ આવી જતો હોય છે. આવું જ કંઈક થયું અમદાવાદમાં કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યનું નામ તકતીમાં નહોતું તો તેમને ગુસ્સો આવી ગયો. 


તકતી પર કાળો સ્પ્રે મારી ધારાસભ્યએ નોંધાવ્યો વિરોધ 

વાત એમ બની કે, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હિમોડાયાલિસિસ સેન્ટરનું મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાના કારણે તેઓએ ઉદ્ઘાટન તકતી ઉપર કાળો સ્પ્રે મારી વિરોધ દર્શાવ્યો હતો. ધારાસભ્યના આકરા વિરોધને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર એક કલાકમાં જ તાત્કાલિક ધોરણે તકતીને બદલી નાખવામાં આવી હતી.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે