Ahmedabad Kalorex school : વીડિયો બનાવનાર વિરૂદ્ધ લેવાશે દંડાત્મક કાર્યવાહી, જાણો પોલીસે શું કરી કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-10-06 15:39:47

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર અમદાવાદમાં આવેલી ઘાટલોડિયા સ્કૂલનો વીડિયો વાયરલ થયો હતો. તેમાં વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. આ વીડિયો સામે આવતા લોકો, વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ શાળામાં પહોંચી શિક્ષકને માર માર્યો હતો. ત્યારે આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા શાળા ઓથોરિટી આ મામલે કેસ કરે તે માટે કહેવામાં આવ્યું આ બધા વચ્ચે જે કર્મચારીએ આ વીડિયો બનાવી અપલોડ કર્યો હતો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ શિક્ષકને માર્યો હતો માર 

અમદાવાદની કોલોરેક્સ સ્કૂલનો એક વીડિયો સેશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બાળકોને નમાઝ અદા કરાવવામાં આવી રહી હતી.વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હિંદુ સંગઠનોના અનેક કાર્યકર્તાઓએ કાયદો પોતાના હાથમાં લીધો હતો. શિક્ષકને મારતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ ઘટનામાં પોલીસ ફરિયાદ સ્કૂલ દ્વારા કરવામાં આવે તે માટે પોલીસે સ્કૂલ ઓથોરિટીને આગળ આવવા આહ્વાન કર્યું હતું.. 



વીડિયો બનાવનાર વિરૂદ્ધ થશે કાર્યવાહી 

જો આ મામલે કોઈ ફરિયાદ નથી નોંધવામાં આવતી તો પોલીસ પોતે આ કેસમાં ફરિયાદી બનશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. ત્યારે આજે આ મામલે નવી અપડેટ આવી છે. સ્કૂલના કર્મીઓ સાથે શિક્ષાત્મક પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે. આ વીડિયો જેણે પણ બનાવ્યો છે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત આ મામલે તપાસ કરવા માટે સમિતીની પણ રચના કરવામાં આવી છે. અને આ સમિતી દ્વારા તપાસ પણ શરૂ થઈ ગઈ છે. 3 એજ્યુકેશન ઈન્સપેક્ટર આ સમિતીમાં સામેલ છે. 


ટીમ દ્વારા કરવામાં આવી પ્રાથમિક તપાસ  

મહત્વનું છે કે આ વીડિયોની જાણ ડીઈઓને થતાં સમગ્ર મામલો શું છે તેની જાણકારી મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  ડીઈઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં નોંધવામાં આવ્યું હતું કે સ્કૂલનો એવો કોઈ ઈરાદો ન હતો, મહત્વનું છે કે આચાર્ય દ્વારા માફી પણ માગવામાં આવી હતી. ત્યારે હવે જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો છે તેમના વિરૂદ્ધ દંડાત્મક પગલા લેવામાં આવશે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.