Ahmedabad Kalorex school : વીડિયો બનાવનાર વિરૂદ્ધ લેવાશે દંડાત્મક કાર્યવાહી, જાણો પોલીસે શું કરી કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-10-06 15:39:47

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર અમદાવાદમાં આવેલી ઘાટલોડિયા સ્કૂલનો વીડિયો વાયરલ થયો હતો. તેમાં વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા. આ વીડિયો સામે આવતા લોકો, વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ શાળામાં પહોંચી શિક્ષકને માર માર્યો હતો. ત્યારે આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા શાળા ઓથોરિટી આ મામલે કેસ કરે તે માટે કહેવામાં આવ્યું આ બધા વચ્ચે જે કર્મચારીએ આ વીડિયો બનાવી અપલોડ કર્યો હતો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ શિક્ષકને માર્યો હતો માર 

અમદાવાદની કોલોરેક્સ સ્કૂલનો એક વીડિયો સેશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બાળકોને નમાઝ અદા કરાવવામાં આવી રહી હતી.વીડિયો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હિંદુ સંગઠનોના અનેક કાર્યકર્તાઓએ કાયદો પોતાના હાથમાં લીધો હતો. શિક્ષકને મારતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ ઘટનામાં પોલીસ ફરિયાદ સ્કૂલ દ્વારા કરવામાં આવે તે માટે પોલીસે સ્કૂલ ઓથોરિટીને આગળ આવવા આહ્વાન કર્યું હતું.. 



વીડિયો બનાવનાર વિરૂદ્ધ થશે કાર્યવાહી 

જો આ મામલે કોઈ ફરિયાદ નથી નોંધવામાં આવતી તો પોલીસ પોતે આ કેસમાં ફરિયાદી બનશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. ત્યારે આજે આ મામલે નવી અપડેટ આવી છે. સ્કૂલના કર્મીઓ સાથે શિક્ષાત્મક પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે. આ વીડિયો જેણે પણ બનાવ્યો છે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત આ મામલે તપાસ કરવા માટે સમિતીની પણ રચના કરવામાં આવી છે. અને આ સમિતી દ્વારા તપાસ પણ શરૂ થઈ ગઈ છે. 3 એજ્યુકેશન ઈન્સપેક્ટર આ સમિતીમાં સામેલ છે. 


ટીમ દ્વારા કરવામાં આવી પ્રાથમિક તપાસ  

મહત્વનું છે કે આ વીડિયોની જાણ ડીઈઓને થતાં સમગ્ર મામલો શું છે તેની જાણકારી મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  ડીઈઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં નોંધવામાં આવ્યું હતું કે સ્કૂલનો એવો કોઈ ઈરાદો ન હતો, મહત્વનું છે કે આચાર્ય દ્વારા માફી પણ માગવામાં આવી હતી. ત્યારે હવે જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો છે તેમના વિરૂદ્ધ દંડાત્મક પગલા લેવામાં આવશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.