Ahmedabad: ક્ષત્રિય સમાજની બેઠક, પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દની માગ પર ક્ષત્રિય સમાજ અડગ તો ભાજપ પણ પોતાની વાત પર મક્કમ!


  • Published By :
  • Published Date : 2024-04-18 15:05:37

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા છેલ્લા દિવસોથી થઈ રહી છે... પરષોત્તમ રૂપાલા સામેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ભાજપ ટસનું મસ થવા તૈયાર નથી તો ક્ષત્રિયો પણ પોતાની માગ અને મુદ્દા પર અડગ દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. ત્યારે આવતી કાલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજાવાનું છે.  


આજે ઘડાશે આંદોલનને લઈ રણનીતિ 

ગુજરાતમાં એક તરફ લોકસભા ચૂંટણીનો જંગ જામી રહ્યો છે તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થઈ રહી છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા માગ કરવામાં આવી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય. ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી.. આવતી કાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બપોરે ત્રણ વાગ્યે રાજપૂત સંકલન સમિતિ અમદાવાદના ગોતા ખાતે પોતાની આગામી રણનીતિ ઘડવાની છે, ત્રણ વાગ્યે યોજાનારી આ બેઠકમાં ક્ષત્રિય સમાજ આરપારની જંગ માટે આક્રમક રણનીતિ ઘડી શકે 

છે.

અમદાવાદ પોલીસકમિશનરે બહાર પાડ્યું છે જાહેરનામું

રાજકોટના રતનપરમાં જે રીતે એલાન થયું હતુ કે રૂપાલા જો ફોર્મ પરત નથી લેતા તો આંદોલનનો પાર્ટ 2 યોજાશે અને અમદાવાદનું જીએમડીસી ભરી દેવામાં આવશે, એ જ દિશામાં રણનીતિ ઘડવાની તૈયારીઓ થઈ રહી છે, જો કે અમદાવાદના પોલીસ કમિશનરએ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કોઈને પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



અમદાવાદમાં આંદોલન કરવાની મળશે પરવાનગી?

એકબાજુ ક્ષત્રિય સમાજ શાંતિપુર્વક આંદોલનના વિવિધ રસ્તા શોધી રહ્યો છે, રાજકીય પક્ષો આક્રમક રીતે પોતાના ઝંડા સતત લહેરાવે છે, પણ વિરોધ દર્શાવવો હોય તો કાળા વાવટા ફરકાવવા પર અમદાવાદમાં પ્રતિબંધ છે, એવા સંજોગોમાં અમદાવાદમાં આંદોલન માટે પરવાનગી મળે એવી સંભાવનાઓ નહિવત લાગી રહી છે, અને જો પરવાનગી મળે છે તો કેટલી સંખ્યામાં  ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈને શક્તિપ્રદર્શન કરી શકે છે એ જોવાનું રહેશે. 



આજની રણનીતિ પર રહેલો છે આધાર 

રાજકોટના રતનપરમાં મળેલા સંમેલનના દ્રશ્યોએ આખા દેશમાં ચર્ચા જગાવી હતી, આ મુદ્દો હવે દેશના અલગ અલગ હિસ્સાઓ પર પ્રભાવ પાડી રહ્યો છે એવા સંજોગોમાં ક્ષત્રિય સમાજની આગળની રણનીતિ પર બધો આધાર રહેવાનો છે. આંદોલન એવા મુકામ પર પહોંચ્યું છે જ્યાંથી પાછા વળવું કોઈ માટે સરળ નથી રહ્યું. ત્યારે આંદોલનમાં વચ્ચેનો રસ્તો જે પહેલેથી હતો જ નહીં એની સંભાવનાઓ પણ સાવ ઘટી ગઈ છે. બંને બાજુ રાજહઠ છે, કોણ ઝુકે છે અને સામે વાળાને કેવી રીતે ઝુકાવે છે એ દ્રશ્ય 4થી જૂને ખબર પડશે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે