Ahmedabad: ક્ષત્રિય સમાજની બેઠક, પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દની માગ પર ક્ષત્રિય સમાજ અડગ તો ભાજપ પણ પોતાની વાત પર મક્કમ!


  • Published By :
  • Published Date : 2024-04-18 15:05:37

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા છેલ્લા દિવસોથી થઈ રહી છે... પરષોત્તમ રૂપાલા સામેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ભાજપ ટસનું મસ થવા તૈયાર નથી તો ક્ષત્રિયો પણ પોતાની માગ અને મુદ્દા પર અડગ દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. ત્યારે આવતી કાલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજાવાનું છે.  


આજે ઘડાશે આંદોલનને લઈ રણનીતિ 

ગુજરાતમાં એક તરફ લોકસભા ચૂંટણીનો જંગ જામી રહ્યો છે તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થઈ રહી છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા માગ કરવામાં આવી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય. ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી.. આવતી કાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બપોરે ત્રણ વાગ્યે રાજપૂત સંકલન સમિતિ અમદાવાદના ગોતા ખાતે પોતાની આગામી રણનીતિ ઘડવાની છે, ત્રણ વાગ્યે યોજાનારી આ બેઠકમાં ક્ષત્રિય સમાજ આરપારની જંગ માટે આક્રમક રણનીતિ ઘડી શકે 

છે.

અમદાવાદ પોલીસકમિશનરે બહાર પાડ્યું છે જાહેરનામું

રાજકોટના રતનપરમાં જે રીતે એલાન થયું હતુ કે રૂપાલા જો ફોર્મ પરત નથી લેતા તો આંદોલનનો પાર્ટ 2 યોજાશે અને અમદાવાદનું જીએમડીસી ભરી દેવામાં આવશે, એ જ દિશામાં રણનીતિ ઘડવાની તૈયારીઓ થઈ રહી છે, જો કે અમદાવાદના પોલીસ કમિશનરએ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કોઈને પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



અમદાવાદમાં આંદોલન કરવાની મળશે પરવાનગી?

એકબાજુ ક્ષત્રિય સમાજ શાંતિપુર્વક આંદોલનના વિવિધ રસ્તા શોધી રહ્યો છે, રાજકીય પક્ષો આક્રમક રીતે પોતાના ઝંડા સતત લહેરાવે છે, પણ વિરોધ દર્શાવવો હોય તો કાળા વાવટા ફરકાવવા પર અમદાવાદમાં પ્રતિબંધ છે, એવા સંજોગોમાં અમદાવાદમાં આંદોલન માટે પરવાનગી મળે એવી સંભાવનાઓ નહિવત લાગી રહી છે, અને જો પરવાનગી મળે છે તો કેટલી સંખ્યામાં  ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈને શક્તિપ્રદર્શન કરી શકે છે એ જોવાનું રહેશે. 



આજની રણનીતિ પર રહેલો છે આધાર 

રાજકોટના રતનપરમાં મળેલા સંમેલનના દ્રશ્યોએ આખા દેશમાં ચર્ચા જગાવી હતી, આ મુદ્દો હવે દેશના અલગ અલગ હિસ્સાઓ પર પ્રભાવ પાડી રહ્યો છે એવા સંજોગોમાં ક્ષત્રિય સમાજની આગળની રણનીતિ પર બધો આધાર રહેવાનો છે. આંદોલન એવા મુકામ પર પહોંચ્યું છે જ્યાંથી પાછા વળવું કોઈ માટે સરળ નથી રહ્યું. ત્યારે આંદોલનમાં વચ્ચેનો રસ્તો જે પહેલેથી હતો જ નહીં એની સંભાવનાઓ પણ સાવ ઘટી ગઈ છે. બંને બાજુ રાજહઠ છે, કોણ ઝુકે છે અને સામે વાળાને કેવી રીતે ઝુકાવે છે એ દ્રશ્ય 4થી જૂને ખબર પડશે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.