Ahmedabad: ક્ષત્રિય સમાજની બેઠક, પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દની માગ પર ક્ષત્રિય સમાજ અડગ તો ભાજપ પણ પોતાની વાત પર મક્કમ!


  • Published By :
  • Published Date : 2024-04-18 15:05:37

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા છેલ્લા દિવસોથી થઈ રહી છે... પરષોત્તમ રૂપાલા સામેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ભાજપ ટસનું મસ થવા તૈયાર નથી તો ક્ષત્રિયો પણ પોતાની માગ અને મુદ્દા પર અડગ દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. ત્યારે આવતી કાલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજાવાનું છે.  


આજે ઘડાશે આંદોલનને લઈ રણનીતિ 

ગુજરાતમાં એક તરફ લોકસભા ચૂંટણીનો જંગ જામી રહ્યો છે તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થઈ રહી છે. પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા માગ કરવામાં આવી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થાય. ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી.. આવતી કાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બપોરે ત્રણ વાગ્યે રાજપૂત સંકલન સમિતિ અમદાવાદના ગોતા ખાતે પોતાની આગામી રણનીતિ ઘડવાની છે, ત્રણ વાગ્યે યોજાનારી આ બેઠકમાં ક્ષત્રિય સમાજ આરપારની જંગ માટે આક્રમક રણનીતિ ઘડી શકે 

છે.

અમદાવાદ પોલીસકમિશનરે બહાર પાડ્યું છે જાહેરનામું

રાજકોટના રતનપરમાં જે રીતે એલાન થયું હતુ કે રૂપાલા જો ફોર્મ પરત નથી લેતા તો આંદોલનનો પાર્ટ 2 યોજાશે અને અમદાવાદનું જીએમડીસી ભરી દેવામાં આવશે, એ જ દિશામાં રણનીતિ ઘડવાની તૈયારીઓ થઈ રહી છે, જો કે અમદાવાદના પોલીસ કમિશનરએ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કોઈને પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



અમદાવાદમાં આંદોલન કરવાની મળશે પરવાનગી?

એકબાજુ ક્ષત્રિય સમાજ શાંતિપુર્વક આંદોલનના વિવિધ રસ્તા શોધી રહ્યો છે, રાજકીય પક્ષો આક્રમક રીતે પોતાના ઝંડા સતત લહેરાવે છે, પણ વિરોધ દર્શાવવો હોય તો કાળા વાવટા ફરકાવવા પર અમદાવાદમાં પ્રતિબંધ છે, એવા સંજોગોમાં અમદાવાદમાં આંદોલન માટે પરવાનગી મળે એવી સંભાવનાઓ નહિવત લાગી રહી છે, અને જો પરવાનગી મળે છે તો કેટલી સંખ્યામાં  ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈને શક્તિપ્રદર્શન કરી શકે છે એ જોવાનું રહેશે. 



આજની રણનીતિ પર રહેલો છે આધાર 

રાજકોટના રતનપરમાં મળેલા સંમેલનના દ્રશ્યોએ આખા દેશમાં ચર્ચા જગાવી હતી, આ મુદ્દો હવે દેશના અલગ અલગ હિસ્સાઓ પર પ્રભાવ પાડી રહ્યો છે એવા સંજોગોમાં ક્ષત્રિય સમાજની આગળની રણનીતિ પર બધો આધાર રહેવાનો છે. આંદોલન એવા મુકામ પર પહોંચ્યું છે જ્યાંથી પાછા વળવું કોઈ માટે સરળ નથી રહ્યું. ત્યારે આંદોલનમાં વચ્ચેનો રસ્તો જે પહેલેથી હતો જ નહીં એની સંભાવનાઓ પણ સાવ ઘટી ગઈ છે. બંને બાજુ રાજહઠ છે, કોણ ઝુકે છે અને સામે વાળાને કેવી રીતે ઝુકાવે છે એ દ્રશ્ય 4થી જૂને ખબર પડશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.