Ahmedabad : લલિત ખંભાયતાના પ્રવાસ નિબંધો 'રખડે એ મહારાજા' પુસ્તકનું થયું વિમોચન, કાર્યક્રમમાં આ મહાનુભાવોએ આપી હાજરી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-02-26 16:47:10

પત્રકારત્વમાં એવું માનવામાં આવે છે જેટલું તમે ફરશો, જેટલા વધારે લોકોને મળશો તેમ તેમ તમારા અંદર રહેલી ભાવનાઓ જાગતી રહે છે. ઈમોશન્સ સાથે પત્રકાર જલ્દી કનેક્ટ થઈ શકે છે. ત્યારે જાણીતા પત્રકાર અને લેખક લલિત ખંભાયતાના પ્રવાસ નિબંધોના પુસ્તકનું વિમોચન રવિવાર 25 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદના કોલાબ ખાતે કરવામાં આવ્યું. પુસ્તકનું નામ છે રખડે એ મહારાજા. પુસ્તક વિમોચન કાર્યક્રમના અધ્યક્ષ યુગપ્રવર્તક પત્રકાર અને સફારીના તંત્રી નગેન્દ્ર વિજય હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે જમાવટ મીડિયાના સ્થાપક દેવાંશી જોશી હાજર રહ્યા હતા. 

પત્રકારના જીવનમાં પ્રવાસ અભિન્ન અંગ ગણાય છે! 

આપણા જીવનમાં પુસ્તકોની ભૂમિકા મહત્વની હોય છે. જો સારી પુસ્તકનો સથવારો મળી જાય તો દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. પુસ્તક આપણને ઘણું બધુ નવું નવું શિખવાડતું હોય છે. એક પત્રકાર માટે જેટલું ફરવું જરૂરી હોય છે તેટલું શબ્દ ભંડોળની પણ જરૂર હોય છે.  પ્રવાસએ પત્રકારત્વનું અનિવાર્ય અંગ છે. ત્યારે જાણીતા પત્રકાર-લેખક લલિત ખંભાયતા પ્રવાસ નિબંધોના પુસ્તક 'રખડે એ મહારાજા'નું રવિવારે 25મી ફેબ્રુઆરીના દિવસે વિમોચન થયું હતું. પુસ્તક વિમોચનનું આયોજન સિંધુભવન રોડના સંસ્કૃતિ કેન્દ્ર ગણાતા એવા પુસ્તક-સ્ટેશનરી સ્ટોર કોલાબ ખાતે આ પ્રસંગ યોજાયો હતો.

દેવાંશી જોશીએ પત્રકારત્વમાં પ્રવાસની મહત્તા સમજાવી

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જમાવટ મીડિયાના સ્થાપક દેવાંશી જોશી હાજર રહ્યા હતા. દેવાંશી જોશીએ પત્રકારત્વમાં પ્રવાસની અનિવાર્યતા સમજાવી હતી. દેવાંશી જોશીએ કહ્યું હતું કે પત્રકાર તરીકે પ્રવાસ ન કરીએ તો પ્રજાના પ્રશ્નો સમજી શકતા નથી. પછી આપણને પ્રજાના પ્રહરી કે પ્રતિનિધિ ગણાવાનો હક્ક પણ રહેતો નથી. સાચી સ્થિતિ જાણવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર જવું જ રહ્યું, તેનો કોઈ વિકલ્પ નથી.


પુસ્તક અંગે લેખકે માહિતી આપતા કહ્યું કે.. 

આ કાર્યક્રમનું સંચાલનનું કાર્ય યુવા ગૌરવ વિજેતા કવિ-ગઝલકાર સંચાલક હરદ્વાર ગોસ્વામીએ સંભાળ્યું હતું, જ્યારે નવભારત પ્રકાશન મંદિરના રોનક શાહ અને કુનાલ શાહે મહેમાનો માટે સ્ટોરમાં સુંદર વ્યવસ્થા કરી હતી. પુસ્તકની વાત કરતા લેખક લલિત ખંભાયતાએ જણાવ્યું હતું કે રખડે એ મહારાજામાં કુલ પ્રવાસના 14 પ્રકરણ છે. એમાં જાપાનની વાત પણ છે અને ગુજરાતના છેલ્લા બહારવટિયા રામવાળાની કથા પણ છે. ગિરનારના અજાણ્યા સ્થળો છે, તો હિમાલયના હિંડોળાની પણ વાત છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.