Ahmedabad : લલિત ખંભાયતાના પ્રવાસ નિબંધો 'રખડે એ મહારાજા' પુસ્તકનું થયું વિમોચન, કાર્યક્રમમાં આ મહાનુભાવોએ આપી હાજરી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-02-26 16:47:10

પત્રકારત્વમાં એવું માનવામાં આવે છે જેટલું તમે ફરશો, જેટલા વધારે લોકોને મળશો તેમ તેમ તમારા અંદર રહેલી ભાવનાઓ જાગતી રહે છે. ઈમોશન્સ સાથે પત્રકાર જલ્દી કનેક્ટ થઈ શકે છે. ત્યારે જાણીતા પત્રકાર અને લેખક લલિત ખંભાયતાના પ્રવાસ નિબંધોના પુસ્તકનું વિમોચન રવિવાર 25 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદના કોલાબ ખાતે કરવામાં આવ્યું. પુસ્તકનું નામ છે રખડે એ મહારાજા. પુસ્તક વિમોચન કાર્યક્રમના અધ્યક્ષ યુગપ્રવર્તક પત્રકાર અને સફારીના તંત્રી નગેન્દ્ર વિજય હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે જમાવટ મીડિયાના સ્થાપક દેવાંશી જોશી હાજર રહ્યા હતા. 

પત્રકારના જીવનમાં પ્રવાસ અભિન્ન અંગ ગણાય છે! 

આપણા જીવનમાં પુસ્તકોની ભૂમિકા મહત્વની હોય છે. જો સારી પુસ્તકનો સથવારો મળી જાય તો દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. પુસ્તક આપણને ઘણું બધુ નવું નવું શિખવાડતું હોય છે. એક પત્રકાર માટે જેટલું ફરવું જરૂરી હોય છે તેટલું શબ્દ ભંડોળની પણ જરૂર હોય છે.  પ્રવાસએ પત્રકારત્વનું અનિવાર્ય અંગ છે. ત્યારે જાણીતા પત્રકાર-લેખક લલિત ખંભાયતા પ્રવાસ નિબંધોના પુસ્તક 'રખડે એ મહારાજા'નું રવિવારે 25મી ફેબ્રુઆરીના દિવસે વિમોચન થયું હતું. પુસ્તક વિમોચનનું આયોજન સિંધુભવન રોડના સંસ્કૃતિ કેન્દ્ર ગણાતા એવા પુસ્તક-સ્ટેશનરી સ્ટોર કોલાબ ખાતે આ પ્રસંગ યોજાયો હતો.

દેવાંશી જોશીએ પત્રકારત્વમાં પ્રવાસની મહત્તા સમજાવી

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જમાવટ મીડિયાના સ્થાપક દેવાંશી જોશી હાજર રહ્યા હતા. દેવાંશી જોશીએ પત્રકારત્વમાં પ્રવાસની અનિવાર્યતા સમજાવી હતી. દેવાંશી જોશીએ કહ્યું હતું કે પત્રકાર તરીકે પ્રવાસ ન કરીએ તો પ્રજાના પ્રશ્નો સમજી શકતા નથી. પછી આપણને પ્રજાના પ્રહરી કે પ્રતિનિધિ ગણાવાનો હક્ક પણ રહેતો નથી. સાચી સ્થિતિ જાણવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર જવું જ રહ્યું, તેનો કોઈ વિકલ્પ નથી.


પુસ્તક અંગે લેખકે માહિતી આપતા કહ્યું કે.. 

આ કાર્યક્રમનું સંચાલનનું કાર્ય યુવા ગૌરવ વિજેતા કવિ-ગઝલકાર સંચાલક હરદ્વાર ગોસ્વામીએ સંભાળ્યું હતું, જ્યારે નવભારત પ્રકાશન મંદિરના રોનક શાહ અને કુનાલ શાહે મહેમાનો માટે સ્ટોરમાં સુંદર વ્યવસ્થા કરી હતી. પુસ્તકની વાત કરતા લેખક લલિત ખંભાયતાએ જણાવ્યું હતું કે રખડે એ મહારાજામાં કુલ પ્રવાસના 14 પ્રકરણ છે. એમાં જાપાનની વાત પણ છે અને ગુજરાતના છેલ્લા બહારવટિયા રામવાળાની કથા પણ છે. ગિરનારના અજાણ્યા સ્થળો છે, તો હિમાલયના હિંડોળાની પણ વાત છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."