Ahmedabad: ડો.વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં આવી મોટી અપડેટ, PI બી.કે. ખાચરના આગોતરા જામીન થયા નામંજૂર, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-14 18:26:18

પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ અનેક લોકો પોતાનું જીવન આત્મહત્યા કરી ટૂંકાવી દેતા હોય છે.. ત્યારે થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. મળતી માહિતી અનુસાર સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજીને ફગાવી દેતા ગમે ત્યારે પીઆઈ ખાચરની ધરપકડ થઈ શકે છે.. તેમની પર ધરપકડની તલવાર લટકી છે.. 

Ahmedabad: The police claimed that the PI had committed suicide in an  affair with Khachar | Ahmedabad: 'મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, જે પગલું  ભરું છું, તેના જવાબદાર ખાચર છે'


ડો.વૈશાલી જોશીએ કરી લીધો હતો આપઘાત  

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં થોડા સમય પહેલા ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઈડ નોટ પણ મળી હતી જેમાં પીઆઈ ખાચરના નામનો ઉલ્લેખ હતો. પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા તેમ છતાંય તેમણે ડો.વૈશાલી જોશીને પ્રેમ જાળમાં ફસાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારે મહિલા ડોક્ટરને ખબર ન હતી પરંતુ તે બાદ તેને આ વાતની જાણ થઈ. પીઆઈને મળવા માટે તે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ તે મળ્યા નહીં. પીઆઈએ તેમને ઈગ્નોર કર્યા. 

ડૉ. વૈશાલી જોષી આત્મહત્યા મામલે પીઆઇ બી કે ખાચર વિરૂદ્વ ગુનો નોંધાયો |  Gayakwad haveli police lodged complaint against PI B K khachar in Vaishali  joshi suicide case


કોર્ટે ફગાવી દીધી આગોતરા જામીન માટે કરવામાં આવેલી અરજી

ઘટનાના અનેક દિવસો બાદ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી.. પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ થઈ અને આ મામલે કાર્યવાહી આગળ થઈ. ત્યારે આ મામલે મોટી અપડેટ સામે આવી છે. પીઆઈ બી.કે.ખાચરે આપઘાત કેસમાં પોતાની ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન  માટે અરજી કરી હતી.. પીઆઈ ખાચરે ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન માટે અરજી કરી હતી કોર્ટમાં પરંતુ કોર્ટે તેમના જામીન અરજીને ફગાવી દીધી છે...       



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.