Ahmedabad: ડો.વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં આવી મોટી અપડેટ, PI બી.કે. ખાચરના આગોતરા જામીન થયા નામંજૂર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-14 18:26:18

પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ અનેક લોકો પોતાનું જીવન આત્મહત્યા કરી ટૂંકાવી દેતા હોય છે.. ત્યારે થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. મળતી માહિતી અનુસાર સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજીને ફગાવી દેતા ગમે ત્યારે પીઆઈ ખાચરની ધરપકડ થઈ શકે છે.. તેમની પર ધરપકડની તલવાર લટકી છે.. 

Ahmedabad: The police claimed that the PI had committed suicide in an  affair with Khachar | Ahmedabad: 'મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, જે પગલું  ભરું છું, તેના જવાબદાર ખાચર છે'


ડો.વૈશાલી જોશીએ કરી લીધો હતો આપઘાત  

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં થોડા સમય પહેલા ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઈડ નોટ પણ મળી હતી જેમાં પીઆઈ ખાચરના નામનો ઉલ્લેખ હતો. પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા તેમ છતાંય તેમણે ડો.વૈશાલી જોશીને પ્રેમ જાળમાં ફસાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારે મહિલા ડોક્ટરને ખબર ન હતી પરંતુ તે બાદ તેને આ વાતની જાણ થઈ. પીઆઈને મળવા માટે તે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ તે મળ્યા નહીં. પીઆઈએ તેમને ઈગ્નોર કર્યા. 

ડૉ. વૈશાલી જોષી આત્મહત્યા મામલે પીઆઇ બી કે ખાચર વિરૂદ્વ ગુનો નોંધાયો |  Gayakwad haveli police lodged complaint against PI B K khachar in Vaishali  joshi suicide case


કોર્ટે ફગાવી દીધી આગોતરા જામીન માટે કરવામાં આવેલી અરજી

ઘટનાના અનેક દિવસો બાદ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી.. પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ થઈ અને આ મામલે કાર્યવાહી આગળ થઈ. ત્યારે આ મામલે મોટી અપડેટ સામે આવી છે. પીઆઈ બી.કે.ખાચરે આપઘાત કેસમાં પોતાની ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન  માટે અરજી કરી હતી.. પીઆઈ ખાચરે ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન માટે અરજી કરી હતી કોર્ટમાં પરંતુ કોર્ટે તેમના જામીન અરજીને ફગાવી દીધી છે...       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.