Ahmedabad: ડો.વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં આવી મોટી અપડેટ, PI બી.કે. ખાચરના આગોતરા જામીન થયા નામંજૂર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-14 18:26:18

પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ અનેક લોકો પોતાનું જીવન આત્મહત્યા કરી ટૂંકાવી દેતા હોય છે.. ત્યારે થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. મળતી માહિતી અનુસાર સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજીને ફગાવી દેતા ગમે ત્યારે પીઆઈ ખાચરની ધરપકડ થઈ શકે છે.. તેમની પર ધરપકડની તલવાર લટકી છે.. 

Ahmedabad: The police claimed that the PI had committed suicide in an  affair with Khachar | Ahmedabad: 'મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, જે પગલું  ભરું છું, તેના જવાબદાર ખાચર છે'


ડો.વૈશાલી જોશીએ કરી લીધો હતો આપઘાત  

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં થોડા સમય પહેલા ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઈડ નોટ પણ મળી હતી જેમાં પીઆઈ ખાચરના નામનો ઉલ્લેખ હતો. પીઆઈ ખાચર પહેલેથી પરણિત હતા તેમ છતાંય તેમણે ડો.વૈશાલી જોશીને પ્રેમ જાળમાં ફસાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારે મહિલા ડોક્ટરને ખબર ન હતી પરંતુ તે બાદ તેને આ વાતની જાણ થઈ. પીઆઈને મળવા માટે તે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા હતા પરંતુ તે મળ્યા નહીં. પીઆઈએ તેમને ઈગ્નોર કર્યા. 

ડૉ. વૈશાલી જોષી આત્મહત્યા મામલે પીઆઇ બી કે ખાચર વિરૂદ્વ ગુનો નોંધાયો |  Gayakwad haveli police lodged complaint against PI B K khachar in Vaishali  joshi suicide case


કોર્ટે ફગાવી દીધી આગોતરા જામીન માટે કરવામાં આવેલી અરજી

ઘટનાના અનેક દિવસો બાદ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી.. પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ થઈ અને આ મામલે કાર્યવાહી આગળ થઈ. ત્યારે આ મામલે મોટી અપડેટ સામે આવી છે. પીઆઈ બી.કે.ખાચરે આપઘાત કેસમાં પોતાની ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન  માટે અરજી કરી હતી.. પીઆઈ ખાચરે ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન માટે અરજી કરી હતી કોર્ટમાં પરંતુ કોર્ટે તેમના જામીન અરજીને ફગાવી દીધી છે...       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.