અમદાવાદ મેટ્રોના મુસાફરો માટે હવે પાર્કિંગની સુવિધા મળશે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 15:20:15


અમદાવાદીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેવી મેટ્રો સંપૂર્ણ પણે દોડતી થઈ ગઈ છે ત્યારે સૌથી મોટી સમસ્યા હતી કે જે મુસાફરી કરવા આવતા હતાએ લોકો માટે પાર્કિંગની સુવિધા મળી રેહતી નોહતી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો.જેને લઇ મેટ્રો ટ્રેનના અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં મેટ્રો સ્ટેશનની આસપાસ આવેલા પે એન્ડ પાર્ક અથવા પાર્કિગ સ્થળમાં નાગરિકો પાર્કિંગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


આજે મેટ્રો રૂટ પર 18 પાર્કિંગ સ્થળોએ મેટ્રોના પાર્કિંગ જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 18 પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યા છે તેમાં કેટલાક એવા સ્થળ છે જે મેટ્રો રૂટથી 500 મીટર દૂર છે જેના કારણે લોકો વાહન પાર્કિંગ કરવાનું મોંઘું પડે તેમ છે.


કેટલા સ્થળોએ હાલ પાર્કિંગ ફ્રી ?


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી માં જાહેર થયું કે  થલતેજથી વસ્ત્રાલ સુધીના મેટ્રો રૂટમાં નજીકમાં આવેલા 18 જેટલા પે એન્ડ પાર્ક અથવા પાર્કિગ પ્લોટ જેમાં આગામી દિવસોમાં ટેન્ડર બહાર પાડી અને કોન્ટ્રાક્ટ આપવાનો છે તે પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. 18 જેટલા પાર્કિંગ સ્થળ જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં 13 જેટલા પાર્કિંગ સ્થળ પે એન્ડ પાર્ક છે જ્યારે પાંચ જેટલા સ્થળોએ આગામી દિવસોમાં પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે. ત્યાં સુધી લોકો ફ્રીમાં એવી જગ્યાએ પાર્ક કરી શકશે. જોકે, કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાક પાર્કિંગના સ્થળ છે તે થોડા દૂર છે જેના કારણે મુસાફરોને વાહન પાર્ક કરી સ્ટેશન સુધી ચાલવું પડે તેમ છે.



કયા કયા પાર્કિંગ કરી શકાશે વાહનો ? 


ગુજરાત કોલેજ રેલવે ઓવરબ્રિજ નીચે (બંને તરફ)

રિલીફ રોડ મકરંદ દેસાઈ પાર્કિગ

લાલ દરવાજા GPO ઓફિસ પાસે

હેલ્મેટ સર્કલ (હાલમાં ફ્રી પાર્કિગ)

કાલુપુર કબૂતર ખાના પાસે

કાલુપુર ચોખા બજાર પાસે

વસ્ત્રાલ રતનપુરા ગામ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)

વસ્ત્રાલ અર્પણ સ્કૂલ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)

વસ્ત્રાલ માધવ સ્કૂલ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)

ગુજરાત વિદ્યાપીઠથી ઇન્કમટેક્સ રોડ

ઇન્કમટેક્સથી સેલ્સ ઇન્ડિયા

શાહપુર મહેશ્વરી મિલ પ્લોટ

સ્ટેડિયમ સર્કલથી પંચવટી

નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિગ

ગુરુદ્વારાથી પકવાન ચાર રસ્તા

મીઠાખળીથી માઉન્ટ કારમેલ સ્કૂલ

અખબારનગર અખદાનંદ સોસાયટી પાસે (હાલમાં ફ્રી પાર્કિગ)



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.