અમદાવાદ: દાસ ખમણની ચટણીમાંથી જીવાત નિકળતા હડકંપ, ગ્રાહકે AMCને કરી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2024-02-18 15:38:19

અમદાવાદીઓ ખાણીપીણીના શોખિન છે, જો કે બહારનું આ સ્વાદિષ્ટ મનાતુ ભોજન આરોગ્ય માટે ઘણી વખત ખતરનાક નિવડે છે. અમદાવાદમાં દાસના ખમણ ખૂબ પ્રખ્યાત છે મોટી સંખ્યામાં લોકો દાસના ખમણનો આસ્વાદ માણવા આવે છે. જો કે આ સમાચાર વાંચ્યા પછી તમે દાસના ખમણ ખાવાનું ભૂલી જશો, વાત એમ છે કે મણિનગર વિસ્તારમાં આવેલી દાસ ખમણ નામની દુકાનની ચટણીમાંથી જીવાત મળતા હાહાકાર મચી ગયો છે.


કઈ રીતે મળી જીવાત?


અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અલ્કેશ નામના વ્યક્તિ આજે રવિવારે સવારે મણિનગર વિસ્તારમાં આવેલી દાસ ખમણ નામની દુકાનમાંથી ખમણ સહિતની ચીજ વસ્તુઓ લેવા માટે આવ્યા હતા. દુકાનમાંથી ખમણની સાથે ચટણી આપવામાં આવી હતી. આ ખમણ અને ચટણી ઘરે જઈ ખાધી જેના કારણે તેમના પત્ની અને બાળકોને ઉલટી જેવું થયું હતું. ચટણીમાં જોયું તો તેમાં મચ્છર જેવી જીવાત જોવા મળી હતી. તેથી તેઓ તાત્કાલિક દુકાન ઉપર ગયા હતા અને ત્યાં હાજર વ્યક્તિને તેઓએ ચટણીમાંથી નીકળેલી જીવાત બતાવી હતી. આ મામલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાં ફરિયાદ કરી છે.


ફરિયાદ તો નોંધાઈ શું AMC કાર્યવાહી કરશે?


ગ્રાહકે સમગ્ર મામલે તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગનને ઓનલાઇન અને ફરિયાદ નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી. દાસ ખમણમાંથી ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દુકાનને સીલ પણ કરવામાં આવી છે. હવે કોર્પોરેશન દ્વારા દાસ ખમણ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે મોટો સવાલ છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે