અમદાવાદ: દાસ ખમણની ચટણીમાંથી જીવાત નિકળતા હડકંપ, ગ્રાહકે AMCને કરી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2024-02-18 15:38:19

અમદાવાદીઓ ખાણીપીણીના શોખિન છે, જો કે બહારનું આ સ્વાદિષ્ટ મનાતુ ભોજન આરોગ્ય માટે ઘણી વખત ખતરનાક નિવડે છે. અમદાવાદમાં દાસના ખમણ ખૂબ પ્રખ્યાત છે મોટી સંખ્યામાં લોકો દાસના ખમણનો આસ્વાદ માણવા આવે છે. જો કે આ સમાચાર વાંચ્યા પછી તમે દાસના ખમણ ખાવાનું ભૂલી જશો, વાત એમ છે કે મણિનગર વિસ્તારમાં આવેલી દાસ ખમણ નામની દુકાનની ચટણીમાંથી જીવાત મળતા હાહાકાર મચી ગયો છે.


કઈ રીતે મળી જીવાત?


અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અલ્કેશ નામના વ્યક્તિ આજે રવિવારે સવારે મણિનગર વિસ્તારમાં આવેલી દાસ ખમણ નામની દુકાનમાંથી ખમણ સહિતની ચીજ વસ્તુઓ લેવા માટે આવ્યા હતા. દુકાનમાંથી ખમણની સાથે ચટણી આપવામાં આવી હતી. આ ખમણ અને ચટણી ઘરે જઈ ખાધી જેના કારણે તેમના પત્ની અને બાળકોને ઉલટી જેવું થયું હતું. ચટણીમાં જોયું તો તેમાં મચ્છર જેવી જીવાત જોવા મળી હતી. તેથી તેઓ તાત્કાલિક દુકાન ઉપર ગયા હતા અને ત્યાં હાજર વ્યક્તિને તેઓએ ચટણીમાંથી નીકળેલી જીવાત બતાવી હતી. આ મામલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાં ફરિયાદ કરી છે.


ફરિયાદ તો નોંધાઈ શું AMC કાર્યવાહી કરશે?


ગ્રાહકે સમગ્ર મામલે તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગનને ઓનલાઇન અને ફરિયાદ નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી. દાસ ખમણમાંથી ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દુકાનને સીલ પણ કરવામાં આવી છે. હવે કોર્પોરેશન દ્વારા દાસ ખમણ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે મોટો સવાલ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.