અમદાવાદીઓના હિતમાં AMCનો મોટો નિર્ણય, 2 હજારની નોટથી ભરી શકાશે એડવાન્સ ટેક્સ


  • Published By :
  • Published Date : 2023-05-30 20:02:10

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બે હજારની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરતા ઘણા લોકોના પેટમાં તેલ રેડાયું છે. કાળું નાણું ધરાવતા લોકો માટે આટલી મોટી રકમની નોટો વટાવવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ ચૂકવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. AMCનો એડવાન્સ ટેક્ષ 2000ની નોટથી ભરી શકાશે. 


AMCની રેવન્યુ કમિટીનો નિર્ણય


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં અમદાવાદીઓના હિતમાં આ વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદીઓ 30-9-2023 સુધી 2000ની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકશે. AMCની રેવન્યુ કમિટીના આ નિર્ણયથી 2000 રૂપિયાની નોટ ધારકોને ફાયદો એ થશે કે તેમને બેંકનો ધક્કા નહીં ખાવા પડે અને તે લોકો એડવાન્સ ટેક્ષ ભરવામાં આ નોટનો ઉપયોગ કરી શકશે. 


ટેક્ષ નહીં ભરનારી કંપનીઓ સામે લાલ આંખ


AMCએ ટેક્ષ નહીં ભરનારી કંપનીઓ સામે લાલ આંખ કરી નોટિસ ફટકારી છે. વોડાફોન, આઈડિયા, રિલાયન્સ સહિત 6 કંપનીઓને નોટિસ પાઠવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ 6 કંપનીઓનો રૂ. 2.21 કરોડનો ટેક્ષ બાકી છે. ટેલિફોન કંપનીઓ ટેક્સ નહી ભરે તો આરઓ પરમિટ નહીં આપવામાં આવે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, આગામી દિવસોમાં હોટલ, હોસ્પિટલ સહિતના સેક્ટરમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ટેક્ષ વસુલવામાં તમામ  કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.



એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.