AMCનું વર્ષ 2023-24નું બજેટ રજુ કરાયું, અમદાવાદીઓને મળી આ મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-02-10 17:12:36

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું વર્ષ 2023- 24નું સુધારા સાથેનું બજેટ આજે રજુ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું વર્ષ 2023- 24નું રૂ. 9482 કરોડનું બજેટ આજે ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે. AMCના ભાજપના સત્તાધીશોએ બજેટમાં અમદાવાદીઓને મોટી રાહત આપી છે. કમિશનર દ્વારા મુકાયેલા રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું હતું, જેમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે.


બજેટમાં અમદાવાદીઓને શું મળ્યું?


1-પ્રોપર્ટી ટેક્સના હેતુસર ત્રણ વર્ષ નવી જંત્રીનો અમલ નહી કરવાનો નિર્ણય

2-પ્રોપર્ટી ટેકસ મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહીં લે

3-જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે

4-ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13% રીબેટ અપાશે

5-વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 14% રિબેટ અપાશે

6-રહેઠાણ મિલકતને પ્રતિ ચોરસમીટર ટેક્સ 16થી વધારીને 20 કરાયો

7-ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 23 રૂપિયા સૂચવ્યો હતો

8-કોમર્શિયલ મિલકતને ટેક્સ પ્રતિ ચોરસમીટર 28થી વધારીને 34 રૂપિયા કરાયો

9-ડ્રાફ્ટ બજેટમાં કોમર્શિયલ મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 37 રૂપિયા સૂચવાયો હતો.

10-એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપશે.

11-ઓનલાઇન એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને એક ટકા વધુ રિબેટ મળશે,

12-ત્રણ વર્ષ સળંગ એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો 12 પ્લસથી વધુ 2 ટકાનું રિબેટ અપાશે

13-ડોર ટૂ ડોર ગાર્બેજ ક્લેકશન પેટે યુઝર્સ ચાર્જમાં વધારો નામંજૂર કરાયો,

14-તમામ ઇલેક્ટ્રિક વાહન વેરામાં 100 ટકા અપાશે રાહત

15-મનપાની બિલ્ડિંગમાં આવેલી ટ્રસ્ટ હોસ્પિટલને મિલકત વેરામાં 70ટકા રિબેટ અપાશે

16-વર્ષ 2022-23 સુધી ટેક્સ ભરપાઇ કર્યા હોય તેને 70 ટકા રિબેટનો લાભ મળશે

17-ટ્રસ્ટ સંચાલિત ફિઝીયોથેરાપી સન્ટરોને મિલકતમાં 70 ટકા અપાશે રિબેટ

18-ઇન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટમાં ચાર્જ અશંત: વધારો કર્યો

19-ત્રણ વર્ષનો ઓનલાઇન સળંગ ટેક્સ ભરનારને 15 ટકા રિબેટ અપાશે

20-મનપામાં નવા સમાવિષ્ટ વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાંથી અપાઇ રાહત

21-બોપલ-ઘુમા, ચીલોડા નરોડા, કઠવાડાને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

22-સનાથલ, વિશાલપુર, અસલાલી વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

23-ગેરતનગર, બિલાસિયા, રણાસણ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

24-ખોડિયાર તથા નાના ચિલોડા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

25-ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે યુઝર્સ ચાર્જ યથાવત રખાયો

26-વાહનવેરાના દર યથાવત રાખવામાં આવ્યા




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .