AMCનું વર્ષ 2023-24નું બજેટ રજુ કરાયું, અમદાવાદીઓને મળી આ મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-02-10 17:12:36

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું વર્ષ 2023- 24નું સુધારા સાથેનું બજેટ આજે રજુ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું વર્ષ 2023- 24નું રૂ. 9482 કરોડનું બજેટ આજે ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે. AMCના ભાજપના સત્તાધીશોએ બજેટમાં અમદાવાદીઓને મોટી રાહત આપી છે. કમિશનર દ્વારા મુકાયેલા રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું હતું, જેમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે.


બજેટમાં અમદાવાદીઓને શું મળ્યું?


1-પ્રોપર્ટી ટેક્સના હેતુસર ત્રણ વર્ષ નવી જંત્રીનો અમલ નહી કરવાનો નિર્ણય

2-પ્રોપર્ટી ટેકસ મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહીં લે

3-જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે

4-ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13% રીબેટ અપાશે

5-વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 14% રિબેટ અપાશે

6-રહેઠાણ મિલકતને પ્રતિ ચોરસમીટર ટેક્સ 16થી વધારીને 20 કરાયો

7-ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 23 રૂપિયા સૂચવ્યો હતો

8-કોમર્શિયલ મિલકતને ટેક્સ પ્રતિ ચોરસમીટર 28થી વધારીને 34 રૂપિયા કરાયો

9-ડ્રાફ્ટ બજેટમાં કોમર્શિયલ મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 37 રૂપિયા સૂચવાયો હતો.

10-એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપશે.

11-ઓનલાઇન એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને એક ટકા વધુ રિબેટ મળશે,

12-ત્રણ વર્ષ સળંગ એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો 12 પ્લસથી વધુ 2 ટકાનું રિબેટ અપાશે

13-ડોર ટૂ ડોર ગાર્બેજ ક્લેકશન પેટે યુઝર્સ ચાર્જમાં વધારો નામંજૂર કરાયો,

14-તમામ ઇલેક્ટ્રિક વાહન વેરામાં 100 ટકા અપાશે રાહત

15-મનપાની બિલ્ડિંગમાં આવેલી ટ્રસ્ટ હોસ્પિટલને મિલકત વેરામાં 70ટકા રિબેટ અપાશે

16-વર્ષ 2022-23 સુધી ટેક્સ ભરપાઇ કર્યા હોય તેને 70 ટકા રિબેટનો લાભ મળશે

17-ટ્રસ્ટ સંચાલિત ફિઝીયોથેરાપી સન્ટરોને મિલકતમાં 70 ટકા અપાશે રિબેટ

18-ઇન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટમાં ચાર્જ અશંત: વધારો કર્યો

19-ત્રણ વર્ષનો ઓનલાઇન સળંગ ટેક્સ ભરનારને 15 ટકા રિબેટ અપાશે

20-મનપામાં નવા સમાવિષ્ટ વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાંથી અપાઇ રાહત

21-બોપલ-ઘુમા, ચીલોડા નરોડા, કઠવાડાને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

22-સનાથલ, વિશાલપુર, અસલાલી વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

23-ગેરતનગર, બિલાસિયા, રણાસણ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

24-ખોડિયાર તથા નાના ચિલોડા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

25-ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે યુઝર્સ ચાર્જ યથાવત રખાયો

26-વાહનવેરાના દર યથાવત રાખવામાં આવ્યા




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.