AMCનું વર્ષ 2023-24નું બજેટ રજુ કરાયું, અમદાવાદીઓને મળી આ મોટી રાહત


  • Published By :
  • Published Date : 2023-02-10 17:12:36

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું વર્ષ 2023- 24નું સુધારા સાથેનું બજેટ આજે રજુ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું વર્ષ 2023- 24નું રૂ. 9482 કરોડનું બજેટ આજે ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે. AMCના ભાજપના સત્તાધીશોએ બજેટમાં અમદાવાદીઓને મોટી રાહત આપી છે. કમિશનર દ્વારા મુકાયેલા રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું હતું, જેમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે.


બજેટમાં અમદાવાદીઓને શું મળ્યું?


1-પ્રોપર્ટી ટેક્સના હેતુસર ત્રણ વર્ષ નવી જંત્રીનો અમલ નહી કરવાનો નિર્ણય

2-પ્રોપર્ટી ટેકસ મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહીં લે

3-જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે

4-ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13% રીબેટ અપાશે

5-વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 14% રિબેટ અપાશે

6-રહેઠાણ મિલકતને પ્રતિ ચોરસમીટર ટેક્સ 16થી વધારીને 20 કરાયો

7-ડ્રાફ્ટ બજેટમાં રહેણાંક મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 23 રૂપિયા સૂચવ્યો હતો

8-કોમર્શિયલ મિલકતને ટેક્સ પ્રતિ ચોરસમીટર 28થી વધારીને 34 રૂપિયા કરાયો

9-ડ્રાફ્ટ બજેટમાં કોમર્શિયલ મિલકતનો પ્રોપર્ટી ટેક્સ 37 રૂપિયા સૂચવાયો હતો.

10-એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપશે.

11-ઓનલાઇન એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને એક ટકા વધુ રિબેટ મળશે,

12-ત્રણ વર્ષ સળંગ એડવાન્સ ટેક્સ ભર્યો હોય તો 12 પ્લસથી વધુ 2 ટકાનું રિબેટ અપાશે

13-ડોર ટૂ ડોર ગાર્બેજ ક્લેકશન પેટે યુઝર્સ ચાર્જમાં વધારો નામંજૂર કરાયો,

14-તમામ ઇલેક્ટ્રિક વાહન વેરામાં 100 ટકા અપાશે રાહત

15-મનપાની બિલ્ડિંગમાં આવેલી ટ્રસ્ટ હોસ્પિટલને મિલકત વેરામાં 70ટકા રિબેટ અપાશે

16-વર્ષ 2022-23 સુધી ટેક્સ ભરપાઇ કર્યા હોય તેને 70 ટકા રિબેટનો લાભ મળશે

17-ટ્રસ્ટ સંચાલિત ફિઝીયોથેરાપી સન્ટરોને મિલકતમાં 70 ટકા અપાશે રિબેટ

18-ઇન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટમાં ચાર્જ અશંત: વધારો કર્યો

19-ત્રણ વર્ષનો ઓનલાઇન સળંગ ટેક્સ ભરનારને 15 ટકા રિબેટ અપાશે

20-મનપામાં નવા સમાવિષ્ટ વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાંથી અપાઇ રાહત

21-બોપલ-ઘુમા, ચીલોડા નરોડા, કઠવાડાને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

22-સનાથલ, વિશાલપુર, અસલાલી વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

23-ગેરતનગર, બિલાસિયા, રણાસણ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

24-ખોડિયાર તથા નાના ચિલોડા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે

25-ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે યુઝર્સ ચાર્જ યથાવત રખાયો

26-વાહનવેરાના દર યથાવત રાખવામાં આવ્યા




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.