Ahmedabad : કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત....


  • Published By :
  • Published Date : 2024-04-06 17:04:52

પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદ પહોંચ્યા હતા અને તેમની અટકાયત કરી લેવામાં આવી છે.... એવી પણ માહિતી સામે આવી છે કે ગુજરાતના કરણી સેના અધ્યક્ષ વીરભદ્ર જાડેજાની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે... 

મહિપાલસિંહ મકરાણાની પોલીસે કરી અટકાયત! 

ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે જૌહર કરવાની વાત ક્ષત્રાણીઓ દ્વારા કરવામાં આવી. રાજકોટ ખાતે આજે બેઠક થવાની હતી. આ દરમિયાન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવ્યા છે. મળતી માહિતી અનુસાર જૌહરની ચિમકી ઉચ્ચારનાર મહિલાઓને મળવા માટે તે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધા છે. ઉપરાંત તેમણે પરષોત્તમ રૂપાલા તેમજ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.  


ભાજપ પર કર્યા પ્રહાર!

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત આવ્યા છે, ક્ષત્રિય સમાજની મહિલાઓને મળે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી લેવામાં આવી છે... મહિપાલસિંહ મકરાણાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાજપૂત, દલિત તમામ મહિલાઓની ઈજ્જત સરખી છે. આજે એવો દિવસ આવ્યો કે ક્ષત્રિયાણીઓને જૌહર કરવું પડી રહ્યું છે. જો મારી બહેન જોહર કરવાનું કહેશે તો અમે આગળ આવીશું. અમે જઈશું અને તમામ મહિલાઓને મનાવીશું. એવી માહિતી સામે આવી છે કે આવનાર દિવસોમાં પ્રચારની શરૂઆત કરવામાં આવશે, પોસ્ટરો છાપવામાં આવશે જેમાં અનેક સૂત્રો લખવામાં આવશે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે