Ahmedabad : કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત....


  • Published By :
  • Published Date : 2024-04-06 17:04:52

પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદ પહોંચ્યા હતા અને તેમની અટકાયત કરી લેવામાં આવી છે.... એવી પણ માહિતી સામે આવી છે કે ગુજરાતના કરણી સેના અધ્યક્ષ વીરભદ્ર જાડેજાની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે... 

મહિપાલસિંહ મકરાણાની પોલીસે કરી અટકાયત! 

ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે જૌહર કરવાની વાત ક્ષત્રાણીઓ દ્વારા કરવામાં આવી. રાજકોટ ખાતે આજે બેઠક થવાની હતી. આ દરમિયાન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવ્યા છે. મળતી માહિતી અનુસાર જૌહરની ચિમકી ઉચ્ચારનાર મહિલાઓને મળવા માટે તે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધા છે. ઉપરાંત તેમણે પરષોત્તમ રૂપાલા તેમજ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.  


ભાજપ પર કર્યા પ્રહાર!

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત આવ્યા છે, ક્ષત્રિય સમાજની મહિલાઓને મળે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી લેવામાં આવી છે... મહિપાલસિંહ મકરાણાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાજપૂત, દલિત તમામ મહિલાઓની ઈજ્જત સરખી છે. આજે એવો દિવસ આવ્યો કે ક્ષત્રિયાણીઓને જૌહર કરવું પડી રહ્યું છે. જો મારી બહેન જોહર કરવાનું કહેશે તો અમે આગળ આવીશું. અમે જઈશું અને તમામ મહિલાઓને મનાવીશું. એવી માહિતી સામે આવી છે કે આવનાર દિવસોમાં પ્રચારની શરૂઆત કરવામાં આવશે, પોસ્ટરો છાપવામાં આવશે જેમાં અનેક સૂત્રો લખવામાં આવશે.  




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.