અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, રીક્ષા, ટેક્સી , કેબ માટે બનાવ્યા આ કડક નિયમો, 1 નવેમ્બરથી થશે અમલ


  • Published By :
  • Published Date : 2023-10-01 20:08:59

હમણા થોડા દિવસ પહેલા રાત્રના સમયે વિદેશથી આવેલા દંપતિનો ઓગણજ સર્કલ પાસે પોલીસે તોડ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે 60 હજાર રૂપિયા પડાવ્યા તો પીડિત દંપતી હાઈકોર્ટ પહોંચ્યું અને હાઈકોર્ટે પોલીસને ખખડાવી કે તમે કરો છો શું? આ ઘટના બાદ હવે આ સમગ્ર મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે હવે દરેક રિક્ષામાં કે કેબમાં ડ્રાઈવરની સીટની પાછળ એક પાટીયું લગાવાશે જેમાં રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયાત બનશે. પોલીસના નંબર, મહિલા હેલ્પલાઈન નંબર અને ટ્રાફિક પોલીસનો નંબર લખવો ફરજિયાત થશે.  આ સાથે જ પોલીસ હેલ્પલાઇન નંબર 100,મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ટ્રાફિક હેલ્પલાઇન નંબર 1095 પણ લખવો ફરજિયાત બનશે.   


1 નવેમ્બરથી જાહેરનામાનો અમલ


અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા બાદ હવેથી અમદાવાદ શહેરમાં ચાલતી તમામ ટેક્સી, કેબ અને ઓટો રિક્ષામાં મુસાફરી કરનાર વ્યક્તિ વાંચી શકે એવી રીતે અમુક વિગતો મૂકવામાં આવશે, વાહન ચલાવનારની સીટની પાછળ પાટીયું મારવું પડશે. આ પાટિયામાં વાહન નંબરથી લઈ માલિકનું નામ અને પોલીસના નંબર બધુ જ લખવું પડશે. તમામ વસ્તુ એવી રીતે લખવી પડશે કે  તે ભૂંસાય નહીં. લખાણના અક્ષર  એવી રીતે રાખવા પડશે કે જેથી મુસાફરી કરનાર વ્યક્તિને લખેલું બધું દેખાય વંચાય. આ જાહેરનામાનો અમલ પહેલી નવેમ્બરથી શરૂ થશે માટે રિક્ષા ચાલક, કેબ ચાલક અને ટેક્સી ચાલક ભાઈઓ બહેનોને આ વાત ખાસ ધ્યાને લેવી કે મહિનાની અંદર પાટીયું લગાવી લેવું. જો કોઈએ આ લખાણ ન લખ્યું તો તેમની સામે કડક કાર્યવાહી થશે. ક્યારેક એવું થતું હોય છે કે રિક્ષા માલિક રિક્ષા ભાડે આપતા હોય છે અને આમાં રિક્ષા ચાલકો બદલાતા રહે છે. તો વાહન ચાલકનું નામ એવી રીતે લખવાનું રહેશે કે જેથી તે ભૂંસી શકાય. બાકી જો રિક્ષા માલિક રિક્ષા ચલાવતાતા હોય તો પર્મેનન્ટ માર્કરથી રિક્ષા માલિકનું નામ લખવું અનિવાર્ય રહેશે. 


શા માટે કરાયો આદેશ?


આ આદેશ કરવા પાછળ અમદાવાદ પોલીસ વડાનો ઉદ્દેશ્ય એ હતો કે મુસાફરોની સલામતી રહે. રીક્ષા, કેબ,  ટેક્ષીમાં નાગરીકો સાથે છેંતરપીંડી, મોબાઈલ ચોરી, કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, મહિલાઓની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો બનતા હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  વધુમાં હમણા રક્ષક જ ભક્ષક બન્યા હોય એવી રીતે બનાવ સામે આવ્યો હતો. અમદાવાદ બહારથી ઘણા બધા લોકો નોકરી માટે કે ધંધા માટે આવતા હોય છે. તેમની સાથે છેતરપિંડી અને લૂંટના કિસ્સા બનતા હોય છે માટે આ નિર્ણય લેવાયો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.