અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, રીક્ષા, ટેક્સી , કેબ માટે બનાવ્યા આ કડક નિયમો, 1 નવેમ્બરથી થશે અમલ


  • Published By :
  • Published Date : 2023-10-01 20:08:59

હમણા થોડા દિવસ પહેલા રાત્રના સમયે વિદેશથી આવેલા દંપતિનો ઓગણજ સર્કલ પાસે પોલીસે તોડ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે 60 હજાર રૂપિયા પડાવ્યા તો પીડિત દંપતી હાઈકોર્ટ પહોંચ્યું અને હાઈકોર્ટે પોલીસને ખખડાવી કે તમે કરો છો શું? આ ઘટના બાદ હવે આ સમગ્ર મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે હવે દરેક રિક્ષામાં કે કેબમાં ડ્રાઈવરની સીટની પાછળ એક પાટીયું લગાવાશે જેમાં રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયાત બનશે. પોલીસના નંબર, મહિલા હેલ્પલાઈન નંબર અને ટ્રાફિક પોલીસનો નંબર લખવો ફરજિયાત થશે.  આ સાથે જ પોલીસ હેલ્પલાઇન નંબર 100,મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ટ્રાફિક હેલ્પલાઇન નંબર 1095 પણ લખવો ફરજિયાત બનશે.   


1 નવેમ્બરથી જાહેરનામાનો અમલ


અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા બાદ હવેથી અમદાવાદ શહેરમાં ચાલતી તમામ ટેક્સી, કેબ અને ઓટો રિક્ષામાં મુસાફરી કરનાર વ્યક્તિ વાંચી શકે એવી રીતે અમુક વિગતો મૂકવામાં આવશે, વાહન ચલાવનારની સીટની પાછળ પાટીયું મારવું પડશે. આ પાટિયામાં વાહન નંબરથી લઈ માલિકનું નામ અને પોલીસના નંબર બધુ જ લખવું પડશે. તમામ વસ્તુ એવી રીતે લખવી પડશે કે  તે ભૂંસાય નહીં. લખાણના અક્ષર  એવી રીતે રાખવા પડશે કે જેથી મુસાફરી કરનાર વ્યક્તિને લખેલું બધું દેખાય વંચાય. આ જાહેરનામાનો અમલ પહેલી નવેમ્બરથી શરૂ થશે માટે રિક્ષા ચાલક, કેબ ચાલક અને ટેક્સી ચાલક ભાઈઓ બહેનોને આ વાત ખાસ ધ્યાને લેવી કે મહિનાની અંદર પાટીયું લગાવી લેવું. જો કોઈએ આ લખાણ ન લખ્યું તો તેમની સામે કડક કાર્યવાહી થશે. ક્યારેક એવું થતું હોય છે કે રિક્ષા માલિક રિક્ષા ભાડે આપતા હોય છે અને આમાં રિક્ષા ચાલકો બદલાતા રહે છે. તો વાહન ચાલકનું નામ એવી રીતે લખવાનું રહેશે કે જેથી તે ભૂંસી શકાય. બાકી જો રિક્ષા માલિક રિક્ષા ચલાવતાતા હોય તો પર્મેનન્ટ માર્કરથી રિક્ષા માલિકનું નામ લખવું અનિવાર્ય રહેશે. 


શા માટે કરાયો આદેશ?


આ આદેશ કરવા પાછળ અમદાવાદ પોલીસ વડાનો ઉદ્દેશ્ય એ હતો કે મુસાફરોની સલામતી રહે. રીક્ષા, કેબ,  ટેક્ષીમાં નાગરીકો સાથે છેંતરપીંડી, મોબાઈલ ચોરી, કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, મહિલાઓની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો બનતા હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  વધુમાં હમણા રક્ષક જ ભક્ષક બન્યા હોય એવી રીતે બનાવ સામે આવ્યો હતો. અમદાવાદ બહારથી ઘણા બધા લોકો નોકરી માટે કે ધંધા માટે આવતા હોય છે. તેમની સાથે છેતરપિંડી અને લૂંટના કિસ્સા બનતા હોય છે માટે આ નિર્ણય લેવાયો છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.