અમદાવાદ પોલીસે મહેકાવી માનવતા! વાહનચાલકને CPR આપી બચાવ્યો જીવ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-07 11:08:56

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ આપણી સામે અનેક વખત આવી રહ્યા છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. જો માણસને સમયસર ટ્રીટમેન્ટ મળી રહે તો તેનો જીવ બચી શકે છે. ત્યારે અમદાવાદ પોલીસે એક માણસનો જીવ બચાવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના કાલુપુર સર્કલ નજીક એક એક્ટિવા ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. આ ઘટનાની જાણ સર્કલ પાસે હાજર પોલીસ કર્મીને થઈ અને પોલીસકર્મીએ સીપીઆર આપી એક્ટિવા ચાલકનો જીવ બચાવી લીધો હતો.

  

CPR આપી પોલીસે બચાવ્યો એક્ટિવા ચાલકનો જીવ!

કોરોના વાયરસની મહામારી બાદ હૃદય હુમલાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. ગઈકાલે જ જામનગરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું હતું. ત્યારે અમદાવાદમાં પણ એક વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. આ ઘટના છે અમદાવાદ શહેરની છે. કાલુપુર સર્કલ નજીક એક એક્ટિવા ચાલકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી એક્ટિવા ચાલક પોલીસ ચોકી નજીક આવી પોલીસને જાણ કરી હતી. આ સમયે કાલુપુર સર્કલ પર હાજર પોલીસે CPR આપી એક્ટિવા ચાલકનો જીવ બચાવી લીધો. આ વીડિયો અમદાવાદ પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. 


સારવાર માટે એક્ટિવા ચાલકને મોકલાયા હોસ્પિટલ!

પોલીસ કર્મીએ CPR આપી વાહનચાલકનો જીવ બચાવી લીધો. 108ની ટીમને જાણ કરવામાં આવી હતી અને સારવાર માટે એક્ટિવા ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અનેક વખત લોકો માટે દેવદૂત સાબિત થતી હોય છે. પોલીસ પણ કરવામાં આવતા અનેક કાર્યો માનવતા મહેકાવતા હોય છે. એક બે દિવસ પહેલા સુરત પોલીસની પ્રશંસનિય કામગીરી સામે આવી હતી. જેમાં નાની બાળકની સાર સંભાળ પોલીસ લઈ રહી છે. આવા અનેક પ્રસંગો છે જ્યારે પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.