અમદાવાદ પોલીસે મહેકાવી માનવતા! વાહનચાલકને CPR આપી બચાવ્યો જીવ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-07 11:08:56

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ આપણી સામે અનેક વખત આવી રહ્યા છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. જો માણસને સમયસર ટ્રીટમેન્ટ મળી રહે તો તેનો જીવ બચી શકે છે. ત્યારે અમદાવાદ પોલીસે એક માણસનો જીવ બચાવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના કાલુપુર સર્કલ નજીક એક એક્ટિવા ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. આ ઘટનાની જાણ સર્કલ પાસે હાજર પોલીસ કર્મીને થઈ અને પોલીસકર્મીએ સીપીઆર આપી એક્ટિવા ચાલકનો જીવ બચાવી લીધો હતો.

  

CPR આપી પોલીસે બચાવ્યો એક્ટિવા ચાલકનો જીવ!

કોરોના વાયરસની મહામારી બાદ હૃદય હુમલાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. ગઈકાલે જ જામનગરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું હતું. ત્યારે અમદાવાદમાં પણ એક વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. આ ઘટના છે અમદાવાદ શહેરની છે. કાલુપુર સર્કલ નજીક એક એક્ટિવા ચાલકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી એક્ટિવા ચાલક પોલીસ ચોકી નજીક આવી પોલીસને જાણ કરી હતી. આ સમયે કાલુપુર સર્કલ પર હાજર પોલીસે CPR આપી એક્ટિવા ચાલકનો જીવ બચાવી લીધો. આ વીડિયો અમદાવાદ પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. 


સારવાર માટે એક્ટિવા ચાલકને મોકલાયા હોસ્પિટલ!

પોલીસ કર્મીએ CPR આપી વાહનચાલકનો જીવ બચાવી લીધો. 108ની ટીમને જાણ કરવામાં આવી હતી અને સારવાર માટે એક્ટિવા ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અનેક વખત લોકો માટે દેવદૂત સાબિત થતી હોય છે. પોલીસ પણ કરવામાં આવતા અનેક કાર્યો માનવતા મહેકાવતા હોય છે. એક બે દિવસ પહેલા સુરત પોલીસની પ્રશંસનિય કામગીરી સામે આવી હતી. જેમાં નાની બાળકની સાર સંભાળ પોલીસ લઈ રહી છે. આવા અનેક પ્રસંગો છે જ્યારે પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.