અમદાવાદ પોલીસે મહેકાવી માનવતા! વાહનચાલકને CPR આપી બચાવ્યો જીવ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-07 11:08:56

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ આપણી સામે અનેક વખત આવી રહ્યા છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. જો માણસને સમયસર ટ્રીટમેન્ટ મળી રહે તો તેનો જીવ બચી શકે છે. ત્યારે અમદાવાદ પોલીસે એક માણસનો જીવ બચાવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના કાલુપુર સર્કલ નજીક એક એક્ટિવા ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. આ ઘટનાની જાણ સર્કલ પાસે હાજર પોલીસ કર્મીને થઈ અને પોલીસકર્મીએ સીપીઆર આપી એક્ટિવા ચાલકનો જીવ બચાવી લીધો હતો.

  

CPR આપી પોલીસે બચાવ્યો એક્ટિવા ચાલકનો જીવ!

કોરોના વાયરસની મહામારી બાદ હૃદય હુમલાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. ગઈકાલે જ જામનગરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું હતું. ત્યારે અમદાવાદમાં પણ એક વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. આ ઘટના છે અમદાવાદ શહેરની છે. કાલુપુર સર્કલ નજીક એક એક્ટિવા ચાલકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી એક્ટિવા ચાલક પોલીસ ચોકી નજીક આવી પોલીસને જાણ કરી હતી. આ સમયે કાલુપુર સર્કલ પર હાજર પોલીસે CPR આપી એક્ટિવા ચાલકનો જીવ બચાવી લીધો. આ વીડિયો અમદાવાદ પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. 


સારવાર માટે એક્ટિવા ચાલકને મોકલાયા હોસ્પિટલ!

પોલીસ કર્મીએ CPR આપી વાહનચાલકનો જીવ બચાવી લીધો. 108ની ટીમને જાણ કરવામાં આવી હતી અને સારવાર માટે એક્ટિવા ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અનેક વખત લોકો માટે દેવદૂત સાબિત થતી હોય છે. પોલીસ પણ કરવામાં આવતા અનેક કાર્યો માનવતા મહેકાવતા હોય છે. એક બે દિવસ પહેલા સુરત પોલીસની પ્રશંસનિય કામગીરી સામે આવી હતી. જેમાં નાની બાળકની સાર સંભાળ પોલીસ લઈ રહી છે. આવા અનેક પ્રસંગો છે જ્યારે પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.