અમદાવાદ પોલીસે મહેકાવી માનવતા! વાહનચાલકને CPR આપી બચાવ્યો જીવ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-07 11:08:56

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ આપણી સામે અનેક વખત આવી રહ્યા છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. જો માણસને સમયસર ટ્રીટમેન્ટ મળી રહે તો તેનો જીવ બચી શકે છે. ત્યારે અમદાવાદ પોલીસે એક માણસનો જીવ બચાવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના કાલુપુર સર્કલ નજીક એક એક્ટિવા ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. આ ઘટનાની જાણ સર્કલ પાસે હાજર પોલીસ કર્મીને થઈ અને પોલીસકર્મીએ સીપીઆર આપી એક્ટિવા ચાલકનો જીવ બચાવી લીધો હતો.

  

CPR આપી પોલીસે બચાવ્યો એક્ટિવા ચાલકનો જીવ!

કોરોના વાયરસની મહામારી બાદ હૃદય હુમલાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. ગઈકાલે જ જામનગરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું હતું. ત્યારે અમદાવાદમાં પણ એક વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. આ ઘટના છે અમદાવાદ શહેરની છે. કાલુપુર સર્કલ નજીક એક એક્ટિવા ચાલકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી એક્ટિવા ચાલક પોલીસ ચોકી નજીક આવી પોલીસને જાણ કરી હતી. આ સમયે કાલુપુર સર્કલ પર હાજર પોલીસે CPR આપી એક્ટિવા ચાલકનો જીવ બચાવી લીધો. આ વીડિયો અમદાવાદ પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. 


સારવાર માટે એક્ટિવા ચાલકને મોકલાયા હોસ્પિટલ!

પોલીસ કર્મીએ CPR આપી વાહનચાલકનો જીવ બચાવી લીધો. 108ની ટીમને જાણ કરવામાં આવી હતી અને સારવાર માટે એક્ટિવા ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અનેક વખત લોકો માટે દેવદૂત સાબિત થતી હોય છે. પોલીસ પણ કરવામાં આવતા અનેક કાર્યો માનવતા મહેકાવતા હોય છે. એક બે દિવસ પહેલા સુરત પોલીસની પ્રશંસનિય કામગીરી સામે આવી હતી. જેમાં નાની બાળકની સાર સંભાળ પોલીસ લઈ રહી છે. આવા અનેક પ્રસંગો છે જ્યારે પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.