લ્યો બોલો! વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલી અમદાવાદ પોલીસ પર થયો હુમલો, ટોળું છોડાવીને લઈ ગયું


  • Published By :
  • Published Date : 2023-08-08 15:28:42

ગુજરાતમાં દારૂબંધી હવે મજાક બની ગઈ છે, પોલીસના લાખ પ્રયાસો છતાં ગુજરાતમાં દારૂનું બેફામ વેચાણ અને તસ્કરી થાય છે. અમદાવાદમાં એક કુખ્યાત બુટલેગરને પકડવા માટે ગયેલી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કરતા હોબાળો મચી ગયો હતો. અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. લિસ્ટેડ બુટલેગરને  પકડવા જતા પોલીસકર્મીઓ પર હુમલો થતા એ સવાલે ચર્ચા જગાવી છે કે પોલીસ શક્તિશાળી છે કે બુટલેગર?. રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં બુટલેગરોને હવે પોલીસનો પણ ભય રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.


ટોળા સામે ફરિયાદ દાખલ


અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ પોતાના વિસ્તારમાં એક લિસ્ટેડ પોલીસ કર્મીને પકડવા માટે ગઇ હતી. વોન્ટેડ બુટલેગર સાબરમતી વિસ્તારમાં ઘરે હોવાની બાતમી મળતા તેને પકડવા માટે પોલીસ પહોંચી હતી. જો કે 60થી વધુ લોકોના ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.આ દરમિયાન ત્યાં હાજર 70 જેટલા લોકોના ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો અને બુટલેગરને ભગાડી દીધો હતો. આ ઘટનામાં એક મહિલા PSI સહિત 2 પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે. નિલેશ ઠાકોર નામના બુટલેગરને પકડવા જતા ટોળાએ હુમલો કર્યો હતો. 11 હુમલાખોર સહિત 70 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વોન્ટેડ બુટલેગર નીલેશ ઠાકોર સાબરમતી, ડભોડા સહિત ઘણા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ છે.


સમગ્ર મામલો શું હતો?

 

મળતી વિગતો મુજબ, સાબરમતી પોલીસ સ્ટેશનના કર્મીઓને બાતમી મળી હતી કે દારૂ વેચવાના ગુનામાં આગોતરા જામીન લઈને ફરાર આરોપી નિલેશ ઠાકોર ઘરે કથા હોવાથી ત્યાં આવ્યો છે. આથી પોલીસની ટીમ તેને પકડવા માટે ગઈ હતી. જોકે આરોપી પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પરંતુ ત્યાં 70 જેટલા લોકોનું ટોળું આવી ગયું અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન વોન્ટેડ બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ સ્ટાફ મગાવતા ટોળું વિખેરાઈ ગયું હતું. જોકે ટોળામાંના કેટલાક લોકોને પોલીસે પકડી લીધા હતા. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે