લ્યો બોલો! વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલી અમદાવાદ પોલીસ પર થયો હુમલો, ટોળું છોડાવીને લઈ ગયું


  • Published By :
  • Published Date : 2023-08-08 15:28:42

ગુજરાતમાં દારૂબંધી હવે મજાક બની ગઈ છે, પોલીસના લાખ પ્રયાસો છતાં ગુજરાતમાં દારૂનું બેફામ વેચાણ અને તસ્કરી થાય છે. અમદાવાદમાં એક કુખ્યાત બુટલેગરને પકડવા માટે ગયેલી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કરતા હોબાળો મચી ગયો હતો. અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. લિસ્ટેડ બુટલેગરને  પકડવા જતા પોલીસકર્મીઓ પર હુમલો થતા એ સવાલે ચર્ચા જગાવી છે કે પોલીસ શક્તિશાળી છે કે બુટલેગર?. રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં બુટલેગરોને હવે પોલીસનો પણ ભય રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.


ટોળા સામે ફરિયાદ દાખલ


અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ પોતાના વિસ્તારમાં એક લિસ્ટેડ પોલીસ કર્મીને પકડવા માટે ગઇ હતી. વોન્ટેડ બુટલેગર સાબરમતી વિસ્તારમાં ઘરે હોવાની બાતમી મળતા તેને પકડવા માટે પોલીસ પહોંચી હતી. જો કે 60થી વધુ લોકોના ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.આ દરમિયાન ત્યાં હાજર 70 જેટલા લોકોના ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો અને બુટલેગરને ભગાડી દીધો હતો. આ ઘટનામાં એક મહિલા PSI સહિત 2 પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે. નિલેશ ઠાકોર નામના બુટલેગરને પકડવા જતા ટોળાએ હુમલો કર્યો હતો. 11 હુમલાખોર સહિત 70 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વોન્ટેડ બુટલેગર નીલેશ ઠાકોર સાબરમતી, ડભોડા સહિત ઘણા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ છે.


સમગ્ર મામલો શું હતો?

 

મળતી વિગતો મુજબ, સાબરમતી પોલીસ સ્ટેશનના કર્મીઓને બાતમી મળી હતી કે દારૂ વેચવાના ગુનામાં આગોતરા જામીન લઈને ફરાર આરોપી નિલેશ ઠાકોર ઘરે કથા હોવાથી ત્યાં આવ્યો છે. આથી પોલીસની ટીમ તેને પકડવા માટે ગઈ હતી. જોકે આરોપી પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પરંતુ ત્યાં 70 જેટલા લોકોનું ટોળું આવી ગયું અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન વોન્ટેડ બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ સ્ટાફ મગાવતા ટોળું વિખેરાઈ ગયું હતું. જોકે ટોળામાંના કેટલાક લોકોને પોલીસે પકડી લીધા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.