લ્યો બોલો! વોન્ટેડ બુટલેગરને પકડવા ગયેલી અમદાવાદ પોલીસ પર થયો હુમલો, ટોળું છોડાવીને લઈ ગયું


  • Published By :
  • Published Date : 2023-08-08 15:28:42

ગુજરાતમાં દારૂબંધી હવે મજાક બની ગઈ છે, પોલીસના લાખ પ્રયાસો છતાં ગુજરાતમાં દારૂનું બેફામ વેચાણ અને તસ્કરી થાય છે. અમદાવાદમાં એક કુખ્યાત બુટલેગરને પકડવા માટે ગયેલી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કરતા હોબાળો મચી ગયો હતો. અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. લિસ્ટેડ બુટલેગરને  પકડવા જતા પોલીસકર્મીઓ પર હુમલો થતા એ સવાલે ચર્ચા જગાવી છે કે પોલીસ શક્તિશાળી છે કે બુટલેગર?. રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં બુટલેગરોને હવે પોલીસનો પણ ભય રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.


ટોળા સામે ફરિયાદ દાખલ


અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ પોતાના વિસ્તારમાં એક લિસ્ટેડ પોલીસ કર્મીને પકડવા માટે ગઇ હતી. વોન્ટેડ બુટલેગર સાબરમતી વિસ્તારમાં ઘરે હોવાની બાતમી મળતા તેને પકડવા માટે પોલીસ પહોંચી હતી. જો કે 60થી વધુ લોકોના ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.આ દરમિયાન ત્યાં હાજર 70 જેટલા લોકોના ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો અને બુટલેગરને ભગાડી દીધો હતો. આ ઘટનામાં એક મહિલા PSI સહિત 2 પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે. નિલેશ ઠાકોર નામના બુટલેગરને પકડવા જતા ટોળાએ હુમલો કર્યો હતો. 11 હુમલાખોર સહિત 70 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વોન્ટેડ બુટલેગર નીલેશ ઠાકોર સાબરમતી, ડભોડા સહિત ઘણા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ છે.


સમગ્ર મામલો શું હતો?

 

મળતી વિગતો મુજબ, સાબરમતી પોલીસ સ્ટેશનના કર્મીઓને બાતમી મળી હતી કે દારૂ વેચવાના ગુનામાં આગોતરા જામીન લઈને ફરાર આરોપી નિલેશ ઠાકોર ઘરે કથા હોવાથી ત્યાં આવ્યો છે. આથી પોલીસની ટીમ તેને પકડવા માટે ગઈ હતી. જોકે આરોપી પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પરંતુ ત્યાં 70 જેટલા લોકોનું ટોળું આવી ગયું અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન વોન્ટેડ બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ સ્ટાફ મગાવતા ટોળું વિખેરાઈ ગયું હતું. જોકે ટોળામાંના કેટલાક લોકોને પોલીસે પકડી લીધા હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.