Ahmedabad : માત્ર થોડા કલાકોના વરસાદમાં ખુલી નબળી કામગીરીની પોલ! શેલામાં એટલો મોટો ભુવો પડ્યો કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-01 12:21:57

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે.. ગઈકાલે અમદાવાદમાં સારો એવો વરસાદ વરસ્યો.. વરસાદ વરસે તે પહેલા જ અનેક જગ્યાઓથી ભુવા પડવાના સમાચાર આમે આવતા હતા. ત્યારે સવાલ થતો કે હમણા આ હાલ છે તો જ્યારે વરસાદી માહોલ પૂરેપૂરો જામશે ત્યારે શું થશે? શું થાય તેનું ઉદાહરણ અમદાવાદથી સામે આવ્યું છે. જેમાં થોડા જ વરસાદની અંદર રસ્તો સંપર્ક વિહોણો બની ગયો.!  

એટલો મોટો ભુવો પડ્યો કે... 

રસ્તા પર ભૂવા પડે છે, પુલ તૂટે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે.. આપણી સાથે પણ દુર્ઘટના સર્જાઈ શકે છે.... જે રસ્તા પર આપણે ઉભા હોઈ તે ગમે ત્યારે બેસી જાય, જે બ્રિજ પરથી આપણે પસાર થતા હોઈએ તે અચાનક ધડામ થઈ જાય. પાણી ભરાઈ જવાને કારણે ખાડા પડવા તો અમદાવાદીઓ માટે જાણે સામાન્ય બની ગયું છે પરંતુ જો રસ્તો જ તૂટી જાય તો.. આજુ બાજુ રસ્તો હોય અને વચ્ચે રસ્તો તૂટી ગયો હોય તો.. શેલામાં કંઈક આવુ જ બન્યું છે.... એક વીડિયો સામે આવ્યો છે જે શેલા વિસ્તારના કલબ ઓ સેવન રોડનો છે. 

કોંગ્રેસે આ ઘટનાને લઈ સાધ્યું સરકાર પર નિશાન!

જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે પહેલા નાનો ખાડો પડે અને જોત જોતામાં તે રસ્તો નીચે પડી જાય છે. આ ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે.. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે સતત ભ્રષ્ટાચાર.... અવિરત ભ્રષ્ટાચાર... ભાજપનાં ભવાડા.. વિકાસનાં નામે ગાબડા..! અમદાવાદનો વિસ્તારમાં શેલામાં ભ્રષ્ટાચારી ભાજપના ભવાડા ઉજાગર થઈ રહ્યા છે.. તે સિવાય શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે ટ્વિટ કર્યું છે..  

  



એ હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે..... 

ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે થોડા દિવસ પહેલા બનેલો રસ્તો હોય કે બ્રિજ હોય તે લાંબો સમય ટકશે તેની ગેરંટી નથી.. ગમે ત્યારે કોઈ પણ રસ્તો તૂટી જવાની ઘટના બની રહી છે.. આપણે પણ ગમે ત્યારે દુર્ઘટનાનો શિકાર બની શકીએ છીએ.. જો આટલા ભ્રષ્ટાચાર વચ્ચે પણ આપણે જીવતા રહી શકીએ છીએ તો ભગવાનનો આભાર માનજો.. ત્યારે તમારૂં આ ભુવા મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.