Ahmedabad : માત્ર થોડા કલાકોના વરસાદમાં ખુલી નબળી કામગીરીની પોલ! શેલામાં એટલો મોટો ભુવો પડ્યો કે... જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-01 12:21:57

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે.. ગઈકાલે અમદાવાદમાં સારો એવો વરસાદ વરસ્યો.. વરસાદ વરસે તે પહેલા જ અનેક જગ્યાઓથી ભુવા પડવાના સમાચાર આમે આવતા હતા. ત્યારે સવાલ થતો કે હમણા આ હાલ છે તો જ્યારે વરસાદી માહોલ પૂરેપૂરો જામશે ત્યારે શું થશે? શું થાય તેનું ઉદાહરણ અમદાવાદથી સામે આવ્યું છે. જેમાં થોડા જ વરસાદની અંદર રસ્તો સંપર્ક વિહોણો બની ગયો.!  

એટલો મોટો ભુવો પડ્યો કે... 

રસ્તા પર ભૂવા પડે છે, પુલ તૂટે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે.. આપણી સાથે પણ દુર્ઘટના સર્જાઈ શકે છે.... જે રસ્તા પર આપણે ઉભા હોઈ તે ગમે ત્યારે બેસી જાય, જે બ્રિજ પરથી આપણે પસાર થતા હોઈએ તે અચાનક ધડામ થઈ જાય. પાણી ભરાઈ જવાને કારણે ખાડા પડવા તો અમદાવાદીઓ માટે જાણે સામાન્ય બની ગયું છે પરંતુ જો રસ્તો જ તૂટી જાય તો.. આજુ બાજુ રસ્તો હોય અને વચ્ચે રસ્તો તૂટી ગયો હોય તો.. શેલામાં કંઈક આવુ જ બન્યું છે.... એક વીડિયો સામે આવ્યો છે જે શેલા વિસ્તારના કલબ ઓ સેવન રોડનો છે. 

કોંગ્રેસે આ ઘટનાને લઈ સાધ્યું સરકાર પર નિશાન!

જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે પહેલા નાનો ખાડો પડે અને જોત જોતામાં તે રસ્તો નીચે પડી જાય છે. આ ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે.. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે સતત ભ્રષ્ટાચાર.... અવિરત ભ્રષ્ટાચાર... ભાજપનાં ભવાડા.. વિકાસનાં નામે ગાબડા..! અમદાવાદનો વિસ્તારમાં શેલામાં ભ્રષ્ટાચારી ભાજપના ભવાડા ઉજાગર થઈ રહ્યા છે.. તે સિવાય શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે ટ્વિટ કર્યું છે..  

  



એ હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે..... 

ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે થોડા દિવસ પહેલા બનેલો રસ્તો હોય કે બ્રિજ હોય તે લાંબો સમય ટકશે તેની ગેરંટી નથી.. ગમે ત્યારે કોઈ પણ રસ્તો તૂટી જવાની ઘટના બની રહી છે.. આપણે પણ ગમે ત્યારે દુર્ઘટનાનો શિકાર બની શકીએ છીએ.. જો આટલા ભ્રષ્ટાચાર વચ્ચે પણ આપણે જીવતા રહી શકીએ છીએ તો ભગવાનનો આભાર માનજો.. ત્યારે તમારૂં આ ભુવા મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...