Ahmedabad : માત્ર થોડા કલાકોના વરસાદમાં ખુલી નબળી કામગીરીની પોલ! શેલામાં એટલો મોટો ભુવો પડ્યો કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-01 12:21:57

અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે.. ગઈકાલે અમદાવાદમાં સારો એવો વરસાદ વરસ્યો.. વરસાદ વરસે તે પહેલા જ અનેક જગ્યાઓથી ભુવા પડવાના સમાચાર આમે આવતા હતા. ત્યારે સવાલ થતો કે હમણા આ હાલ છે તો જ્યારે વરસાદી માહોલ પૂરેપૂરો જામશે ત્યારે શું થશે? શું થાય તેનું ઉદાહરણ અમદાવાદથી સામે આવ્યું છે. જેમાં થોડા જ વરસાદની અંદર રસ્તો સંપર્ક વિહોણો બની ગયો.!  

એટલો મોટો ભુવો પડ્યો કે... 

રસ્તા પર ભૂવા પડે છે, પુલ તૂટે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે.. આપણી સાથે પણ દુર્ઘટના સર્જાઈ શકે છે.... જે રસ્તા પર આપણે ઉભા હોઈ તે ગમે ત્યારે બેસી જાય, જે બ્રિજ પરથી આપણે પસાર થતા હોઈએ તે અચાનક ધડામ થઈ જાય. પાણી ભરાઈ જવાને કારણે ખાડા પડવા તો અમદાવાદીઓ માટે જાણે સામાન્ય બની ગયું છે પરંતુ જો રસ્તો જ તૂટી જાય તો.. આજુ બાજુ રસ્તો હોય અને વચ્ચે રસ્તો તૂટી ગયો હોય તો.. શેલામાં કંઈક આવુ જ બન્યું છે.... એક વીડિયો સામે આવ્યો છે જે શેલા વિસ્તારના કલબ ઓ સેવન રોડનો છે. 

કોંગ્રેસે આ ઘટનાને લઈ સાધ્યું સરકાર પર નિશાન!

જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે પહેલા નાનો ખાડો પડે અને જોત જોતામાં તે રસ્તો નીચે પડી જાય છે. આ ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે.. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે સતત ભ્રષ્ટાચાર.... અવિરત ભ્રષ્ટાચાર... ભાજપનાં ભવાડા.. વિકાસનાં નામે ગાબડા..! અમદાવાદનો વિસ્તારમાં શેલામાં ભ્રષ્ટાચારી ભાજપના ભવાડા ઉજાગર થઈ રહ્યા છે.. તે સિવાય શક્તિસિંહ ગોહિલે પણ આ મામલે ટ્વિટ કર્યું છે..  

  



એ હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે..... 

ભ્રષ્ટાચાર એ હદે વધી ગયો છે કે થોડા દિવસ પહેલા બનેલો રસ્તો હોય કે બ્રિજ હોય તે લાંબો સમય ટકશે તેની ગેરંટી નથી.. ગમે ત્યારે કોઈ પણ રસ્તો તૂટી જવાની ઘટના બની રહી છે.. આપણે પણ ગમે ત્યારે દુર્ઘટનાનો શિકાર બની શકીએ છીએ.. જો આટલા ભ્રષ્ટાચાર વચ્ચે પણ આપણે જીવતા રહી શકીએ છીએ તો ભગવાનનો આભાર માનજો.. ત્યારે તમારૂં આ ભુવા મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.