Ahmedabad : Social Media Platform પર યુઝરે પૂછ્યો પ્રશ્ન, વાંચો કયા મુદ્દાને લઈ પૂછ્યો પ્રશ્ન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-25 11:15:52

અનેક વખત એવા સમાચાર સાંભળ્યા હશે કે વિદેશની ધરતી પર  હિન્દુ મંદિરોની દિવાલ પર ખરાબ વાક્યો લખવામાં આવ્યા હોય. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર chiragkapuriya નામના યુઝર્સે એક પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ઈસરોની સામે શિવાનંદ આશ્રમની બાજુમાં જતા રોડ પર મહિનાઓથી સ્પે કલરથી કોઈ ચિતરી રહ્યું છે.

chiragkapuriya નામના યુઝરે શેર કરી પોસ્ટ 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી અનેક વખત સમસ્યાનું સમાધાન થઈ જતું હોય છે. અનેક નેતાઓ, પદાધિકારીઓ એવા છે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. જો તેમને ટેગ કરવામાં આવે તો તે વસ્તુની નોંધ પણ લેતા હોય છે અને બને તેટલી મદદ પણ કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર  chiragkapuriya નામના યુઝરે એક પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ઈસરો ની સામે શિવાનંદ આશ્રમની બાજુમાં જતાં રોડ પર દીવાલો પર અશ્લીલ ભાષામાં ગાળો, મનુષ્યો ના ગુપ્તાંગો ના ચિત્રો, અપશબ્દો સ્પ્રે કલર થી મહિનાઓ થી કોઈ ચીતરી રહ્યું છે. વાંચતા એવું લાગે કે કોઈ ઇલાઈટ અંગ્રેજી માધ્યમ શાળા ના teenage વિદ્યાર્થીઓનું કારસ્તાન હોઇ શકે. કોને ટેગ કરવા?


અલગ અલગ લોકોએ આપી પ્રતિક્રિયા 

મહત્વનું છે કે આ પોસ્ટ પર અલગ અલગ લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. જે વ્યક્તિએ આ પોસ્ટ કરી છે તેમણે એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે મેપ મૂક્યો છે જ્યાંની દીવાલો પર સ્પ્રેથી લખવામાં આવ્યું છે. કોઈએ લખ્યું કે By tagging or Complaining someone will never work here I guess, એની જગ્યા એ આપણા જેવા લોકો ભેગા થઈ તેના ઉપર જ કોઈ સુવિચાર કે સમાજ ને અને એવા છોકરા ઓ ને inspiring msg આપે એવુ ચિત્ર દોરી એ તો? તો કોઈએ લખ્યું કે એ તો અમદાવાદએએમસીને જ ટેગ કરવાનાં હોય ને બીજા કોણ કરે. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.