અમદાવાદમાં મેઘરાજાની તોફાની ઈનિંગ, અનેક વિસ્તારો જળબંબાકાર, વાસણા બેરેજના 6 ગેટ ખોલાયા, આજે પણ ભારે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-17 14:50:57

રાજ્યમાં ગઈકાલથી મેઘરાજાની તોફાની ઈનિંગ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ મોડી રાતથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે શહેરનું હવામાન ખુશનુમા બન્યું છે. રાત્રે 3 વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્રણ કલાકમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 18 મિમી વરસાદ નોંધાયો છે. સવારથી 7 વાગ્યા સુધી શહેરમાં 0.53 મિમી વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ 27.17 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદનું પ્રમાણ વધુ છે. પશ્ચિમ ઝોનમાં 1.75 મિમી વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદના કેટલાય નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. આજે રવિવારની રજા હોવાથી મોટાભાગના લોકો ઘરે રહીને વાતાવરણનો આનંદ માણી રહ્યાં છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


શહેરના આ વિસ્તારો જળબંબાકાર

 

અમદાવાદમાં ગઈકાલે રાતથી થઈ રહેલા વરસાદના પગલે શહેરના  એસ.જી હાઈવે, એસ.પી રિંગરોડ, શ્યામલ, જીવરાજ પાર્ક, સેટેલાઈટ, શાંતિપુરા, સનાથનલ, બાકરોલ, કાસિન્દ્રા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા, બોપલ, પાલડી, મેમનગર, પ્રહલાદનગર, નરોડા, નારોલ, પરિમલ ગાર્ડન, નિકોલ, ચાંદખેડા, શાહીબાગ, એરપોર્ટ, ઇસનપુર ખોખરા, હાટકેશ્વરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આજે ચાર કલાકમાં અમદાવાદ પૂર્વમાં 10.75 એમએમ વરસાદ પડ્યો છે. આ સાથે જ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 11.38 એમએમ, ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં 7.63 એમએમ, દક્ષિમ પશ્ચિમમાં 4.30 એમએમ, અમદાવાદ મધ્યમાં 12 એમએમ, ઉત્તરમાં 9.50 એમએમ જ્યારે દક્ષિણ વિસ્તારોમાં 10.25 એમએમ વરસાદ નોંધાયો છે.


વાસણા બેરેજના 6 ગેટ ખોલાયા


અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે જેના કારણે  શહેરના વાસણા બેરેજના 6 ગેટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 10 હજાર ક્યુસેક પાણી છોડાયુ છે. ઉપરવાસમાંથી ભારે આવકને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. 


બે વૃક્ષ ધરાશાઈ


અમદાવાદમાં મોડી રાત્રે વરસાદના કારણે શહેરના ડીકેબીન વિસ્તારમાં આવેલી બંસીધર સોસાયટીમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. જ્યારે મણીનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલમાં વૃક્ષ પડ્યું હતું. જેને લઇ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા વૃક્ષને કાપી અને હટાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.


અમદાવાદ જિલ્લામાં પણ મેઘમહેર


અમદાવાદ જિલ્લામાં પણ સવારે 6 વાગ્યાથી મેઘ મહેર થઈ રહી છે. આકડા જોઈએ તો અમદાવાદ  સિટી 17, એમએમ, દસક્રોઈ 18એમએમ, સાણંદ 16 એમએમ, ધોળકા 10 એમએમ, વિરમગામ 5 એમએમ, બાવળા 4એમએમ, દેત્રોજ-રામપુરા 3એમએમ,માંડલ 2એમએમ વરસાદ ખાબક્યો છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી