અમદાવાદમાં મેઘરાજાની તોફાની ઈનિંગ, અનેક વિસ્તારો જળબંબાકાર, વાસણા બેરેજના 6 ગેટ ખોલાયા, આજે પણ ભારે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-17 14:50:57

રાજ્યમાં ગઈકાલથી મેઘરાજાની તોફાની ઈનિંગ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ મોડી રાતથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે શહેરનું હવામાન ખુશનુમા બન્યું છે. રાત્રે 3 વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્રણ કલાકમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 18 મિમી વરસાદ નોંધાયો છે. સવારથી 7 વાગ્યા સુધી શહેરમાં 0.53 મિમી વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ 27.17 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદનું પ્રમાણ વધુ છે. પશ્ચિમ ઝોનમાં 1.75 મિમી વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદના કેટલાય નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. આજે રવિવારની રજા હોવાથી મોટાભાગના લોકો ઘરે રહીને વાતાવરણનો આનંદ માણી રહ્યાં છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


શહેરના આ વિસ્તારો જળબંબાકાર

 

અમદાવાદમાં ગઈકાલે રાતથી થઈ રહેલા વરસાદના પગલે શહેરના  એસ.જી હાઈવે, એસ.પી રિંગરોડ, શ્યામલ, જીવરાજ પાર્ક, સેટેલાઈટ, શાંતિપુરા, સનાથનલ, બાકરોલ, કાસિન્દ્રા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા, બોપલ, પાલડી, મેમનગર, પ્રહલાદનગર, નરોડા, નારોલ, પરિમલ ગાર્ડન, નિકોલ, ચાંદખેડા, શાહીબાગ, એરપોર્ટ, ઇસનપુર ખોખરા, હાટકેશ્વરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આજે ચાર કલાકમાં અમદાવાદ પૂર્વમાં 10.75 એમએમ વરસાદ પડ્યો છે. આ સાથે જ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 11.38 એમએમ, ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં 7.63 એમએમ, દક્ષિમ પશ્ચિમમાં 4.30 એમએમ, અમદાવાદ મધ્યમાં 12 એમએમ, ઉત્તરમાં 9.50 એમએમ જ્યારે દક્ષિણ વિસ્તારોમાં 10.25 એમએમ વરસાદ નોંધાયો છે.


વાસણા બેરેજના 6 ગેટ ખોલાયા


અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે જેના કારણે  શહેરના વાસણા બેરેજના 6 ગેટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 10 હજાર ક્યુસેક પાણી છોડાયુ છે. ઉપરવાસમાંથી ભારે આવકને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. 


બે વૃક્ષ ધરાશાઈ


અમદાવાદમાં મોડી રાત્રે વરસાદના કારણે શહેરના ડીકેબીન વિસ્તારમાં આવેલી બંસીધર સોસાયટીમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. જ્યારે મણીનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલમાં વૃક્ષ પડ્યું હતું. જેને લઇ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા વૃક્ષને કાપી અને હટાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.


અમદાવાદ જિલ્લામાં પણ મેઘમહેર


અમદાવાદ જિલ્લામાં પણ સવારે 6 વાગ્યાથી મેઘ મહેર થઈ રહી છે. આકડા જોઈએ તો અમદાવાદ  સિટી 17, એમએમ, દસક્રોઈ 18એમએમ, સાણંદ 16 એમએમ, ધોળકા 10 એમએમ, વિરમગામ 5 એમએમ, બાવળા 4એમએમ, દેત્રોજ-રામપુરા 3એમએમ,માંડલ 2એમએમ વરસાદ ખાબક્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.