અમદાવાદ: વ્યાજખોરોએ સ્પા સંચાલકને રૂપિયા નહીં આપે તો કિડની વેચી નાખવાની ધમકી આપતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-11 20:26:39

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે, માણસની મજબુરીનો લાભ ઉઠાવી ચક્રવૃધ્ધી વ્યાજ વસુલતા વ્યાજખોરોની હેરાનગતિથી કંટાળી પીડિત વ્યક્તિ મોતને વ્હાલું કરતા અચકાતી નથી. રાજ્યના ગૃહ વિભાગે વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને ન્યાય અપાવવા રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ ચલાવી હતી. જો કે જેવી આ ઝૂંબેશ નબળી પડી કે, થોડા જ સમયમાં વ્યાજખોરો ફરીથી સક્રિય બની ગયા છે. લોકોના ઘર, મિલકત અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે. અમદાવાદમાં એક સ્પા સંચાલક પાસે વ્યાજખોરોએ વ્યાજના રૂપિયાની માગ કરીને કિડની વેચી કાઢવાની ધમકીઓ આપતા સ્પા સંચાલકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોરો સામે FIR નોંધઆવતા પોલીસે આ મામલે આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.  


શું છે સમગ્ર મામલો?


અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને માનસી સર્કલ પાસે સ્પા ચલાવતા રાજુભાઈ કોટિયાએ વધુ સ્પા ખોલવા અને ધંધો વિસ્તારવા માટે ચાર વ્યાજખોરો પાસેથી કટકે-કટકે 1 કરોડ જેટલા રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે તેમની આ ભૂલ તેમના માટે હવે મોટી મુશીબત બની રહી છે. રાજુભાઈ કોટિયાના જણાવ્યા મુજબ સ્પાનો વ્યવસાય સારો ચાલતો હોવાથી તેમણે વધુ સ્પા ખોલવા, ફર્નિચર બનાવવા અને જૂની બેન્કની લોનના હપ્તા ભરવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી પોતાના મિત્ર હાર્દિક ત્રિપાઠી થકી વર્ષ 2020માં વનરાજસિંહ ચાવડા નામના શખ્સ પાસેથી 55 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેને સમયસર વ્યાજ ચૂકવી દેતા હતા. તેમ છતાં જો ક્યારેક વ્યાજ ચૂકવવામાં મોડુ થાય તો ધાક ધમકી આપવામાં આવતી હતી. આ ઉપરાંત બીજા 2.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. એ રકમ પણ ચુકવી દીધી હોવા છતાં પત્નીની કાર બળજબરીથી લઇ લીધી હતી. વનરાજ ચાવડાને 35 લાખ રૂપિયા ટૂકડે-ટૂકડે કરીને ચૂકવી દીધા હતા. જોકે છેલ્લા ત્રણ મહિનાથી વ્યાજ ચૂકવી ન શકતા અને સરકારી ધારા-ધોરણ કરતા પણ વધારે વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવા છતાં પણ વનરાજ ચાવડા દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવતી હતી. તેમજ પૈસા નહીં આપે તો કિડની વેચી કાઢવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. મનોજ ખત્રી પાસેથી પણ ફરિયાદીએ 2022માં 45 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. સમયસર વ્યાજ ચૂકવવાની સાથે પહેલા 30 લાખ રૂપિયા અને બાદમાં 15 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં મનોજ ખત્રી દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ દ્વારા પણ ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે વર્ષ 2020થી અત્યાર સુધીમાં વનરાજસિંહ ચાવડા, મનોજ ખત્રી, હાર્દિક ત્રિપાઠી, કમેલશ પટેલને સરકારી ધારા-ધોરણ કરતા વધારે વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવા છતાં પણ આ વ્યાજખોરો દ્વારા ફરિયાદીને તેની ઓફિસ અને ઘરે જઇને તથા ફોન પર અવાર-નવાર વધુ વ્યાજ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને ધાકધમકીઓ આપવામાં આવી રહી છે. જીવનું જોખમ વધતા રાજુભાઈએ ચાર વ્યાજખોરો સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


વ્યાજના ચક્કરમાં જમીન,મકાન અને સોનું વેચવું પડ્યું


રાજુભાઈ કોટિયાના જણાવ્યા પ્રમાણે ચારેય વ્યાજખોરોનાં ત્રાસથી ફરિયાદીએ પોતાની જમીન, મકાન સોનું સહિત કિંમતી ચીજ-વસ્તુઓ વેચી તમામ પૈસા વ્યાજ સહિત ચૂકી દીધા હતા તેમ છતાં પણ છેલ્લા 3 મહિનાથી વ્યાજખોરો ત્રાસ આપતા હતા. વ્યાજખોર વનરાજસિંહ ચાવડા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનો પણ ફરિયાદી રાજુભાઈનો આક્ષેપ છે. જેથી સેટેલાઇટ પોલીસએ ચાર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તેમના ગુનાહિત ઇતિહાસ ને લઈ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ વ્યાજખોરો એ અન્ય કોઈ પરિવાર પાસેથી વ્યાજની ઉઘરાણી કરી છે કે નહિ તે મુદ્દે તપાસ હાથ ધરી છે. થોડાક સમય અગાઉ ગુજરાત પોલીસે અનેક વ્યાજખોરો સામે ગુના નોંધીને તેમને જેલના હવાલે કર્યા હતા. આમ છતાં કેટલાક વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના બનાવો રાજ્યના વિવિધ શહેરોમાં વધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.