અમદાવાદ: વ્યાજખોરોએ સ્પા સંચાલકને રૂપિયા નહીં આપે તો કિડની વેચી નાખવાની ધમકી આપતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-12-11 20:26:39

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે, માણસની મજબુરીનો લાભ ઉઠાવી ચક્રવૃધ્ધી વ્યાજ વસુલતા વ્યાજખોરોની હેરાનગતિથી કંટાળી પીડિત વ્યક્તિ મોતને વ્હાલું કરતા અચકાતી નથી. રાજ્યના ગૃહ વિભાગે વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને ન્યાય અપાવવા રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ ચલાવી હતી. જો કે જેવી આ ઝૂંબેશ નબળી પડી કે, થોડા જ સમયમાં વ્યાજખોરો ફરીથી સક્રિય બની ગયા છે. લોકોના ઘર, મિલકત અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે. અમદાવાદમાં એક સ્પા સંચાલક પાસે વ્યાજખોરોએ વ્યાજના રૂપિયાની માગ કરીને કિડની વેચી કાઢવાની ધમકીઓ આપતા સ્પા સંચાલકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોરો સામે FIR નોંધઆવતા પોલીસે આ મામલે આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.  


શું છે સમગ્ર મામલો?


અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને માનસી સર્કલ પાસે સ્પા ચલાવતા રાજુભાઈ કોટિયાએ વધુ સ્પા ખોલવા અને ધંધો વિસ્તારવા માટે ચાર વ્યાજખોરો પાસેથી કટકે-કટકે 1 કરોડ જેટલા રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે તેમની આ ભૂલ તેમના માટે હવે મોટી મુશીબત બની રહી છે. રાજુભાઈ કોટિયાના જણાવ્યા મુજબ સ્પાનો વ્યવસાય સારો ચાલતો હોવાથી તેમણે વધુ સ્પા ખોલવા, ફર્નિચર બનાવવા અને જૂની બેન્કની લોનના હપ્તા ભરવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી પોતાના મિત્ર હાર્દિક ત્રિપાઠી થકી વર્ષ 2020માં વનરાજસિંહ ચાવડા નામના શખ્સ પાસેથી 55 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેને સમયસર વ્યાજ ચૂકવી દેતા હતા. તેમ છતાં જો ક્યારેક વ્યાજ ચૂકવવામાં મોડુ થાય તો ધાક ધમકી આપવામાં આવતી હતી. આ ઉપરાંત બીજા 2.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. એ રકમ પણ ચુકવી દીધી હોવા છતાં પત્નીની કાર બળજબરીથી લઇ લીધી હતી. વનરાજ ચાવડાને 35 લાખ રૂપિયા ટૂકડે-ટૂકડે કરીને ચૂકવી દીધા હતા. જોકે છેલ્લા ત્રણ મહિનાથી વ્યાજ ચૂકવી ન શકતા અને સરકારી ધારા-ધોરણ કરતા પણ વધારે વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવા છતાં પણ વનરાજ ચાવડા દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવતી હતી. તેમજ પૈસા નહીં આપે તો કિડની વેચી કાઢવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. મનોજ ખત્રી પાસેથી પણ ફરિયાદીએ 2022માં 45 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. સમયસર વ્યાજ ચૂકવવાની સાથે પહેલા 30 લાખ રૂપિયા અને બાદમાં 15 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં મનોજ ખત્રી દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ દ્વારા પણ ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે વર્ષ 2020થી અત્યાર સુધીમાં વનરાજસિંહ ચાવડા, મનોજ ખત્રી, હાર્દિક ત્રિપાઠી, કમેલશ પટેલને સરકારી ધારા-ધોરણ કરતા વધારે વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવા છતાં પણ આ વ્યાજખોરો દ્વારા ફરિયાદીને તેની ઓફિસ અને ઘરે જઇને તથા ફોન પર અવાર-નવાર વધુ વ્યાજ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને ધાકધમકીઓ આપવામાં આવી રહી છે. જીવનું જોખમ વધતા રાજુભાઈએ ચાર વ્યાજખોરો સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


વ્યાજના ચક્કરમાં જમીન,મકાન અને સોનું વેચવું પડ્યું


રાજુભાઈ કોટિયાના જણાવ્યા પ્રમાણે ચારેય વ્યાજખોરોનાં ત્રાસથી ફરિયાદીએ પોતાની જમીન, મકાન સોનું સહિત કિંમતી ચીજ-વસ્તુઓ વેચી તમામ પૈસા વ્યાજ સહિત ચૂકી દીધા હતા તેમ છતાં પણ છેલ્લા 3 મહિનાથી વ્યાજખોરો ત્રાસ આપતા હતા. વ્યાજખોર વનરાજસિંહ ચાવડા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનો પણ ફરિયાદી રાજુભાઈનો આક્ષેપ છે. જેથી સેટેલાઇટ પોલીસએ ચાર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તેમના ગુનાહિત ઇતિહાસ ને લઈ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ વ્યાજખોરો એ અન્ય કોઈ પરિવાર પાસેથી વ્યાજની ઉઘરાણી કરી છે કે નહિ તે મુદ્દે તપાસ હાથ ધરી છે. થોડાક સમય અગાઉ ગુજરાત પોલીસે અનેક વ્યાજખોરો સામે ગુના નોંધીને તેમને જેલના હવાલે કર્યા હતા. આમ છતાં કેટલાક વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના બનાવો રાજ્યના વિવિધ શહેરોમાં વધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.