RTO કચેરીઓમાં ભ્રષ્ટાચારને ડામવા સરકારે લીધો આ મોટો નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-04-24 20:33:57

ગુજરાત સરકારના લાખ પ્રયાસો છતાં RTO કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. જો કે હવે આ ભ્રષ્ટાચાર લગામ લાવવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. RTOના કામમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે અમદાવાદ RTOમાં ભ્રષ્ટાચારને ડામવા અને આજથી બોડી વોર્ન કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના 3 RTOને 25થી વધુ બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવી છે. આજથી RTOના ઈન્સ્પકેટરે આઠ કલાક સુધી બોડી વોર્ન કેમેરા લગાવીને રાખવા પડશે. આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ કામગીરી પર સીધી નજર રાખશે.


ગુજરાતમાં 350થી કેમેરા ફાળવાયા


સુત્રો પાસેથી મળતી વિગત મુજબ,અમદાવાદના ત્રણ RTOમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 25થી વધુ બોડી વોર્ન કેમેરાની ફાળવળી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 350થી વધુ કેમેરા ફાળવવામાં આવ્યા છે. RTO કચેરીમાં ફરજ બજાવતા વિવિધ ઈન્સ્પેક્ટરોને આ બોડી વોર્ન કેમેરા ફરજ દરમિયાન 8 કલાક લગાવવાના રહેશે. ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક, ડી.એ., ચેકિંગ અને વાહન ફિટનેસમાં ફરજ બજાવતા તમામ RTO ઈન્સ્પેક્ટર્સને આજથી ફરજિયાન બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવાનો રહેશે.


આ બોડી વોર્ન કેમેરાની વિશેષતા શું છે?


આ  બોડી વોર્ન કેમેરા કેમેરાથી 180 ડિગ્રી એંગલથી વીડિયો રેકોર્ડિંગ થશે. આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે. RTO ઈન્સ્પેકટરએ ફરજ બાદ કેમેરાને ઓફિસમાં જમા કરવાનો રહેશે. કચેરીના કર્મચારીએ 64 જી.બી.ના મેમરી કાર્ડમાંથી ડેટા વિભાગના સર્વરમાં કરીને ડેટા વગરનો કેમેરો તૈયાર રાખવો પડશે. આ કેમેરાની અંદાજિત કિંમત રૂપિયા 25 હજાર જેટલી છે. જેમાં જી.પી.એસ. અને જી.પી.આર.એસ. દ્વારા કંટ્રોલ રૂમ સાથે લિંક કરી શકાય છે. જેથી કેમેરાનું રેકોર્ડિંગ અધિકારીઓ કોઈ પણ સમયે ઓનલાઈન જોઈ શકશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.