RTO કચેરીઓમાં ભ્રષ્ટાચારને ડામવા સરકારે લીધો આ મોટો નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-04-24 20:33:57

ગુજરાત સરકારના લાખ પ્રયાસો છતાં RTO કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. જો કે હવે આ ભ્રષ્ટાચાર લગામ લાવવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. RTOના કામમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે અમદાવાદ RTOમાં ભ્રષ્ટાચારને ડામવા અને આજથી બોડી વોર્ન કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના 3 RTOને 25થી વધુ બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવી છે. આજથી RTOના ઈન્સ્પકેટરે આઠ કલાક સુધી બોડી વોર્ન કેમેરા લગાવીને રાખવા પડશે. આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ કામગીરી પર સીધી નજર રાખશે.


ગુજરાતમાં 350થી કેમેરા ફાળવાયા


સુત્રો પાસેથી મળતી વિગત મુજબ,અમદાવાદના ત્રણ RTOમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 25થી વધુ બોડી વોર્ન કેમેરાની ફાળવળી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 350થી વધુ કેમેરા ફાળવવામાં આવ્યા છે. RTO કચેરીમાં ફરજ બજાવતા વિવિધ ઈન્સ્પેક્ટરોને આ બોડી વોર્ન કેમેરા ફરજ દરમિયાન 8 કલાક લગાવવાના રહેશે. ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક, ડી.એ., ચેકિંગ અને વાહન ફિટનેસમાં ફરજ બજાવતા તમામ RTO ઈન્સ્પેક્ટર્સને આજથી ફરજિયાન બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવાનો રહેશે.


આ બોડી વોર્ન કેમેરાની વિશેષતા શું છે?


આ  બોડી વોર્ન કેમેરા કેમેરાથી 180 ડિગ્રી એંગલથી વીડિયો રેકોર્ડિંગ થશે. આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે. RTO ઈન્સ્પેકટરએ ફરજ બાદ કેમેરાને ઓફિસમાં જમા કરવાનો રહેશે. કચેરીના કર્મચારીએ 64 જી.બી.ના મેમરી કાર્ડમાંથી ડેટા વિભાગના સર્વરમાં કરીને ડેટા વગરનો કેમેરો તૈયાર રાખવો પડશે. આ કેમેરાની અંદાજિત કિંમત રૂપિયા 25 હજાર જેટલી છે. જેમાં જી.પી.એસ. અને જી.પી.આર.એસ. દ્વારા કંટ્રોલ રૂમ સાથે લિંક કરી શકાય છે. જેથી કેમેરાનું રેકોર્ડિંગ અધિકારીઓ કોઈ પણ સમયે ઓનલાઈન જોઈ શકશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.