RTO કચેરીઓમાં ભ્રષ્ટાચારને ડામવા સરકારે લીધો આ મોટો નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-04-24 20:33:57

ગુજરાત સરકારના લાખ પ્રયાસો છતાં RTO કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. જો કે હવે આ ભ્રષ્ટાચાર લગામ લાવવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. RTOના કામમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે અમદાવાદ RTOમાં ભ્રષ્ટાચારને ડામવા અને આજથી બોડી વોર્ન કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના 3 RTOને 25થી વધુ બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવી છે. આજથી RTOના ઈન્સ્પકેટરે આઠ કલાક સુધી બોડી વોર્ન કેમેરા લગાવીને રાખવા પડશે. આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ કામગીરી પર સીધી નજર રાખશે.


ગુજરાતમાં 350થી કેમેરા ફાળવાયા


સુત્રો પાસેથી મળતી વિગત મુજબ,અમદાવાદના ત્રણ RTOમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 25થી વધુ બોડી વોર્ન કેમેરાની ફાળવળી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 350થી વધુ કેમેરા ફાળવવામાં આવ્યા છે. RTO કચેરીમાં ફરજ બજાવતા વિવિધ ઈન્સ્પેક્ટરોને આ બોડી વોર્ન કેમેરા ફરજ દરમિયાન 8 કલાક લગાવવાના રહેશે. ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક, ડી.એ., ચેકિંગ અને વાહન ફિટનેસમાં ફરજ બજાવતા તમામ RTO ઈન્સ્પેક્ટર્સને આજથી ફરજિયાન બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવાનો રહેશે.


આ બોડી વોર્ન કેમેરાની વિશેષતા શું છે?


આ  બોડી વોર્ન કેમેરા કેમેરાથી 180 ડિગ્રી એંગલથી વીડિયો રેકોર્ડિંગ થશે. આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે. RTO ઈન્સ્પેકટરએ ફરજ બાદ કેમેરાને ઓફિસમાં જમા કરવાનો રહેશે. કચેરીના કર્મચારીએ 64 જી.બી.ના મેમરી કાર્ડમાંથી ડેટા વિભાગના સર્વરમાં કરીને ડેટા વગરનો કેમેરો તૈયાર રાખવો પડશે. આ કેમેરાની અંદાજિત કિંમત રૂપિયા 25 હજાર જેટલી છે. જેમાં જી.પી.એસ. અને જી.પી.આર.એસ. દ્વારા કંટ્રોલ રૂમ સાથે લિંક કરી શકાય છે. જેથી કેમેરાનું રેકોર્ડિંગ અધિકારીઓ કોઈ પણ સમયે ઓનલાઈન જોઈ શકશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે