Diwali બાદ Ahmedabadની હવા બની પ્રદૂષિત! જાણો અમદાવાદના કયા વિસ્તારની હવા સૌથી પ્રદૂષિત?


  • Published By :
  • Published Date : 2023-11-15 11:22:11

દિવાળી પર્વની શરૂઆત જ્યારથી થઈ છે ત્યારથી એક શબ્દની ચર્ચા અનેક વખત કરવામાં આવી રહી છે તે છે વાયુ પ્રદૂષણ. પહેલા આ ચર્ચા અમદાવાદ માટે નહીં દિલ્હી માટે થઈ રહી હતી પરંતુ દિવાળી બાદ આ શબ્દની ચર્ચા અમદાવાદ સહિતના શહેરો માટે થઈ રહી છે. દિવાળી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોની હવા ઝેરીલી બની ગઈ છે. વિસ્તાર વાર વાત કરીઓ તો અમદાવાદના રખિયાલ અને ગ્યાસપુરમાં સૌથી ખરાબ હવાનું બહાર આવ્યું છે. જ્યારે ગ્યાસપુરમાં 148 AQI, રખિયાલમાં 148 AQI પહોંચ્યું છે. બીજી બાજુ અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઇટ અને મણિનગરમાં પણ પોલ્યુશન વધ્યું છે.    

 અમદાવાદમાં પ્રદૂષણ વધ્યુ, આ વિસ્તારની હવા બની જોખમી | Sandesh

અમદાવાદની હવા પણ બની પ્રદૂષિત

વાયુ પ્રદૂષણની સમસ્યા પ્રતિદિન ગંભીર બની રહી છે. દિલ્હીની હવા પ્રદૂષિત છે તેવી વાતો અનેક વખત કરતા હતા પરંતુ અમદાવાદની હવા પણ ઝેરીલી બની ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ વધી ગયો છે જે લોકોના શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  દિવાળીની ઉજવણી લોકોએ મનમૂકીને કરી લીધી. પરંતુ હવે અમદાવાદની હવા અશુદ્ધ થઈ ગઈ છે. ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર વધ્યું છે જેને કારણે હવા ઝેરીલી બની ગઈ છે. ફટાકડાને કારણે હવા પ્રદૂષણએ ચિંતા વધારી છે. નાના બાળકોથી લઈ મોટા લોકોએ ફટાકડા ફોડી તહેવારની ઉજવણી કરી છે પરંતુ આ ફટાકડાને કારણે વાયુ પ્રદૂષણ વધી ગયું છે લોકોના જીવ પર સંકટ વધ્યું છે.


ક્યાં કેટલું નોંધાયું એક્યુઆઈ? 

અમદાવાદના અનેક વિસ્તારોનું એક્યુઆઈ વધ્યું છે જેને કારણે લોકો કહી રહ્યા છે કે અમદાવાદની હવા ઝેરીલી બની ગઈ છે. અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલા એક્યુઆઈની વાત કરીએ તો વટવા જીઆઇડીસી વિસ્તારની હવા સૌથી વધારે પ્રદૂષિત ગણવામાં આવી રહી છે કારણ કે ત્યાંનો AQI 171 નોંધાયો છે. તો કઠવાડા તેમજ મણિનગર 169 AQI સાથે બીજા નંબર પર છે. પીરાણા અને ગ્યાસપુર વિસ્તારમાં 168ની આસપાસ AQI પર પહોંચ્યો છે. તે ઉપરાંત  અમદાવાદનો એક્યુઆઈ 164 પર પહોંચ્યો છે. 



શ્વાસ લેવામાં લોકોને પડે છે મુશ્કેલી 

મહત્વનું છે કે હવા પ્રદૂષિત થવાને કારણે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થઈ રહી છે. દિવાળી સમયે ફોડવામાં આવેલા ફટાકડા વાયુ પ્રદૂષણ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે! દિલ્હી સાથે સાથે અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની રહી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમયની મજા બીજા બધા માટે સજા રૂપ બની શકે છે! 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.