Diwali બાદ Ahmedabadની હવા બની પ્રદૂષિત! જાણો અમદાવાદના કયા વિસ્તારની હવા સૌથી પ્રદૂષિત?


  • Published By :
  • Published Date : 2023-11-15 11:22:11

દિવાળી પર્વની શરૂઆત જ્યારથી થઈ છે ત્યારથી એક શબ્દની ચર્ચા અનેક વખત કરવામાં આવી રહી છે તે છે વાયુ પ્રદૂષણ. પહેલા આ ચર્ચા અમદાવાદ માટે નહીં દિલ્હી માટે થઈ રહી હતી પરંતુ દિવાળી બાદ આ શબ્દની ચર્ચા અમદાવાદ સહિતના શહેરો માટે થઈ રહી છે. દિવાળી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. શહેરના અનેક વિસ્તારોની હવા ઝેરીલી બની ગઈ છે. વિસ્તાર વાર વાત કરીઓ તો અમદાવાદના રખિયાલ અને ગ્યાસપુરમાં સૌથી ખરાબ હવાનું બહાર આવ્યું છે. જ્યારે ગ્યાસપુરમાં 148 AQI, રખિયાલમાં 148 AQI પહોંચ્યું છે. બીજી બાજુ અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઇટ અને મણિનગરમાં પણ પોલ્યુશન વધ્યું છે.    

 અમદાવાદમાં પ્રદૂષણ વધ્યુ, આ વિસ્તારની હવા બની જોખમી | Sandesh

અમદાવાદની હવા પણ બની પ્રદૂષિત

વાયુ પ્રદૂષણની સમસ્યા પ્રતિદિન ગંભીર બની રહી છે. દિલ્હીની હવા પ્રદૂષિત છે તેવી વાતો અનેક વખત કરતા હતા પરંતુ અમદાવાદની હવા પણ ઝેરીલી બની ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ વધી ગયો છે જે લોકોના શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  દિવાળીની ઉજવણી લોકોએ મનમૂકીને કરી લીધી. પરંતુ હવે અમદાવાદની હવા અશુદ્ધ થઈ ગઈ છે. ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર વધ્યું છે જેને કારણે હવા ઝેરીલી બની ગઈ છે. ફટાકડાને કારણે હવા પ્રદૂષણએ ચિંતા વધારી છે. નાના બાળકોથી લઈ મોટા લોકોએ ફટાકડા ફોડી તહેવારની ઉજવણી કરી છે પરંતુ આ ફટાકડાને કારણે વાયુ પ્રદૂષણ વધી ગયું છે લોકોના જીવ પર સંકટ વધ્યું છે.


ક્યાં કેટલું નોંધાયું એક્યુઆઈ? 

અમદાવાદના અનેક વિસ્તારોનું એક્યુઆઈ વધ્યું છે જેને કારણે લોકો કહી રહ્યા છે કે અમદાવાદની હવા ઝેરીલી બની ગઈ છે. અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલા એક્યુઆઈની વાત કરીએ તો વટવા જીઆઇડીસી વિસ્તારની હવા સૌથી વધારે પ્રદૂષિત ગણવામાં આવી રહી છે કારણ કે ત્યાંનો AQI 171 નોંધાયો છે. તો કઠવાડા તેમજ મણિનગર 169 AQI સાથે બીજા નંબર પર છે. પીરાણા અને ગ્યાસપુર વિસ્તારમાં 168ની આસપાસ AQI પર પહોંચ્યો છે. તે ઉપરાંત  અમદાવાદનો એક્યુઆઈ 164 પર પહોંચ્યો છે. 



શ્વાસ લેવામાં લોકોને પડે છે મુશ્કેલી 

મહત્વનું છે કે હવા પ્રદૂષિત થવાને કારણે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થઈ રહી છે. દિવાળી સમયે ફોડવામાં આવેલા ફટાકડા વાયુ પ્રદૂષણ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે! દિલ્હી સાથે સાથે અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની રહી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમયની મજા બીજા બધા માટે સજા રૂપ બની શકે છે! 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."