અમદાવાદની હવા છે ગુજરાતની સૌથી પ્રદુષિત હવા! જાણો કયા વિસ્તારોની હવા બની રહી છે ઝેરી હવા


  • Published By :
  • Published Date : 2023-04-17 11:43:58

એક સમચ એવો હતો જ્યારે પ્રદુષણને લઈ દિલ્હીની વાત કરવામાં આવતી હતી. દિલ્હીની હવા પ્રદુષિત હતી. ત્યારે હવે ગુજરાતની હવા પણ પ્રદુષિત થઈ રહી છે. રાજ્યમાં થઈ રહેલો એક તરફી વિકાસનો ભોગ પ્રકૃતિને બનવું પડી રહ્યું છે. અમદાવાદ અને વટવા ગુજરાતના સૌથી પ્રદુષિત શહેરો છે તેવો રિપોર્ટ કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. અમદાવાદની હવા ઝેરી બનતી જઈ રહી છે. 


અમદાવાદની હવા બની ઝેરી! 

કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગે પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના શહેરોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ગુજરાતના શહેરોમાં વધતા પ્રદુષણની વાત કરીએ તો તેમાં અમદાવાદ શહેરનું નામ સૌથી આગળ છે. અમદાવાદ શહેરની હવા સૌથી વધારે પ્રદુષિત છે. હવામાં પાર્ટીક્યુલેટ મેટર એટલે કે પીએમ-10ની માત્રા સતત વધતી જઈ રહી છે. જેને લઈ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદનો વટવા વિસ્તાર સૌથી પ્રદુષિત છે. વટવા સિવાય અમદાવાદની પીએમ 121 નોંધાઈ હતી, અંકલેશ્વરનું 120 પીએમ, જામનગરમાં 116 પીએમ, વાપીનું 114 પીએમ, વડોદરાનું પીઅમ 111 નોંધાયું હતું. સુરતનું પીએમ 100 નોંધાયું હતું.      



કપાતા વૃક્ષોને કારણે વધી રહ્યું છે પ્રદુષણ!

ત્યારે વધતું પ્રદુષણ એક ચિંતાજનક વિષય છે. કારણ કે જો હવા જ પ્રદુષિત હશે તો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડશે. ત્યારે અમદાવાદનું એર ક્વોલિટી ઈન્ડેક્સના આંકડા ડરાવનારા છે. પ્રદુષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે પ્રદુષણ વધવાનું કારણ વૃક્ષોનું પતન પણ છે. વિકાસના નામે અનેક વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. ત્યારે કપાતા વૃક્ષોને કારણે પ્રદુષણ વધતું જઈ રહ્યું છે.     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે