અમદાવાદની હવા છે ગુજરાતની સૌથી પ્રદુષિત હવા! જાણો કયા વિસ્તારોની હવા બની રહી છે ઝેરી હવા


  • Published By :
  • Published Date : 2023-04-17 11:43:58

એક સમચ એવો હતો જ્યારે પ્રદુષણને લઈ દિલ્હીની વાત કરવામાં આવતી હતી. દિલ્હીની હવા પ્રદુષિત હતી. ત્યારે હવે ગુજરાતની હવા પણ પ્રદુષિત થઈ રહી છે. રાજ્યમાં થઈ રહેલો એક તરફી વિકાસનો ભોગ પ્રકૃતિને બનવું પડી રહ્યું છે. અમદાવાદ અને વટવા ગુજરાતના સૌથી પ્રદુષિત શહેરો છે તેવો રિપોર્ટ કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. અમદાવાદની હવા ઝેરી બનતી જઈ રહી છે. 


અમદાવાદની હવા બની ઝેરી! 

કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગે પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના શહેરોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ગુજરાતના શહેરોમાં વધતા પ્રદુષણની વાત કરીએ તો તેમાં અમદાવાદ શહેરનું નામ સૌથી આગળ છે. અમદાવાદ શહેરની હવા સૌથી વધારે પ્રદુષિત છે. હવામાં પાર્ટીક્યુલેટ મેટર એટલે કે પીએમ-10ની માત્રા સતત વધતી જઈ રહી છે. જેને લઈ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદનો વટવા વિસ્તાર સૌથી પ્રદુષિત છે. વટવા સિવાય અમદાવાદની પીએમ 121 નોંધાઈ હતી, અંકલેશ્વરનું 120 પીએમ, જામનગરમાં 116 પીએમ, વાપીનું 114 પીએમ, વડોદરાનું પીઅમ 111 નોંધાયું હતું. સુરતનું પીએમ 100 નોંધાયું હતું.      



કપાતા વૃક્ષોને કારણે વધી રહ્યું છે પ્રદુષણ!

ત્યારે વધતું પ્રદુષણ એક ચિંતાજનક વિષય છે. કારણ કે જો હવા જ પ્રદુષિત હશે તો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડશે. ત્યારે અમદાવાદનું એર ક્વોલિટી ઈન્ડેક્સના આંકડા ડરાવનારા છે. પ્રદુષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે પ્રદુષણ વધવાનું કારણ વૃક્ષોનું પતન પણ છે. વિકાસના નામે અનેક વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. ત્યારે કપાતા વૃક્ષોને કારણે પ્રદુષણ વધતું જઈ રહ્યું છે.     




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.