અમદાવાદની હવા છે ગુજરાતની સૌથી પ્રદુષિત હવા! જાણો કયા વિસ્તારોની હવા બની રહી છે ઝેરી હવા


  • Published By :
  • Published Date : 2023-04-17 11:43:58

એક સમચ એવો હતો જ્યારે પ્રદુષણને લઈ દિલ્હીની વાત કરવામાં આવતી હતી. દિલ્હીની હવા પ્રદુષિત હતી. ત્યારે હવે ગુજરાતની હવા પણ પ્રદુષિત થઈ રહી છે. રાજ્યમાં થઈ રહેલો એક તરફી વિકાસનો ભોગ પ્રકૃતિને બનવું પડી રહ્યું છે. અમદાવાદ અને વટવા ગુજરાતના સૌથી પ્રદુષિત શહેરો છે તેવો રિપોર્ટ કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. અમદાવાદની હવા ઝેરી બનતી જઈ રહી છે. 


અમદાવાદની હવા બની ઝેરી! 

કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગે પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના શહેરોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ગુજરાતના શહેરોમાં વધતા પ્રદુષણની વાત કરીએ તો તેમાં અમદાવાદ શહેરનું નામ સૌથી આગળ છે. અમદાવાદ શહેરની હવા સૌથી વધારે પ્રદુષિત છે. હવામાં પાર્ટીક્યુલેટ મેટર એટલે કે પીએમ-10ની માત્રા સતત વધતી જઈ રહી છે. જેને લઈ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદનો વટવા વિસ્તાર સૌથી પ્રદુષિત છે. વટવા સિવાય અમદાવાદની પીએમ 121 નોંધાઈ હતી, અંકલેશ્વરનું 120 પીએમ, જામનગરમાં 116 પીએમ, વાપીનું 114 પીએમ, વડોદરાનું પીઅમ 111 નોંધાયું હતું. સુરતનું પીએમ 100 નોંધાયું હતું.      



કપાતા વૃક્ષોને કારણે વધી રહ્યું છે પ્રદુષણ!

ત્યારે વધતું પ્રદુષણ એક ચિંતાજનક વિષય છે. કારણ કે જો હવા જ પ્રદુષિત હશે તો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડશે. ત્યારે અમદાવાદનું એર ક્વોલિટી ઈન્ડેક્સના આંકડા ડરાવનારા છે. પ્રદુષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે પ્રદુષણ વધવાનું કારણ વૃક્ષોનું પતન પણ છે. વિકાસના નામે અનેક વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. ત્યારે કપાતા વૃક્ષોને કારણે પ્રદુષણ વધતું જઈ રહ્યું છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.