અમદાવાદના સફાઈ કર્મીઓએ એસીડ ગટગટાવ્યું, હાલત ગંભીર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 19:43:41

દેશમાં એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ અમદાવાદમાં સફાઈ કામદારો પોતાની પડતર માગણીઓને લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે. બોપલ તેમજ ઘુમા વિસ્તારના 53 જેટલા જ સફાઈ કામદારોને કોર્પોરેશનમાં રોજિંદા કર્મચારી તરીકે નિમણૂક કરાતા વિવાદ સર્જાયો છે. પોતાની માગ ન સ્વીકારાતા સફાઈ કામદારોએ આત્મ વિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે. સફાઈ કામદારોએ ફિનાઈલ પી લેતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



તમામ સફાઈ કર્મચારીને નોકરી ન મળતા ભભૂક્યો રોષ  

બોપલ અને ઘુમાં વિસ્તાર સફાઈ માટે જ્યારે નગરપાલિકામાંથી કોર્પોરેશનમાં ભળ્યું ત્યારે અમિત શાહની સૂચના બાદ 53 જેટલા કર્મચારીઓનું લીસ્ટ કોર્પોરેશનમાં અપાયું હતું. જે બાદ 2 સપ્ટેમ્બરથી તેઓ પોતાના કામ પર લાગ્યા હતા. માત્ર 53 સફાઈ કર્મચારીઓને જ કામ પર રખાતા બાકીના સફાઈ કર્મચારીએ વિરોધ નોંધાવ્યો હતો. અનેક કર્મચારી કામ પર પહોંચ્યા હતા તો બાકીના કર્મચારીઓ પોતાના કામ પર ન પહોંચ્યા હતા. બોપલ વિસ્તારમાં સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 25 જેટલી મહિલાઓ તેમજ પુરૂષ કામદારો બોપલ વિસ્તારમાં ચાલી રહેલી સફાઈના સ્થળે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. 


પોતાની માગ ન સ્વીકારાતા સફાઈ કર્માચારીઓનો AMC સામે વિરોધ 

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટના જણાવ્યા અનુસાર સવારથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બોપલ વિસ્તારમાં સફાઈ માટે જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી તેમાંથી કેટલાક કર્મચારીઓ હાજર થયા હતા. પરંતુ ઉપસ્થિત સફાઈ કર્મચારીઓ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં તેઓ અડચણરૂપ બની રહ્યા છે અને તંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો પી.આર. જાડેજા (બોપલ પોલીસ સ્ટેશનના PI)એ જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓએ ફિનાઇલ પીધું હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.  


આત્મવિલોપન કરવાનો કરાયો પ્રયાસ 

વિરોધ કરી રહેલા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. સફાઈ કામદારોએ ઉગ્ર બની સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 6 લોકોએ ફિનાઈલ પીને પોતાના જીવનને ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો. ફિનાઈલ પી લેતા 3 મહિલા અને 3 પુરૂષોને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોતાની માગ ન સ્વીકારાતા આત્મવિલોપન કરવાનો પ્રયાસ કેટલો યોગ્ય



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.