અમદાવાદના સફાઈ કર્મીઓએ એસીડ ગટગટાવ્યું, હાલત ગંભીર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 19:43:41

દેશમાં એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ અમદાવાદમાં સફાઈ કામદારો પોતાની પડતર માગણીઓને લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે. બોપલ તેમજ ઘુમા વિસ્તારના 53 જેટલા જ સફાઈ કામદારોને કોર્પોરેશનમાં રોજિંદા કર્મચારી તરીકે નિમણૂક કરાતા વિવાદ સર્જાયો છે. પોતાની માગ ન સ્વીકારાતા સફાઈ કામદારોએ આત્મ વિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે. સફાઈ કામદારોએ ફિનાઈલ પી લેતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



તમામ સફાઈ કર્મચારીને નોકરી ન મળતા ભભૂક્યો રોષ  

બોપલ અને ઘુમાં વિસ્તાર સફાઈ માટે જ્યારે નગરપાલિકામાંથી કોર્પોરેશનમાં ભળ્યું ત્યારે અમિત શાહની સૂચના બાદ 53 જેટલા કર્મચારીઓનું લીસ્ટ કોર્પોરેશનમાં અપાયું હતું. જે બાદ 2 સપ્ટેમ્બરથી તેઓ પોતાના કામ પર લાગ્યા હતા. માત્ર 53 સફાઈ કર્મચારીઓને જ કામ પર રખાતા બાકીના સફાઈ કર્મચારીએ વિરોધ નોંધાવ્યો હતો. અનેક કર્મચારી કામ પર પહોંચ્યા હતા તો બાકીના કર્મચારીઓ પોતાના કામ પર ન પહોંચ્યા હતા. બોપલ વિસ્તારમાં સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 25 જેટલી મહિલાઓ તેમજ પુરૂષ કામદારો બોપલ વિસ્તારમાં ચાલી રહેલી સફાઈના સ્થળે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. 


પોતાની માગ ન સ્વીકારાતા સફાઈ કર્માચારીઓનો AMC સામે વિરોધ 

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટના જણાવ્યા અનુસાર સવારથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બોપલ વિસ્તારમાં સફાઈ માટે જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી તેમાંથી કેટલાક કર્મચારીઓ હાજર થયા હતા. પરંતુ ઉપસ્થિત સફાઈ કર્મચારીઓ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં તેઓ અડચણરૂપ બની રહ્યા છે અને તંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો પી.આર. જાડેજા (બોપલ પોલીસ સ્ટેશનના PI)એ જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓએ ફિનાઇલ પીધું હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.  


આત્મવિલોપન કરવાનો કરાયો પ્રયાસ 

વિરોધ કરી રહેલા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. સફાઈ કામદારોએ ઉગ્ર બની સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 6 લોકોએ ફિનાઈલ પીને પોતાના જીવનને ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો. ફિનાઈલ પી લેતા 3 મહિલા અને 3 પુરૂષોને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોતાની માગ ન સ્વીકારાતા આત્મવિલોપન કરવાનો પ્રયાસ કેટલો યોગ્ય



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી