અમદાવાદના સફાઈ કર્મીઓએ એસીડ ગટગટાવ્યું, હાલત ગંભીર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 19:43:41

દેશમાં એક તરફ સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ અમદાવાદમાં સફાઈ કામદારો પોતાની પડતર માગણીઓને લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે. બોપલ તેમજ ઘુમા વિસ્તારના 53 જેટલા જ સફાઈ કામદારોને કોર્પોરેશનમાં રોજિંદા કર્મચારી તરીકે નિમણૂક કરાતા વિવાદ સર્જાયો છે. પોતાની માગ ન સ્વીકારાતા સફાઈ કામદારોએ આત્મ વિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે. સફાઈ કામદારોએ ફિનાઈલ પી લેતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



તમામ સફાઈ કર્મચારીને નોકરી ન મળતા ભભૂક્યો રોષ  

બોપલ અને ઘુમાં વિસ્તાર સફાઈ માટે જ્યારે નગરપાલિકામાંથી કોર્પોરેશનમાં ભળ્યું ત્યારે અમિત શાહની સૂચના બાદ 53 જેટલા કર્મચારીઓનું લીસ્ટ કોર્પોરેશનમાં અપાયું હતું. જે બાદ 2 સપ્ટેમ્બરથી તેઓ પોતાના કામ પર લાગ્યા હતા. માત્ર 53 સફાઈ કર્મચારીઓને જ કામ પર રખાતા બાકીના સફાઈ કર્મચારીએ વિરોધ નોંધાવ્યો હતો. અનેક કર્મચારી કામ પર પહોંચ્યા હતા તો બાકીના કર્મચારીઓ પોતાના કામ પર ન પહોંચ્યા હતા. બોપલ વિસ્તારમાં સફાઈ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 25 જેટલી મહિલાઓ તેમજ પુરૂષ કામદારો બોપલ વિસ્તારમાં ચાલી રહેલી સફાઈના સ્થળે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. 


પોતાની માગ ન સ્વીકારાતા સફાઈ કર્માચારીઓનો AMC સામે વિરોધ 

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટના જણાવ્યા અનુસાર સવારથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બોપલ વિસ્તારમાં સફાઈ માટે જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી તેમાંથી કેટલાક કર્મચારીઓ હાજર થયા હતા. પરંતુ ઉપસ્થિત સફાઈ કર્મચારીઓ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં તેઓ અડચણરૂપ બની રહ્યા છે અને તંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો પી.આર. જાડેજા (બોપલ પોલીસ સ્ટેશનના PI)એ જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓએ ફિનાઇલ પીધું હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.  


આત્મવિલોપન કરવાનો કરાયો પ્રયાસ 

વિરોધ કરી રહેલા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. સફાઈ કામદારોએ ઉગ્ર બની સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 6 લોકોએ ફિનાઈલ પીને પોતાના જીવનને ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો. ફિનાઈલ પી લેતા 3 મહિલા અને 3 પુરૂષોને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોતાની માગ ન સ્વીકારાતા આત્મવિલોપન કરવાનો પ્રયાસ કેટલો યોગ્ય



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .