Ahmedabadની Isanpur પોલીસે માનવતાનું ઉદાહણ પૂરું પાડ્યું, ફેરિયાંની દીકરીનું ઓપરેશન કરાવ્યું!


  • Published By :
  • Published Date : 2024-02-06 10:19:00

અનેક વખત પોલીસના ક્રૂર ચહેરા આપણે જોયા હશે...! સામાન્ય લોકો પર રોફ જમાવતા પોલીસકર્મીને આપણે જોયા હશે.. પોલીસના નેગેટિવ ચહેરા વિશે અનેક વખત અમે તમને બતાવ્યું છે પરંતુ આજે ગુજરાત પોલીસનો એક એવો ચહેરો તમને બતાવવો છે જેને જોઈ પોલીસ પ્રત્યેનું  માન તમારા મનમાં વધી જશે એક એવો કિસ્સો તમને કહેવો છે જે સાંભળી તમને પણ ગર્વ થશે કે હાલ પણ ગુજરાત પોલીસમાં એવા અધિકારીઓ અને પોલીસ કર્મીઓ છે જેમના કામને જોઈ સલામ કરવાનું મન થઈ જાય.. 

બાળકીની સારવાર માટે પોલીસે કરી દોડાદોડી! 

થોડા સમય પહેલા એક સ્ટોરી તમને સુરતની બતાવી હતી જેમાં પોલીસકર્મીઓએ નિસહાય વૃદ્ધાને મદદ કરી હતી. ત્યારે આવી જ કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદની ઈસનપુર પોલીસે માનવતાનું ઉદાહણ પૂરું પાડ્યું છે. ઈસનપુર પોલીસ સ્ટેશન પાસેના ફૂટપાથ પર વેપાર કરતાં એક ફેરિયાની દીકરીનું ઓપરેશન કરાવવામાં મદદ કરી છે. સાત વર્ષની બાળકીના હૃદયમાં કાણું હતું અને તેનું ઓપરેશન કરાવવા માટે આ પીએસઆઈએ ભાગદોડ કરી હૃદયની સારવાર કરાવી છે. 


ખાખી વર્દી પાછળ રહેલા હૃદયના દર્શન થયા!

પોલીસનું તેડું આવે એટલે એવું જ લાગે કે કોઈ મોટી મુસીબતમાં સપડાયા છીએ. પોલીસની છબી જ એવી બનેલી છે કે તેનું નામ સાંભળતાં જ ભલભલાના મનમાં ફફડાટ પેસી જાય. અમદાવાદના મુકેશ કુશવા નામના ફેરિયાને પણ ઈસનપુર પોલીસનું સમન્સ આવ્યું ત્યારે આવું જ થયું. મુકેશ કુશવાને લાગ્યું કે પોલીસ ઠપકો આપશે, પરંતુ તે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેને ખાખી વર્દી પાછળ રહેલા વિશાળ હૃદયના દર્શન થયા.


ફેરિયાઓને અડચણ રૂપ નહીં બનવા માટે આદેશ આપ્યો પરંતુ....

વાત જાણે એમ છે કે, થોડા સમય અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઈ એ. એ. વાઘેલા સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલીંગ માટે નીકળ્યા હતા. ફેરિયાઓના કારણે રોડ પર થતા ભારે ટ્રાફિક જામને લઈને કેટલાંક લોકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. પોલીસની ભાષામાં તમામ ફેરિયાઓને અડચણરૂપ નહીં બનવા માટે આદેશ અપાયો ત્યારે ફૂલ-છોડ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશ કુશવાહ ભાવૂક થઈ ગયા હતા.અને તેમણે પોલીસને કહ્યું કે  “સાહેબ, જે કરવું હોય તે કરો. હું તો અહીંયા જ ધંધો કરીશ. ધંધો નહીં કરું તો મારી 7 વર્ષની દીકરી મરી જશે” મુકેશ કુશવાહના આ શબ્દો સાંભળીને PSI આકાશ વાઘેલા તુરંત ઉભા થઈ ગયા. 


પીએસઆઈએ મદદ કરવાની આપી આશા! 

મુકેશ કુશવાહને પાણી પીવડાવી વાત કરતા પીએસઆઈ આકાશ વાઘેલાએ જરૂરી મદદની ખાતરી આપી વાતચીતનો દોર આરંભ્યો. 4 પુત્રી અને 1 પુત્રના પિતા મુકેશ કુશવાહે કહ્યું કે, મારી ચોથા નંબરની દીકરી મંજુને હૃદયમાં કાણું છે અને તેની મોંઘીદાટ સારવાર કરાવવા મારી પાસે કોઈ બચત નથી.


દીકરીને કંઈ નહીં થાય તેવું પીએસઆઈએ આપ્યું આશ્વાસન!

અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા PSI વાઘેલા યુએન મહેતા હોસ્પિટલમાં કેટલાક ડૉક્ટરોને ઓળખતા હતા. જેથી તેઓ મુકેશને લઈને ત્યાં પહોંચ્યા અને ડૉક્ટરોની સલાહ લીધી. મુકેશની દીકરીની મેડિકલ હિસ્ટ્રી જોયા પછી તબીબોએ કહ્યું કે, તેના હૃદયમાં પડેલું કાણું મોટું થઈ રહ્યું છે અને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે. એ સમયે ભાંગી પડેલા પિતાને પીએસઆઈ વાઘેલાએ આશ્વસ્ત કર્યા કે તેઓ તેમની દીકરીને કંઈ નહીં થવા દે.


પહેલી ફેબ્રુઆરીએ દીકરીની કરવામાં આવી સર્જરી 

જેથી ગત બુધવારે મુકેશે પોતાની દીકરીને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. કેટલાક જરૂરી ટેસ્ટ કર્યા પછી 1 ફેબ્રુઆરીએ આ છોકરીનું ઓપરેશન કરવામાં આવ્યું. છોકરીનું ઓપરેશન ચાલ્યું એ વખતે પોલીસ સુરક્ષા માટે ઓપરેશન થિયેટરની બહાર જ પહેરેદારી કરી રહી હતી. કેટલાય કલાકો સુધી ચાલેલા ઓપરેશનના અંતે ડૉક્ટરે મુકેશને રાહત થાય એવા સમાચાર આપ્યા હતા. મુકેશની દીકરીની સર્જરી સફળ રહી હતી.


ગુજરાત પોલીસમાં આવા કર્મીઓ છે એટલે આપણે સુરક્ષિત છીએ!

ખાખીમાં પણ સંવેદના હોય છે. એ સાર્થક કરી બતાવ્યું છે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ આકાશ વાઘેલાએ.. અમે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે આપણે સુરક્ષિત છીએ એટલા માટે કારણ કે ગુજરાત પોલીસમાં આવા અધિકારીઓ અને પોલીસકર્મચારીઓ છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"