Ahmedabadની Isanpur પોલીસે માનવતાનું ઉદાહણ પૂરું પાડ્યું, ફેરિયાંની દીકરીનું ઓપરેશન કરાવ્યું!


  • Published By :
  • Published Date : 2024-02-06 10:19:00

અનેક વખત પોલીસના ક્રૂર ચહેરા આપણે જોયા હશે...! સામાન્ય લોકો પર રોફ જમાવતા પોલીસકર્મીને આપણે જોયા હશે.. પોલીસના નેગેટિવ ચહેરા વિશે અનેક વખત અમે તમને બતાવ્યું છે પરંતુ આજે ગુજરાત પોલીસનો એક એવો ચહેરો તમને બતાવવો છે જેને જોઈ પોલીસ પ્રત્યેનું  માન તમારા મનમાં વધી જશે એક એવો કિસ્સો તમને કહેવો છે જે સાંભળી તમને પણ ગર્વ થશે કે હાલ પણ ગુજરાત પોલીસમાં એવા અધિકારીઓ અને પોલીસ કર્મીઓ છે જેમના કામને જોઈ સલામ કરવાનું મન થઈ જાય.. 

બાળકીની સારવાર માટે પોલીસે કરી દોડાદોડી! 

થોડા સમય પહેલા એક સ્ટોરી તમને સુરતની બતાવી હતી જેમાં પોલીસકર્મીઓએ નિસહાય વૃદ્ધાને મદદ કરી હતી. ત્યારે આવી જ કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદની ઈસનપુર પોલીસે માનવતાનું ઉદાહણ પૂરું પાડ્યું છે. ઈસનપુર પોલીસ સ્ટેશન પાસેના ફૂટપાથ પર વેપાર કરતાં એક ફેરિયાની દીકરીનું ઓપરેશન કરાવવામાં મદદ કરી છે. સાત વર્ષની બાળકીના હૃદયમાં કાણું હતું અને તેનું ઓપરેશન કરાવવા માટે આ પીએસઆઈએ ભાગદોડ કરી હૃદયની સારવાર કરાવી છે. 


ખાખી વર્દી પાછળ રહેલા હૃદયના દર્શન થયા!

પોલીસનું તેડું આવે એટલે એવું જ લાગે કે કોઈ મોટી મુસીબતમાં સપડાયા છીએ. પોલીસની છબી જ એવી બનેલી છે કે તેનું નામ સાંભળતાં જ ભલભલાના મનમાં ફફડાટ પેસી જાય. અમદાવાદના મુકેશ કુશવા નામના ફેરિયાને પણ ઈસનપુર પોલીસનું સમન્સ આવ્યું ત્યારે આવું જ થયું. મુકેશ કુશવાને લાગ્યું કે પોલીસ ઠપકો આપશે, પરંતુ તે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેને ખાખી વર્દી પાછળ રહેલા વિશાળ હૃદયના દર્શન થયા.


ફેરિયાઓને અડચણ રૂપ નહીં બનવા માટે આદેશ આપ્યો પરંતુ....

વાત જાણે એમ છે કે, થોડા સમય અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઈ એ. એ. વાઘેલા સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલીંગ માટે નીકળ્યા હતા. ફેરિયાઓના કારણે રોડ પર થતા ભારે ટ્રાફિક જામને લઈને કેટલાંક લોકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. પોલીસની ભાષામાં તમામ ફેરિયાઓને અડચણરૂપ નહીં બનવા માટે આદેશ અપાયો ત્યારે ફૂલ-છોડ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશ કુશવાહ ભાવૂક થઈ ગયા હતા.અને તેમણે પોલીસને કહ્યું કે  “સાહેબ, જે કરવું હોય તે કરો. હું તો અહીંયા જ ધંધો કરીશ. ધંધો નહીં કરું તો મારી 7 વર્ષની દીકરી મરી જશે” મુકેશ કુશવાહના આ શબ્દો સાંભળીને PSI આકાશ વાઘેલા તુરંત ઉભા થઈ ગયા. 


પીએસઆઈએ મદદ કરવાની આપી આશા! 

મુકેશ કુશવાહને પાણી પીવડાવી વાત કરતા પીએસઆઈ આકાશ વાઘેલાએ જરૂરી મદદની ખાતરી આપી વાતચીતનો દોર આરંભ્યો. 4 પુત્રી અને 1 પુત્રના પિતા મુકેશ કુશવાહે કહ્યું કે, મારી ચોથા નંબરની દીકરી મંજુને હૃદયમાં કાણું છે અને તેની મોંઘીદાટ સારવાર કરાવવા મારી પાસે કોઈ બચત નથી.


દીકરીને કંઈ નહીં થાય તેવું પીએસઆઈએ આપ્યું આશ્વાસન!

અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા PSI વાઘેલા યુએન મહેતા હોસ્પિટલમાં કેટલાક ડૉક્ટરોને ઓળખતા હતા. જેથી તેઓ મુકેશને લઈને ત્યાં પહોંચ્યા અને ડૉક્ટરોની સલાહ લીધી. મુકેશની દીકરીની મેડિકલ હિસ્ટ્રી જોયા પછી તબીબોએ કહ્યું કે, તેના હૃદયમાં પડેલું કાણું મોટું થઈ રહ્યું છે અને તાત્કાલિક ઓપરેશનની જરૂર છે. એ સમયે ભાંગી પડેલા પિતાને પીએસઆઈ વાઘેલાએ આશ્વસ્ત કર્યા કે તેઓ તેમની દીકરીને કંઈ નહીં થવા દે.


પહેલી ફેબ્રુઆરીએ દીકરીની કરવામાં આવી સર્જરી 

જેથી ગત બુધવારે મુકેશે પોતાની દીકરીને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. કેટલાક જરૂરી ટેસ્ટ કર્યા પછી 1 ફેબ્રુઆરીએ આ છોકરીનું ઓપરેશન કરવામાં આવ્યું. છોકરીનું ઓપરેશન ચાલ્યું એ વખતે પોલીસ સુરક્ષા માટે ઓપરેશન થિયેટરની બહાર જ પહેરેદારી કરી રહી હતી. કેટલાય કલાકો સુધી ચાલેલા ઓપરેશનના અંતે ડૉક્ટરે મુકેશને રાહત થાય એવા સમાચાર આપ્યા હતા. મુકેશની દીકરીની સર્જરી સફળ રહી હતી.


ગુજરાત પોલીસમાં આવા કર્મીઓ છે એટલે આપણે સુરક્ષિત છીએ!

ખાખીમાં પણ સંવેદના હોય છે. એ સાર્થક કરી બતાવ્યું છે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ આકાશ વાઘેલાએ.. અમે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે આપણે સુરક્ષિત છીએ એટલા માટે કારણ કે ગુજરાત પોલીસમાં આવા અધિકારીઓ અને પોલીસકર્મચારીઓ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.