Ahmedabad - Sabarmati Express : પતિના શ્વાસ થંભી ગયા પત્ની ઊંઘમાં સમજી, 13 કલાક સુધી સાબરમતી ટ્રેનમાં મુસાફરી કરી!


  • Published By :
  • Published Date : 2024-01-05 11:20:07

ક્યારેક ક્યારેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળી આપણને વિશ્વાસ જ ના આવે..એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિનું મોત થઇ ગયું પણ પત્નીને ખબર ના પડી પત્ની પતિને ઊંઘતા હોવાનું સમજીને બાજુમાં બેસી રહી અને સાબરમતી એક્સપ્રેસમાં 13 કલાક શબ સાથે મુસાફરી કરી.

13 કલાક સુધી મૃતદેહ સાથે કરી મુસાફરી 

મોત ક્યારે આપણને આવી જશે તેની ખબર નથી હોતી. અનેક સફર એવી હોય છે જે અંતિમ સફર સાબિત થાય. ત્યારે એક એવી ઘટના સામે આવી છે. અમદાવાદથી દરભંગા જતી સાબરમતી એક્સપ્રેસમાં એક મહિલા તેના પતિના મૃતદેહ સાથે 13 કલાક સુધી મુસાફરી કરતી રહી અને તેને ખબર જ ન હતી. પતિ સુઈ ગયા છે એમ સમજીને તેણે પતિને ઉઠાડ્યા નહી અને સુવા દીધા. પતિની ઊંઘની ચિંતામાં તે ક્યારેક પગ દબાવતી તો ક્યારેક માથું દબાવતી. મુસાફરી દરમિયાન, તે ઘણી વખત તેના પતિની પાસે સૂઈ ગઈ, પરંતુ પત્નીને ખ્યાલ નહોતો કે તેનો શ્વાસ બંધ થઈ ગયો છે.



ઝાંસી પહોંચે તે પહેલા જ થઈ ગયું હતું મોત 

જ્યારે એકસાથે મુસાફરી કરી રહેલા મુસાફરોએ તેના પતિની ધબકારા જોઈ તેની પત્નીને કહ્યું કે ટ્રેન ઝાંસી પહોંચે તે પહેલાં તેણે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું, તોય પતિ હવે દુનિયામાં નથી રહ્યા તેવો વિશ્વાસ ન થયો. જ્યારે ટ્રેન ઝાંસી પહોંચી ત્યારે રેલવે સ્ટાફ મૃતદેહને ઉતારવા આવ્યો ત્યારે તે ચોંકી ગઈ હતી 


સુરતમાં કાર ડ્રાઈવર તરીકે કરતા હતા નોકરી 

અયોધ્યાના ઈનાયત નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મજલાઈ ગામનો રહેવાસી રામકુમાર કોરી જેની ઉંમર 36 વર્ષની હતી અને તે સુરતમાં એક વેપારીને ત્યાં કાર ડ્રાઈવર હતો. તે તેની પત્ની પ્રેમા અને બે બાળકો રાજ અને સાવિત્રી સાથે સુરતમાં રહેવા આવ્યો હતા. લગભગ 20 દિવસ પહેલા રામકુમાર રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા. 


સાબરમતી એક્સપ્રેસમાં નિકળ્યો હતો પરિવાર 

પ્રેમા તેની સારવાર કરાવી રહી હતી, પરંતુ એકલા હોવાને કારણે તેને વારંવાર હોસ્પિટલ લઈ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં પ્રેમાએ તેના પતિ રામકુમાર અને બાળકો સાથે ગામ પરત ફરવાનું નક્કી કર્યું. પતિનો મિત્ર સુરેશ યાદવ મદદ માટે તેની સાથે આવવા તૈયાર થયો હતો. અયોધ્યા જવા માટે છાયાપુર સ્ટેશનથી સાબરમતી એક્સપ્રેસમાં આ પરિવાર નીકળ્યો હતો પતિને વ્હીલચેરની મદદથી ટ્રેનમાં લઈ જવામાં આવ્યો અને તેને બર્થ પર સુવડાવવામાં આવ્યો. 


પતિને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ 

પોતાના બીમાર પતિની તબિયત વિશે ચિંતિત પ્રેમા આખી રાત તેના પતિનું માથું દબાવતી રહી. સવારે 8 વાગ્યે જ્યારે ટ્રેન ઉજ્જૈન પહોંચી ત્યારે તેણે તેના પતિને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી. પ્રેમાને લાગ્યું કે તે ગાઢ નિંદ્રામાં છે તેથી તેણે તેના પગ પણ દબાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પતિના મિત્ર સુરેશ યાદવે રામકુમારની નસ જોઈ અને પછી ખબર પડી કે રામકુમારનો શ્વાસ બંધ થઈ ગયો છે. પરંતુ, તેણે આ વાતની જાણ પ્રેમાને કરી ન કારણ કે તેને ડર હતો કે તેના પતિના મૃત્યુની જાણ થતાં, પ્રેમા રડવાનું અને ચીસો પાડવાનું શરૂ કરશે


પત્નીને ખ્યાલ ન હતો કે પતિનું મોત થઈ ગયું છે!

ઉજ્જૈનથી ઝાંસી સુધીની 427 કિમીની સફર દરમિયાન પ્રેમા તેના પતિના પગ દબાવતી રહી અને ક્યારેક તેના માથાને ટેકો આપતી રહી. પત્નીને ખ્યાલ નહોતો કે તેના પતિએ શ્વાસ લેવાનું બંધ કરી દીધું છે. રાત્રે 8 વાગ્યે યુવકના મોતની જાણ સહ-યાત્રીઓને થતાં તેઓએ વિરોધ કર્યો હતો, પરંતુ પ્રેમાને કંઈ સમજાયું નહીં. મંગળવારે રાત્રે 8.30 વાગ્યે જ્યારે ટ્રેન ઝાંસી પહોંચી, ત્યારે પ્રેમાએ જીઆરપીને રામકુમારના મૃતદેહને ઉતારતા અટકાવ્યો, પરંતુ તેના મૃત્યુ વિશે જાણ્યા પછી તે ભાંગી પડી હતી જ્યાં સહ-યાત્રીઓએ તેને સંભાળી હતી.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.