Ahmedabad - Sabarmati Express : પતિના શ્વાસ થંભી ગયા પત્ની ઊંઘમાં સમજી, 13 કલાક સુધી સાબરમતી ટ્રેનમાં મુસાફરી કરી!


  • Published By :
  • Published Date : 2024-01-05 11:20:07

ક્યારેક ક્યારેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળી આપણને વિશ્વાસ જ ના આવે..એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિનું મોત થઇ ગયું પણ પત્નીને ખબર ના પડી પત્ની પતિને ઊંઘતા હોવાનું સમજીને બાજુમાં બેસી રહી અને સાબરમતી એક્સપ્રેસમાં 13 કલાક શબ સાથે મુસાફરી કરી.

13 કલાક સુધી મૃતદેહ સાથે કરી મુસાફરી 

મોત ક્યારે આપણને આવી જશે તેની ખબર નથી હોતી. અનેક સફર એવી હોય છે જે અંતિમ સફર સાબિત થાય. ત્યારે એક એવી ઘટના સામે આવી છે. અમદાવાદથી દરભંગા જતી સાબરમતી એક્સપ્રેસમાં એક મહિલા તેના પતિના મૃતદેહ સાથે 13 કલાક સુધી મુસાફરી કરતી રહી અને તેને ખબર જ ન હતી. પતિ સુઈ ગયા છે એમ સમજીને તેણે પતિને ઉઠાડ્યા નહી અને સુવા દીધા. પતિની ઊંઘની ચિંતામાં તે ક્યારેક પગ દબાવતી તો ક્યારેક માથું દબાવતી. મુસાફરી દરમિયાન, તે ઘણી વખત તેના પતિની પાસે સૂઈ ગઈ, પરંતુ પત્નીને ખ્યાલ નહોતો કે તેનો શ્વાસ બંધ થઈ ગયો છે.



ઝાંસી પહોંચે તે પહેલા જ થઈ ગયું હતું મોત 

જ્યારે એકસાથે મુસાફરી કરી રહેલા મુસાફરોએ તેના પતિની ધબકારા જોઈ તેની પત્નીને કહ્યું કે ટ્રેન ઝાંસી પહોંચે તે પહેલાં તેણે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું, તોય પતિ હવે દુનિયામાં નથી રહ્યા તેવો વિશ્વાસ ન થયો. જ્યારે ટ્રેન ઝાંસી પહોંચી ત્યારે રેલવે સ્ટાફ મૃતદેહને ઉતારવા આવ્યો ત્યારે તે ચોંકી ગઈ હતી 


સુરતમાં કાર ડ્રાઈવર તરીકે કરતા હતા નોકરી 

અયોધ્યાના ઈનાયત નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મજલાઈ ગામનો રહેવાસી રામકુમાર કોરી જેની ઉંમર 36 વર્ષની હતી અને તે સુરતમાં એક વેપારીને ત્યાં કાર ડ્રાઈવર હતો. તે તેની પત્ની પ્રેમા અને બે બાળકો રાજ અને સાવિત્રી સાથે સુરતમાં રહેવા આવ્યો હતા. લગભગ 20 દિવસ પહેલા રામકુમાર રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા. 


સાબરમતી એક્સપ્રેસમાં નિકળ્યો હતો પરિવાર 

પ્રેમા તેની સારવાર કરાવી રહી હતી, પરંતુ એકલા હોવાને કારણે તેને વારંવાર હોસ્પિટલ લઈ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં પ્રેમાએ તેના પતિ રામકુમાર અને બાળકો સાથે ગામ પરત ફરવાનું નક્કી કર્યું. પતિનો મિત્ર સુરેશ યાદવ મદદ માટે તેની સાથે આવવા તૈયાર થયો હતો. અયોધ્યા જવા માટે છાયાપુર સ્ટેશનથી સાબરમતી એક્સપ્રેસમાં આ પરિવાર નીકળ્યો હતો પતિને વ્હીલચેરની મદદથી ટ્રેનમાં લઈ જવામાં આવ્યો અને તેને બર્થ પર સુવડાવવામાં આવ્યો. 


પતિને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ 

પોતાના બીમાર પતિની તબિયત વિશે ચિંતિત પ્રેમા આખી રાત તેના પતિનું માથું દબાવતી રહી. સવારે 8 વાગ્યે જ્યારે ટ્રેન ઉજ્જૈન પહોંચી ત્યારે તેણે તેના પતિને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી. પ્રેમાને લાગ્યું કે તે ગાઢ નિંદ્રામાં છે તેથી તેણે તેના પગ પણ દબાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પતિના મિત્ર સુરેશ યાદવે રામકુમારની નસ જોઈ અને પછી ખબર પડી કે રામકુમારનો શ્વાસ બંધ થઈ ગયો છે. પરંતુ, તેણે આ વાતની જાણ પ્રેમાને કરી ન કારણ કે તેને ડર હતો કે તેના પતિના મૃત્યુની જાણ થતાં, પ્રેમા રડવાનું અને ચીસો પાડવાનું શરૂ કરશે


પત્નીને ખ્યાલ ન હતો કે પતિનું મોત થઈ ગયું છે!

ઉજ્જૈનથી ઝાંસી સુધીની 427 કિમીની સફર દરમિયાન પ્રેમા તેના પતિના પગ દબાવતી રહી અને ક્યારેક તેના માથાને ટેકો આપતી રહી. પત્નીને ખ્યાલ નહોતો કે તેના પતિએ શ્વાસ લેવાનું બંધ કરી દીધું છે. રાત્રે 8 વાગ્યે યુવકના મોતની જાણ સહ-યાત્રીઓને થતાં તેઓએ વિરોધ કર્યો હતો, પરંતુ પ્રેમાને કંઈ સમજાયું નહીં. મંગળવારે રાત્રે 8.30 વાગ્યે જ્યારે ટ્રેન ઝાંસી પહોંચી, ત્યારે પ્રેમાએ જીઆરપીને રામકુમારના મૃતદેહને ઉતારતા અટકાવ્યો, પરંતુ તેના મૃત્યુ વિશે જાણ્યા પછી તે ભાંગી પડી હતી જ્યાં સહ-યાત્રીઓએ તેને સંભાળી હતી.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.