Ahmedabad - Sabarmati Express : પતિના શ્વાસ થંભી ગયા પત્ની ઊંઘમાં સમજી, 13 કલાક સુધી સાબરમતી ટ્રેનમાં મુસાફરી કરી!


  • Published By :
  • Published Date : 2024-01-05 11:20:07

ક્યારેક ક્યારેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળી આપણને વિશ્વાસ જ ના આવે..એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિનું મોત થઇ ગયું પણ પત્નીને ખબર ના પડી પત્ની પતિને ઊંઘતા હોવાનું સમજીને બાજુમાં બેસી રહી અને સાબરમતી એક્સપ્રેસમાં 13 કલાક શબ સાથે મુસાફરી કરી.

13 કલાક સુધી મૃતદેહ સાથે કરી મુસાફરી 

મોત ક્યારે આપણને આવી જશે તેની ખબર નથી હોતી. અનેક સફર એવી હોય છે જે અંતિમ સફર સાબિત થાય. ત્યારે એક એવી ઘટના સામે આવી છે. અમદાવાદથી દરભંગા જતી સાબરમતી એક્સપ્રેસમાં એક મહિલા તેના પતિના મૃતદેહ સાથે 13 કલાક સુધી મુસાફરી કરતી રહી અને તેને ખબર જ ન હતી. પતિ સુઈ ગયા છે એમ સમજીને તેણે પતિને ઉઠાડ્યા નહી અને સુવા દીધા. પતિની ઊંઘની ચિંતામાં તે ક્યારેક પગ દબાવતી તો ક્યારેક માથું દબાવતી. મુસાફરી દરમિયાન, તે ઘણી વખત તેના પતિની પાસે સૂઈ ગઈ, પરંતુ પત્નીને ખ્યાલ નહોતો કે તેનો શ્વાસ બંધ થઈ ગયો છે.



ઝાંસી પહોંચે તે પહેલા જ થઈ ગયું હતું મોત 

જ્યારે એકસાથે મુસાફરી કરી રહેલા મુસાફરોએ તેના પતિની ધબકારા જોઈ તેની પત્નીને કહ્યું કે ટ્રેન ઝાંસી પહોંચે તે પહેલાં તેણે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું, તોય પતિ હવે દુનિયામાં નથી રહ્યા તેવો વિશ્વાસ ન થયો. જ્યારે ટ્રેન ઝાંસી પહોંચી ત્યારે રેલવે સ્ટાફ મૃતદેહને ઉતારવા આવ્યો ત્યારે તે ચોંકી ગઈ હતી 


સુરતમાં કાર ડ્રાઈવર તરીકે કરતા હતા નોકરી 

અયોધ્યાના ઈનાયત નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મજલાઈ ગામનો રહેવાસી રામકુમાર કોરી જેની ઉંમર 36 વર્ષની હતી અને તે સુરતમાં એક વેપારીને ત્યાં કાર ડ્રાઈવર હતો. તે તેની પત્ની પ્રેમા અને બે બાળકો રાજ અને સાવિત્રી સાથે સુરતમાં રહેવા આવ્યો હતા. લગભગ 20 દિવસ પહેલા રામકુમાર રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા. 


સાબરમતી એક્સપ્રેસમાં નિકળ્યો હતો પરિવાર 

પ્રેમા તેની સારવાર કરાવી રહી હતી, પરંતુ એકલા હોવાને કારણે તેને વારંવાર હોસ્પિટલ લઈ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં પ્રેમાએ તેના પતિ રામકુમાર અને બાળકો સાથે ગામ પરત ફરવાનું નક્કી કર્યું. પતિનો મિત્ર સુરેશ યાદવ મદદ માટે તેની સાથે આવવા તૈયાર થયો હતો. અયોધ્યા જવા માટે છાયાપુર સ્ટેશનથી સાબરમતી એક્સપ્રેસમાં આ પરિવાર નીકળ્યો હતો પતિને વ્હીલચેરની મદદથી ટ્રેનમાં લઈ જવામાં આવ્યો અને તેને બર્થ પર સુવડાવવામાં આવ્યો. 


પતિને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ 

પોતાના બીમાર પતિની તબિયત વિશે ચિંતિત પ્રેમા આખી રાત તેના પતિનું માથું દબાવતી રહી. સવારે 8 વાગ્યે જ્યારે ટ્રેન ઉજ્જૈન પહોંચી ત્યારે તેણે તેના પતિને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી. પ્રેમાને લાગ્યું કે તે ગાઢ નિંદ્રામાં છે તેથી તેણે તેના પગ પણ દબાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પતિના મિત્ર સુરેશ યાદવે રામકુમારની નસ જોઈ અને પછી ખબર પડી કે રામકુમારનો શ્વાસ બંધ થઈ ગયો છે. પરંતુ, તેણે આ વાતની જાણ પ્રેમાને કરી ન કારણ કે તેને ડર હતો કે તેના પતિના મૃત્યુની જાણ થતાં, પ્રેમા રડવાનું અને ચીસો પાડવાનું શરૂ કરશે


પત્નીને ખ્યાલ ન હતો કે પતિનું મોત થઈ ગયું છે!

ઉજ્જૈનથી ઝાંસી સુધીની 427 કિમીની સફર દરમિયાન પ્રેમા તેના પતિના પગ દબાવતી રહી અને ક્યારેક તેના માથાને ટેકો આપતી રહી. પત્નીને ખ્યાલ નહોતો કે તેના પતિએ શ્વાસ લેવાનું બંધ કરી દીધું છે. રાત્રે 8 વાગ્યે યુવકના મોતની જાણ સહ-યાત્રીઓને થતાં તેઓએ વિરોધ કર્યો હતો, પરંતુ પ્રેમાને કંઈ સમજાયું નહીં. મંગળવારે રાત્રે 8.30 વાગ્યે જ્યારે ટ્રેન ઝાંસી પહોંચી, ત્યારે પ્રેમાએ જીઆરપીને રામકુમારના મૃતદેહને ઉતારતા અટકાવ્યો, પરંતુ તેના મૃત્યુ વિશે જાણ્યા પછી તે ભાંગી પડી હતી જ્યાં સહ-યાત્રીઓએ તેને સંભાળી હતી.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.