Ahmedabad - શિક્ષકની આવી ક્રૂરતા! માધવ પબ્લિક સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને માર્યા અનેક લાફા, વીડિયો વાયરલ થતા લેવાયા આ પગલા!


  • Published By :
  • Published Date : 2024-10-01 16:23:40

બાળકના જીવનમાં માતા પિતા બાદ સૌથી મોટું વ્યક્તિ હોય તો તે શિક્ષક છે.. આપણે ત્યાં શિક્ષકને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.. શિક્ષકો બાળકને પોતાના સંતાનો જેવો પ્રેમ કરતા હોય છે પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જેમનામાં હેવાનિયત ભરેલી હોય છે.. વિદ્યાર્થી પર હાથ ઉઠાવતા પહેલા બિલકુલ વિચાર પણ નથી કરતા.. ત્યારે સોશિયલ મીડિયા પર એક શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શિક્ષક એક વિદ્યાર્થીને જબરદસ્ત મારે છે... એક સાથે અનેક લાફા ઝીંકી દે છે... 

શિક્ષક વિદ્યાર્થીની બેંચ પાસે ગયા.


શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોર માર!

મળતી માહિતી અનુસાર જે શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો અમદાવાદના પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલનો છે.. એક શિક્ષક બાળકને ઢોર માર મારી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.. વીડિયો વાયરલ થયા બાદ ડીઈઓએ આ વિષયની નોંધ લીધી છે અને ખુલાસો માગ્યો છે.. એવી માહિતી સામે આવી છે કે સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે. આ વીડિયોની નોંધ શિક્ષણ મંત્રીએ પણ લીધી છે અને પરિપત્ર જાહેર કર્યો છે.. શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી છે..



આવા શિક્ષકો વિશે તમારૂં શું માનવું છે!

એવી માહિતી પણ સામે આવી છે કે આવી ઘટનાઓ ના બને તે માટે ચોક્કસ પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે.. ડીઈઓએ શાળાની મુલાકાત પણ લીધી છે..  મહત્વનું છે કે વિદ્યાર્થીઓ ઘર પછી સૌથી વધારે સમય શાળામાં રહેતા હોય છે.. ત્યારું આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.... 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.