Ahmedabad - શિક્ષકની આવી ક્રૂરતા! માધવ પબ્લિક સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને માર્યા અનેક લાફા, વીડિયો વાયરલ થતા લેવાયા આ પગલા!


  • Published By :
  • Published Date : 2024-10-01 16:23:40

બાળકના જીવનમાં માતા પિતા બાદ સૌથી મોટું વ્યક્તિ હોય તો તે શિક્ષક છે.. આપણે ત્યાં શિક્ષકને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.. શિક્ષકો બાળકને પોતાના સંતાનો જેવો પ્રેમ કરતા હોય છે પરંતુ અનેક શિક્ષકો એવા હોય છે જેમનામાં હેવાનિયત ભરેલી હોય છે.. વિદ્યાર્થી પર હાથ ઉઠાવતા પહેલા બિલકુલ વિચાર પણ નથી કરતા.. ત્યારે સોશિયલ મીડિયા પર એક શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શિક્ષક એક વિદ્યાર્થીને જબરદસ્ત મારે છે... એક સાથે અનેક લાફા ઝીંકી દે છે... 

શિક્ષક વિદ્યાર્થીની બેંચ પાસે ગયા.


શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોર માર!

મળતી માહિતી અનુસાર જે શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો અમદાવાદના પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલનો છે.. એક શિક્ષક બાળકને ઢોર માર મારી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.. વીડિયો વાયરલ થયા બાદ ડીઈઓએ આ વિષયની નોંધ લીધી છે અને ખુલાસો માગ્યો છે.. એવી માહિતી સામે આવી છે કે સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે. આ વીડિયોની નોંધ શિક્ષણ મંત્રીએ પણ લીધી છે અને પરિપત્ર જાહેર કર્યો છે.. શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી છે..



આવા શિક્ષકો વિશે તમારૂં શું માનવું છે!

એવી માહિતી પણ સામે આવી છે કે આવી ઘટનાઓ ના બને તે માટે ચોક્કસ પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે.. ડીઈઓએ શાળાની મુલાકાત પણ લીધી છે..  મહત્વનું છે કે વિદ્યાર્થીઓ ઘર પછી સૌથી વધારે સમય શાળામાં રહેતા હોય છે.. ત્યારું આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.... 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.