Ahmedabad : થાર અને Fortuner ગાડી વચ્ચે ભયંકર અકસ્માત, ત્રણ લોકોએ ગુમાવ્યા જીવ, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ!


  • Published By :
  • Published Date : 2024-07-01 11:52:56

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાઈ તે ફોર્ચ્યુનર કારમાંથી બિયરના ટીન અને દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

News18 Gujarati


અકસ્માતમાં લોકો ગુમાવે છે પોતાનો જીવ    

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ ગમખ્વાર અકસ્માતમાં ગયા છે.. અકસ્માત સર્જાયા પાછળ અનેક કારણો હોય છે તેમાંથી સૌથી મોટું કારણ હોય છે સ્પીડનું.. અનેક વખત ગાડીઓ એટલી સ્પીડમાં હોય છે કે જો અચાનક સામે કોઈ આવી જાય તો ગાડી પરથી કાબુ જતો રહેતો હોય છે.. તે સિવાય રોંગ સાઈડ પર આવતા વાહનોને કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે.. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી મળી નથી. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી છે. 

News18 Gujarati


ગાડીમાંથી મળી આવી દારૂની બોટલો

બોપલમાં જે અકસ્માત સર્જાયો તે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર તરફથી ફોર્ચ્યુનર કાર આવી રહી હતી અને તે ધડાકાભેર થાર કાર સાથે અથડાઈ અને ઘટનાસ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે.. ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી છે. ગુજરાતમાં તો દારૂબંધી છે.. 

News18 Gujarati


કોઈ પણ ડર વગર લોકો ગાડીમાં લઈને ફરે છે દારૂની બોટલ!

ફરી એક વખત દારૂબંધી કાયદાના ધજાગરા ઉડ્યા છે. ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તેવી ઘટનાઓ અનેક વખત આપણી સામે આવી છે.. હવે તો ગાડીમાં લોકો દારૂની બોટલ રાખે છે અને તે પણ કોઈ પણ ડર વગર.. કાયદા વ્યવસ્થાનો તો જાણે લોકોને ડર જ નથી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..           



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.