Ahmedabad : થાર અને Fortuner ગાડી વચ્ચે ભયંકર અકસ્માત, ત્રણ લોકોએ ગુમાવ્યા જીવ, ગાડીમાંથી મળી આવી દારૂની બોટલ!


  • Published By :
  • Published Date : 2024-07-01 11:52:56

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જાઈ તે ફોર્ચ્યુનર કારમાંથી બિયરના ટીન અને દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

News18 Gujarati


અકસ્માતમાં લોકો ગુમાવે છે પોતાનો જીવ    

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ ગમખ્વાર અકસ્માતમાં ગયા છે.. અકસ્માત સર્જાયા પાછળ અનેક કારણો હોય છે તેમાંથી સૌથી મોટું કારણ હોય છે સ્પીડનું.. અનેક વખત ગાડીઓ એટલી સ્પીડમાં હોય છે કે જો અચાનક સામે કોઈ આવી જાય તો ગાડી પરથી કાબુ જતો રહેતો હોય છે.. તે સિવાય રોંગ સાઈડ પર આવતા વાહનોને કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે.. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી મળી નથી. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી છે. 

News18 Gujarati


ગાડીમાંથી મળી આવી દારૂની બોટલો

બોપલમાં જે અકસ્માત સર્જાયો તે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર તરફથી ફોર્ચ્યુનર કાર આવી રહી હતી અને તે ધડાકાભેર થાર કાર સાથે અથડાઈ અને ઘટનાસ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે.. ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી છે. ગુજરાતમાં તો દારૂબંધી છે.. 

News18 Gujarati


કોઈ પણ ડર વગર લોકો ગાડીમાં લઈને ફરે છે દારૂની બોટલ!

ફરી એક વખત દારૂબંધી કાયદાના ધજાગરા ઉડ્યા છે. ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તેવી ઘટનાઓ અનેક વખત આપણી સામે આવી છે.. હવે તો ગાડીમાં લોકો દારૂની બોટલ રાખે છે અને તે પણ કોઈ પણ ડર વગર.. કાયદા વ્યવસ્થાનો તો જાણે લોકોને ડર જ નથી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..           



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.