Ahmedabad : ફરી ઉડ્યા દારૂબંધીના ધજાગરા! નશાની હાલતમાં AMTS બસના ડ્રાઈવરે બસ ચલાવી, મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-08 15:45:06

અનેક વીડિયો આપણી સામે આવ્યા છે જેમાં બસ ડ્રાઈવર કાં તો મોબાઈલમાં જોતો હોય અથવા તો મોબાઈલમાં વાતો કરતો હોય. રસ્તા પર એએમટીબસ હોય, બીઆરટીએસ બસ હોય કે પછી એસટી બસ હોય તેના ડ્રાઈવરો અનેક વખત બેફામ રીતે બસ ચલાવતા હોય છે.. અનેક વખત અકસ્માત પણ સર્જાય છે અને કોઈ વખત દુર્ઘટનામાં કોઈ વ્યક્તિનું મોત પણ  થઈ જાય છે. ત્યારે એક ઘટના સામે આવી છે, એક વીડિયો સામે આવ્યો છે જેમાં એએમટીએસ બસના ડ્રાઈવર ફૂલ નશાની હાલતમાં દેખાય છે.  

નશાની હાલતમાં ડ્રાઈવરે બસ ચલાવી અને..  

ગુજરાતને આપણે ડ્રાય સ્ટેટ કહીએ છીએ.. એક એવું રાજ્ય જ્યાં દારૂ પર પ્રતિબંધ છે... પરંતુ વાસ્તવમાં ગુજરાત કેટલું ડ્રાય સ્ટેટ છે તે આપણે જાણીએ છીએ. કોઈ વખત અધિકારી નશામાં પકડાય છે કોઈ વખત શિક્ષક દારૂના નશામાં પકડાય છે. પરંતુ જ્યારે બસ ડ્રાઈવર નશાની હાલતમાં દેખાય તો? બસમાં અનેક લોકો મુસાફરી કરતા હોય છે.. બસના ડ્રાઈવર પર વિશ્વાસ મુસાફરો રાખે છે. તેમના જીવનને લોકો ડ્રાઈવરના હાથમાં સોંપે છે. પરંતુ જ્યારે એ જ ડ્રાઈવર દારૂના નશામાં હોય અને બસ ચલાવતો હોય તો..!

News18 Gujarati

એટલી પીધેલી હાલતમાં ડ્રાઈવર હતો કે તેને ખબર જ ન રહી કે.. 

વીડિયો સામે આવ્યો છે જેમાં પીધેલી  હાલતમાં એએમટીએસના ડ્રાઇવરે બસ સોસાયટીમાં ઘૂસાડી દીધી. કેટલી ભયાનક વાત છે કે એક amtsનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવે છે. એ બસમાં બેઠેલા લોકોના જીવની જવાબદારી કોની આમાં? છે કોઈ પાસે જવાબ? ડ્રાઈવર એટલી પીધેલી હાલતમાં હતો કે તેને ખબર જ ના રહી કે તે બસને ક્યાં લઈ જઈ રહ્યો છે.. બોપલ ઘુમા ક્રિષ્ના સારથી સોસાયટી રબારી વાસ પાસે 50 નંબર એએમટીએસ Ahmedabadના મેઘાણીનગરથી ઘુમાગામ જતી બસને ડ્રાઈવરે  સોસાયટી કમ્પાઉન્ડમાં ઘૂસેડી દીધી.. 



ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ કહેવાય છે પરંતુ દારૂ અનેક જગ્યાઓ પર મળે છે. 

સ્થાનિકો તેમજ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનું કહેવું હતું કે ડ્રાઈવર ચિક્કાર નશામાં હતો. ત્યાં હાજર લોકોએ આનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ વીડિયો જોયા પછી સવાલ થાય કે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? શા માટે ડ્રાઈવરને આવા નશાની હાલતમાં બસ ચલાવવા માટે આપી? આ તો સદ નસીબે કોઈને હાનિ થઈ નથી પરંતુ જો કે, જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની આમાં? નશામાં ધૂત આ માણસ સામે કોઈ કાર્યવાહી થશે ખરી? મહત્વનું છે કે ગુજરાતને ભલે ડ્રાય સ્ટેટ કહેવાય છે પરંતુ દારૂ ક્યાં મળે છે તે લોકોને ખબર હોય છે.. ના માત્ર લોકોને પરંતુ મુખ્યત્વેના કિસ્સાઓમાં પોલીસને પણ ખબર હોય છે.. ત્યારે આ મામલે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.