Ahmedabad : ફરી ઉડ્યા દારૂબંધીના ધજાગરા! નશાની હાલતમાં AMTS બસના ડ્રાઈવરે બસ ચલાવી, મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-08 15:45:06

અનેક વીડિયો આપણી સામે આવ્યા છે જેમાં બસ ડ્રાઈવર કાં તો મોબાઈલમાં જોતો હોય અથવા તો મોબાઈલમાં વાતો કરતો હોય. રસ્તા પર એએમટીબસ હોય, બીઆરટીએસ બસ હોય કે પછી એસટી બસ હોય તેના ડ્રાઈવરો અનેક વખત બેફામ રીતે બસ ચલાવતા હોય છે.. અનેક વખત અકસ્માત પણ સર્જાય છે અને કોઈ વખત દુર્ઘટનામાં કોઈ વ્યક્તિનું મોત પણ  થઈ જાય છે. ત્યારે એક ઘટના સામે આવી છે, એક વીડિયો સામે આવ્યો છે જેમાં એએમટીએસ બસના ડ્રાઈવર ફૂલ નશાની હાલતમાં દેખાય છે.  

નશાની હાલતમાં ડ્રાઈવરે બસ ચલાવી અને..  

ગુજરાતને આપણે ડ્રાય સ્ટેટ કહીએ છીએ.. એક એવું રાજ્ય જ્યાં દારૂ પર પ્રતિબંધ છે... પરંતુ વાસ્તવમાં ગુજરાત કેટલું ડ્રાય સ્ટેટ છે તે આપણે જાણીએ છીએ. કોઈ વખત અધિકારી નશામાં પકડાય છે કોઈ વખત શિક્ષક દારૂના નશામાં પકડાય છે. પરંતુ જ્યારે બસ ડ્રાઈવર નશાની હાલતમાં દેખાય તો? બસમાં અનેક લોકો મુસાફરી કરતા હોય છે.. બસના ડ્રાઈવર પર વિશ્વાસ મુસાફરો રાખે છે. તેમના જીવનને લોકો ડ્રાઈવરના હાથમાં સોંપે છે. પરંતુ જ્યારે એ જ ડ્રાઈવર દારૂના નશામાં હોય અને બસ ચલાવતો હોય તો..!

News18 Gujarati

એટલી પીધેલી હાલતમાં ડ્રાઈવર હતો કે તેને ખબર જ ન રહી કે.. 

વીડિયો સામે આવ્યો છે જેમાં પીધેલી  હાલતમાં એએમટીએસના ડ્રાઇવરે બસ સોસાયટીમાં ઘૂસાડી દીધી. કેટલી ભયાનક વાત છે કે એક amtsનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવે છે. એ બસમાં બેઠેલા લોકોના જીવની જવાબદારી કોની આમાં? છે કોઈ પાસે જવાબ? ડ્રાઈવર એટલી પીધેલી હાલતમાં હતો કે તેને ખબર જ ના રહી કે તે બસને ક્યાં લઈ જઈ રહ્યો છે.. બોપલ ઘુમા ક્રિષ્ના સારથી સોસાયટી રબારી વાસ પાસે 50 નંબર એએમટીએસ Ahmedabadના મેઘાણીનગરથી ઘુમાગામ જતી બસને ડ્રાઈવરે  સોસાયટી કમ્પાઉન્ડમાં ઘૂસેડી દીધી.. 



ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ કહેવાય છે પરંતુ દારૂ અનેક જગ્યાઓ પર મળે છે. 

સ્થાનિકો તેમજ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનું કહેવું હતું કે ડ્રાઈવર ચિક્કાર નશામાં હતો. ત્યાં હાજર લોકોએ આનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ વીડિયો જોયા પછી સવાલ થાય કે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? શા માટે ડ્રાઈવરને આવા નશાની હાલતમાં બસ ચલાવવા માટે આપી? આ તો સદ નસીબે કોઈને હાનિ થઈ નથી પરંતુ જો કે, જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની આમાં? નશામાં ધૂત આ માણસ સામે કોઈ કાર્યવાહી થશે ખરી? મહત્વનું છે કે ગુજરાતને ભલે ડ્રાય સ્ટેટ કહેવાય છે પરંતુ દારૂ ક્યાં મળે છે તે લોકોને ખબર હોય છે.. ના માત્ર લોકોને પરંતુ મુખ્યત્વેના કિસ્સાઓમાં પોલીસને પણ ખબર હોય છે.. ત્યારે આ મામલે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો..  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"